Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવેન્દુનાં PAને સુપારી કિલર્સ દ્વારા મરાવ્યા હોવાનો દાવો:ભાજપ ધારાસભ્યએ કહ્યું- મેં તેમના કણસવાનો અવાજ સાંભળ્યો, ફરી કોલ કર્યો તો ઉપાડ્યો નહીં

    2 days ago

    પશ્ચિમ બંગાળમાં BJP નેતા સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યાકાંડમાં નવો દાવો કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યા છે કે ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે ષડયંત્રપૂર્વક હત્યા કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે આમાં પ્રોફેશનલ શૂટર્સ સામેલ હોઈ શકે છે. આ ઘટનાથી બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી રાજકીય હિંસાનો ડર ફરી પાછો ફર્યો છે. પોલીસના સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, ઘણી ટીમો તપાસમાં લાગેલી છે. 3 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તરફ, હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બીજી બાઇક પણ જપ્ત કરી લેવામાં આવી છે. આ બાઇક ગુરુવારે રાત્રે બારાસાતમાં 11 નંબર રેલ ગેટ વિસ્તાર નજીક મળી હતી. આ બાઇક અગાઉ દમદમ વિસ્તારમાંથી ચોરાઈ હતી. ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે 10.30 વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 42 વર્ષીય ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમગ્રામ પોતાના ઘરે જઈ રહ્યા હતા. હુમલાખોરે તેમને છાતીમાં બે અને પેટમાં એક ગોળી મારી હતી. 13 વર્ષમાં સુવેન્દુ પોતાના 3 નજીકના લોકોને ગુમાવી ચૂક્યા છે 2013માં જ્યારે સુવેન્દુ તૃણમૂલમાં હતા. ત્યારે તેમના અંગત સહાયક પ્રદીપ ઝાનું મૃત્યુ થયું હતું. જોકે, તપાસકર્તાઓએ મૃત્યુને સામાન્ય માન્યું હતું. ત્યારબાદ 2018 માં તેમના પીએસઓ શુભવ્રત ચક્રવર્તી મૃત હાલતમાં મળ્યા હતા. પોલીસે તેને આત્મહત્યા માની હતી. ત્યારબાદ 2021માં સુવેન્દુના અન્ય એક પર્સનલ આસિસ્ટન્ટ પુલક લાહિડીનું પણ અસામાન્ય સંજોગોમાં મૃત્યુ થયું હતું. પીએ હત્યાકાંડ સાથે જોડાયેલી 3 તસવીરો… પીએ હત્યાકાંડમાં અત્યાર સુધીના અપડેટ્સ ભાજપના ધારાસભ્યે કહ્યું- મેં કણસવાનો અવાજ સાંભળ્યો, ફરીથી કોલ કર્યો તો ઉપાડ્યો નહીં ભાજપ ધારાસભ્ય શંકર ઘોષે દાવો કર્યો કે જ્યારે ચંદ્રનાથને ગોળી મારવામાં આવી ત્યારે તેઓ તેમની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. શંકર ઘોષે કહ્યું કે અમે આગામી શપથ ગ્રહણની વાત કરી રહ્યા હતા. ત્યારે ફોન પર ગોળીઓનો અવાજ સંભળાયો. પછી કોઈના કણસવાનો અવાજ આવ્યો. આ દરમિયાન મારો ફોન કપાઈ ગયો. ફરીથી કોલ કર્યો તો ઉપાડ્યો નહીં. ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે 10.30 વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવી. 42 વર્ષીય ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમગ્રામ જઈ રહ્યા હતા, જ્યાં તેઓ ભાડાના મકાનમાં એકલા રહેતા હતા. હુમલાખોરે તેમને છાતીમાં બે અને પેટમાં એક ગોળી મારી. શંકર ઘોષે કહ્યું- અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડીને જણાવ્યું કે ચંદ્રનાથને ગોળી વાગી છે બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે જ્યારે તેઓ ઉલટાડાંગાથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેઓ ફોન પર રથ સાથે વાત કરી રહ્યા હતા. અમે ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ અને શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોરોહ વિશે ચર્ચા કરી રહ્યા હતા. અચાનક ગોળીઓના અવાજ આવ્યા, પછી કરાહવાનો અવાજ આવ્યો. મેં રથને વારંવાર ફોન કર્યો, પરંતુ બીજી તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. પછી એક મેસેજ મોકલ્યો અને પૂછ્યું, 'શું તમે ઠીક છો?' કોઈ જવાબ આવ્યો નહીં. થોડી વાર પછી મેં ફરી ફોન કર્યો, તો કોઈ અજાણ્યા વ્યક્તિએ કોલ ઉપાડ્યો અને મને જણાવ્યું કે ચંદ્રનાથને ગોળી મારી દેવામાં આવી છે. આખી ઘટનાને 90 મિનિટની ટાઈમલાઈનથી સમજો… ચંદ્રનાથ લગભગ 9 વાગ્યે કોલકાતાથી નીકળ્યા : ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમગ્રામમાં આવેલા પોતાના ભાડાના ઘરે સ્કોર્પિયોથી પાછા ફરી રહ્યા હતા. ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. ચંદ્રનાથ બાજુમાં બેઠા હતા. રાત્રે 10 વાગ્યે CCTVમાં સ્કોર્પિયો દેખાઈ : કોલકાતાથી લગભગ 20 કિલોમીટર દૂર મધ્યમગ્રામમાં રાત્રે 9:58 વાગ્યે એક CCTV કેમેરામાં ચંદ્રનાથની સ્કોર્પિયો રસ્તા પરથી પસાર થતી દેખાઈ. સ્કોર્પિયો પસાર થયાના થોડા સમય પછી વિસ્તારમાંથી એક કાર અને બે બાઇક પર સવાર ત્રણ આરોપીઓ પાછળ જતા દેખાયા. 10:30 વાગ્યે કારે સ્કોર્પિયોનો રસ્તો રોક્યો : મધ્યમગ્રામના દોહરિયા જંકશન પાસે કાર સ્કોર્પિયોથી આગળ નીકળી ગઈ અને સામે જઈને ગાડી રોકી દીધી. સ્કોર્પિયો ડ્રાઈવરને ગાડી રોકવી પડી. બાઈક પર સવાર હુમલાખોરે ફાયરિંગ શરૂ કર્યું: જ્યાં સુધી ચંદ્રનાથ અને તેમનો ડ્રાઈવર કંઈ સમજી શકે, ત્યાં સુધી બાઈક સવાર હુમલાખોરો ડાબી બાજુ આવ્યા અને 6 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. કાર છોડીને ભાગ્યા બદમાશો: ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો કારને ત્યાં જ છોડીને મોટરસાયકલ પર સવાર થઈને બે અલગ-અલગ રસ્તાઓથી ફરાર થઈ ગયા. કારની નંબર પ્લેટ નકલી : પોલીસે ઘટનાસ્થળેથી કાર જપ્ત કરી, પરંતુ નંબરની તપાસ કરવામાં આવી તો તે નકલી નીકળ્યો. કારના ચેસિસ નંબર સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. હત્યામાં ગ્લોક 47X પિસ્તોલનો ઉપયોગ: હુમલાખોરોએ ગ્લોક 47X પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. આવા આધુનિક હથિયારનો ઉપયોગ કોઈ સામાન્ય અપરાધી કરતા નથી. જે રીતે હુમલો થયો, તેને કોઈ પ્રોફેશનલ શૂટર જ અંજામ આપી શકે છે. સુવેન્દુ TMCમાં હતા, ત્યારથી ચંદ્રનાથ તેમની સાથે હતા ચંદ્રનાથ પહેલા એરફોર્સમાં ઓફિસર હતા. VRS લીધા પછી થોડો સમય કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું. ત્યારબાદ રાજકારણમાં આવ્યા. સુવેન્દુ જ્યારે તૃણમૂલ કોંગ્રેસમાં હતા, ત્યારથી ચંદ્રનાથ તેમના માટે કામ કરી રહ્યા હતા. તેમને સુવેન્દુ અધિકારીના ખૂબ જ નજીકના લોકોમાં ગણવામાં આવતા હતા. ચંદ્રનાથ 2019માં સુવેન્દુની ઓફિશિયલ ટીમનો ભાગ બન્યા, જ્યારે સુવેન્દુ મમતા બેનર્જી સરકારમાં મંત્રી હતા. ચંદ્રનાથે ભવાનીપુરમાં સુવેન્દુના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી હતી. ભવાનીપુર એ જ બેઠક છે જ્યાંથી સુવેન્દુએ મમતા બેનર્જીને વિધાનસભા ચૂંટણીમાં લગભગ 15 હજાર મતોથી હરાવ્યા છે. ચંદ્રનાથ શાંત સ્વભાવના અને લો-પ્રોફાઇલ હતા. તેમણે રહારા રામકૃષ્ણ મિશનમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઘણા વર્ષો સુધી સુવેન્દુના નજીક હોવા છતાં તેઓ હેડલાઇન્સથી દૂર જ રહેતા હતા. સુવેન્દુ અધિકારીના PAની છેલ્લી 90 મિનિટ પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે 10.30 વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવી. 42 વર્ષીય ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમગ્રામ જઈ રહ્યા હતા, જ્યાં તેઓ ભાડાના મકાનમાં એકલા રહેતા હતા. હુમલાખોરે તેમને છાતીમાં બે અને પેટમાં એક ગોળી મારી. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…
    Click here to Read More
    Previous Article
    ‘Silent killer’: When Trisha Krishnan said she hates Vijay’s silences as TVK faces swearing-in roadblock
    Next Article
    અમિત શાહ કોલકાતા પહોંચ્યા:BJP ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેશે. આજે CMની જાહેરાત થઈ શકે છે; 9 મેના રોજ શપથ ગ્રહણ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment