Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદે લોકસભામાં અગરિયા પરિવારોને થયેલા નુકસાનની રજૂઆત કરી:'PM કિસાન સન્માન નિધિ' અને રૂ. 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ આપવા વિનંતી કરી

    17 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી મીઠું પકવતા અગરિયા પરિવારોને થયેલા નુકસાન અંગે સાંસદ ચંદુ શિહોરાએ લોકસભામાં રજૂઆત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને અગરિયાઓને ખેડૂતોની જેમ 'PM કિસાન સન્માન નિધિ' અને રૂ. 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ આપવા વિનંતી કરી હતી. સાંસદે નુકસાનીનો તાકીદે સર્વે કરાવવા બદલ ગુજરાત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, તાજેતરમાં ગુજરાત વિધાનસભા ખાતે અગરિયા મહાસંઘના પ્રતિનિધિઓએ દસાડાના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, કચ્છના નાના રણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે અગરિયા પરિવારોને થયેલા ભારે નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર સાથે અગરિયા પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોલાર પેનલો, મીઠાના ઉત્પાદન, રહેણાંકના છાપરા અને ઘરવખરીમાં થયેલા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે અસરગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પ્રાથમિક સર્વે કરાવવાની અને સર્વે રિપોર્ટના આધારે નુકસાનગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. આ રજૂઆત સમયે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, અગરિયા મહાસંઘના પ્રમુખ બચુ દેગામા અને પ્રહલાદ સહિતના અગરિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વાવાઝોડામાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સોલાર પેનલોને ભારે નુકસાન થયું હતું અને મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ ઘટના બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને થયેલી નુકસાનીનો પ્રથમ વખત સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનો સર્વે શરૂ કર્યો હતો, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટનાં પૂર્વ મેયર ફરી વિવાદમાં:રાજકોટના જાગૃત નાગરિકની મ્યુ. કમિશ્નર-કલેક્ટરને રજૂઆત, લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી ગેરકાયદે બાંધકામ હટાવવા માંગ
    Next Article
    મહેસાણામાં અકસ્માતની બે ઘટના:ડી-માર્ટ સર્કલ અને પાંચોટ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment