Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાનના આગમને લઈ જાહેરનામું:વડોદરામાં PM મોદીના આગમનને પગલે ટ્રાફિક જાહેરનામું, અનેક રસ્તાઓ ‘નો-પાર્કિંગ’ ઝોન જાહેર, જાણો વૈકલ્પિક રૂટ

    5 days ago

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા જિલ્લાના અણખોલ ગામની સીમમાં નવનિર્મિત સરદારધામના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. આ પ્રસંગે વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો પણ યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી તમામ વાહનો માટે નો-પાર્કિંગ ઝોન લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ, સાંજે 6થી 07.15 કલાકે વડાપ્રધાન હરણી, ગદા સર્કલથી હરણી એરપોર્ટ સુધી રોડ-શો કરશે. આ દરમિયાન વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી આપેલા વિસ્તારોમાં રોડની બંને સાઈડ 100 મીટર સુધી તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ટ્રાફિક નિયંત્રણોમાંથી ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસના વાહનો અને એરપોર્ટની ફ્લાઈટની ટિકિટ ધરાવતા મુસાફરોના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. શહેરના નાગરિકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી પોલીસને સહકાર આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ બાદ હવે સુરતમાં AIની મદદથી સમસ્યા ઉકલશે:હીટવેવ અને પ્રદૂષણની એક સપ્તાહ પૂર્વે જ મળશે સચોટ આગાહી, મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં હાઇટેક એક્શન પ્લાન તૈયાર
    Next Article
    Delhi On High Alert Over Possible Terror Threat, Security Tightened: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment