Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાજિક કાર્યકરની કમિશનરને રજૂઆત‎:મોરબીમાં રિવરફ્રન્ટ અને PM આવાસ બનાવવા માગણી

    7 hours ago

    મોરબીના સામાકાંઠે વિકાસના કામો કરવા અને રિવરફ્રન્ટ તેમજ સામાન્ય વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસો બનાવવાનો નવી બોડી સામે પડકાર છે. આથી સામેકાંઠે પાડાપુલ નીચે નટરાજ ફાટકથી ધરમપુર રોડ સુધી રિવરફ્રન્ટ બનાવવા તથા સર્કિટ હાઉસથી વિદ્યુતનગર વિસ્તાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે. કાર્યકર ચિંતનભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના પાડાપુલ નીચેનો વિસ્તાર ખાસ કરીને નટરાજ ફાટક પાસે બેઠાપુલથી ધરમપુર રોડ સુધીનો વિસ્તાર વિકાસ માટે મહત્વપૂર્ણ અને સંભાવનાશીલ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આ રોડને “આઇકોનિક રોડ” જાહેર કરાયો છે. નટરાજ પાસે બેઠાપુલથી શરૂ કરીને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર નદી કિનારે આવેલ હોવાથી અહીં એક સુવ્યવસ્થિત અને આધુનિક “રિવરફ્રન્ટ” વિકસાવવા માટે વિશાળ સંભાવનાઓ છે. આથી અહીંયા રિવરફ્રન્ટનો વિકાસ કરવો જરૂરી છે. સર્કિટ હાઉસ ખાતે આવેલ વર્ધમાન સોસાયટીથી શરૂ કરીને વિદ્યુત નગરના ઢળિયા સુધીનો વિસ્તાર હાલમાં રહેણાંક દ્રષ્ટિએ અવ્યવસ્થિત છે અને અહીં મોટા ભાગે મધ્યમ તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકો વસવાટ કરે છે. આથી આ સમગ્ર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુવ્યવસ્થિત રહેણાંક યોજના વિકસાવવામાં આવે તેવી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    ‘Virat has always been fit but Rohit…’: Shikhar Dhawan weighs in on India veterans’ run to 2027 ODI World Cup
    Next Article
    કરુણ દુર્ઘટના:મોરબીમાં ટાઇલ્સ ઉપાડવાનું ફોર ક્લિપ મશીન પલટી જતાં યુવાન દટાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment