Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MP-જબલપુરમાં ક્રુઝ ડૂબ્યું, અત્યાર સુધીમાં 9 મૃતદેહ મળ્યા:22ને બચાવ્યા, 15થી વધુ હજુ પણ ગુમ, સેનાએ રેસ્ક્યૂ સંભાળ્યું

    7 hours ago

    મધ્ય પ્રદેશના જબલપુર ખાતે બરગી ડેમમાં ગુરુવારે સાંજે પર્યટન વિભાગનું એક ક્રુઝ અચાનક આવેલા ભારે વાવાઝોડાને કારણે ડૂબી ગયું. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. 22 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તંત્ર મુજબ, 15થી વધુ લોકો હજુ પણ ગુમ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ક્રુઝમાં લગભગ 40 થી 45 પ્રવાસીઓ સવાર હતા. દુર્ઘટના કિનારાથી લગભગ 300 મીટર દૂર થઈ. બરગી સિટી સી.એસ.પી. અંજુમ મિશ્રાએ જણાવ્યું કે શરૂઆતી બચાવ કાર્યમાં SDRF એ ઘણા લોકોને બચાવ્યા, પરંતુ અંધારા અને ખરાબ હવામાનને કારણે રાહત કાર્યને અસર થઈ હતી. શુક્રવારે સવારે ફરીથી રેસ્ક્યૂ ચાલુ છે. સેના અને સ્પેશિયલ ટીમોએ મોરચો સંભાળ્યો દુર્ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પ્રશાસન સાથે હવે રાષ્ટ્રીય સ્તરની ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. આર્મી પણ ઘટનાસ્થળે હાજર છે. હૈદરાબાદથી એક સ્પેશિયલ ટીમ અને હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું છે. કોલકાતાથી પેરામિલિટરીની એક વિશેષ ટીમ જબલપુર પહોંચી ચૂકી છે. હાઈડ્રોલિક મશીનો અને પોકલેનની મદદથી 20 ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા ક્રુઝને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. ક્રુઝ પાયલટ બોલ્યા- સંભાળવાનો મોકો જ ન મળ્યો ક્રુઝના પાયલટ મહેશે જણાવ્યું, 'સુરક્ષાની વ્યવસ્થા તો હતી, પરંતુ અચાનક આવેલા ભારે વાવાઝોડાના કારણે ક્રુઝ બેકાબુ થઈ ગયું. કોઈને સંભાળવાનો મોકો જ ન મળ્યો.' મહેશને 10 વર્ષનો અનુભવ છે. જુઓ 7 તસવીરો... ખમરિયાના એક પરિવારના 15 લોકો સવાર હતા આયુધ નિર્માણી ખમરિયાના A3 સેક્શનમાં કાર્યરત કર્મચારી કામરાજ આર્ય પરિવારના 15 લોકો સાથે ફરવા ગયા હતા. કામરાજના માતા-પિતા પણ સાથે હતા, પરંતુ તેઓ ડેમના કિનારે બેઠા હતા. કામરાજ સાથે તેમની પત્ની, ભાભી અને બાળકો ક્રુઝમાં ફરવા ગયા હતા. કામરાજ મૂળ કર્ણાટકના રહેવાસી છે. કામરાજના એક પુત્રને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે કામરાજ, તેમની પત્ની અને પુત્ર હજુ પણ ગુમ છે. અત્યાર સુધી તેમની ઓળખ થઈ બાકીના મૃતદેહોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. પર્યટન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે- ક્રુઝ 20 વર્ષ જૂનું છે. પર્યટન વિભાગના અધિકારી યોગેન્દ્ર રિછારિયાએ જણાવ્યું કે બરગી ડેમમાં એક ક્રુઝ ચલાવવામાં આવી રહ્યું છે. તેનું નિર્માણ 2006માં કરવામાં આવ્યું હતું. તેની ક્ષમતા 60 મુસાફરોની છે. જ્યારે બીજું ક્રુઝ ખરાબ છે. સમાચારના મિનિટ-ટુ-મિનિટ અપડેટ માટે લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Bhuvneshwar Kumar on holding the Purple Cap at 36: ‘I’m not young anymore’
    Next Article
    9 Tourists Dead, Many Missing As Cruise Boat With 29 On Board Sinks In Madhya Pradesh

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment