Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અતુલ બ્રિજ પર ધૂળની ડમરીથી સ્થાનિકો-વેપારીઓ પરેશાન:NH-48 પર પારનેરા ગામ પાસે, હાઈવે તંત્રને રજૂઆત બાદ 24 કલાકમાં ઉકેલની ખાતરી

    6 hours ago

    વલસાડના પારનેરા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર આવેલા અતુલ બ્રિજ પર છેલ્લા ઘણા દિવસોથી 24 કલાક ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આ કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ ખૂબ પરેશાન છે. વાહનોની અવરજવર વચ્ચે ઉડતી ધૂળથી આખો રસ્તો ધૂળથી ભરાઈ ગયો છે. ધૂળના કારણે દુકાનદારોને વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, સ્થાનિક રહેવાસીઓના આરોગ્યને લઈને પણ ચિંતા વધી છે. આ સમસ્યાને લઈને આજે સ્થાનિક લોકોએ હાઈવે અધિકારીઓને રજૂઆત કરી હતી.રજૂઆત પછી હાઈવે અધિકારીએ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી આપી. તેમણે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં જરૂરી કામગીરી પૂરી કરીને ધૂળની સમસ્યા દૂર કરવામાં આવશે. આ ખાતરી મળતા સ્થાનિકોએ રાહત અનુભવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે ₹213.85 કરોડની ગ્રાન્ટ મંજૂર:બનાસકાંઠાને સૌથી વધુ ₹13.91 કરોડ અને દાહોદને ₹11.06 કરોડ મળ્યા, રાજ્યના 37 જિલ્લા અને મહાનગરોને મળશે ફંડ
    Next Article
    PM મોદી 8 સપ્ટેમ્બરે નવસારીમાં 'નમો કમલમ' કાર્યાલયનું લોકાર્પણ કરશે:CR પાટીલે 100 ફેરિયાઓને ₹30 હજારની લારીઓ વિનામૂલ્યે આપી; આગામી સમયમાં 700 નાના વેપારીઓને પણ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment