Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીએ વિદેશ નીતિ પર PMની મિમિક્રી કરી:રાહુલે જાદુ કી જપ્પી આપી તો સંદીપ દીક્ષિતે કહ્યું- "હું મેલોની નથી હોં", રાહુલે કહ્યું- હું એટલો આગળ નથી વધ્યો

    1 day ago

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે આરોપ લગાવ્યો કે, ‘સરકાર લોકોને પોતાની વાત રજૂ કરતા રોકી રહી છે. સરકાર વ્યવસ્થા લાગુ કરવા માગે છે, જ્યારે કોંગ્રેસનું કામ ભારતને પોતાની વાત કહેવાની તક આપવાનું છે.’ તેમણે આ વાત દિલ્હીમાં કોંગ્રેસના ‘રચનાત્મક કોંગ્રેસ પ્રકોષ્ઠ’ અધિવેશનમાં કહી. રાહુલે કહ્યું કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરવા માંગતા હતા. વિદ્યાર્થીઓ પરેશાન હતા અને પોતાની પીડા વ્યક્ત કરવા માંગતા હતા, પરંતુ સરકારે તેમને તેમ કરતા રોક્યા. સરકારને સમજાઈ ગયું છે કે લોકો હવે ચૂપ નહીં રહે. આ દરમિયાન તેમણે મોદી સરકારની વિદેશ નીતિની મજાક ઉડાવી. તેમણે કહ્યું કે પીએમની રાજનીતિ વિદેશી નેતાઓને ભેટવાથી વિશેષ કંઈ નથી. રાહુલે કહ્યું- પીએમ મોદી રાત્રે સૂતા નથી, 4 મોટી વાતો રાહુલ ગાંધીએ ભેટ્યા તો સંદીપે કહ્યું- તમે મને મેલોની સમજીને તો નથી પકડ્યો ને? રાહુલ ગાંધીએ પીએમ મોદીની વિદેશ નીતિ પર નિશાન સાધતા કહ્યું કે પીએમની કૂટનીતિ વિદેશી નેતાઓને ભેટવાથી કંઈક વધારે જ જોડાયેલી છે. મને નથી ખબર કે તેમને આ વિચાર ક્યાંથી આવ્યો. તેમને લાગે છે કે ભેટવું એ જ વિદેશ નીતિ છે. એમ કહેતા રાહુલ ગાંધીએ મંચ પર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને ભેટ્યા. ત્યારે દીક્ષિતે મજાક કરતા કહ્યું- તમે મને મેલોની સમજીને તો નથી પકડ્યો ને?" રાહુલ ગાંધીએ જવાબ આપ્યો- હું હજી ત્યાં સુધી નથી પહોંચ્યો. તેમની આ વાતથી લોકો હસી પડ્યા. બે દિવસના અધિવેશનમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા રચનાત્મક કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 12 ઓગસ્ટના રોજ નવી દિલ્હીના ઇન્દિરા ભવનમાં યોજાયું હતું. તેમાં સામાજિક સંગઠનો, કાર્યકરો, શિક્ષણવિદો, શૈક્ષણિક જગત, કલાકારો, સમુદાયના પ્રતિનિધિઓ અને નાગરિક સમાજ સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો. પહેલા દિવસે અર્થતંત્ર, રોજગાર, ગરીબી અને અસમાનતા, પર્યાવરણ, વિકાસ, વિસ્થાપન, પ્રદૂષણ, શિક્ષણ, આરોગ્ય, ન્યાય, અધિકાર, સંસ્કૃતિ અને સંશોધન જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.
    Click here to Read More
    Previous Article
    सरकार की 11 लोन स्कीम, रेहड़ी से लेकर महिला-किसान-छोटे व्यापारी तक को मिलता है 10 हजार से 10 करोड़ तक का लोन
    Next Article
    ગરિમા યુટ્યુબ પર છેતરપિંડી કરવાના આઈડિયા જાણતી:ડોક્ટરના નામે લીધી 1.40 કરોડની લોન, 3 લાખનો EMI, 8મા માળેથી કૂદીને ડોક્ટરની આત્મહત્યા; લખ્યું- મોતની જવાબદાર ઠગ ગરિમા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment