Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા તળાવમાં કુદે એ પહેલાં જ પકડી લીધી, LIVE રેસ્ક્યૂ:સુરતના પુણામાં ઘરકાંકસથી કંટાળી 14 વર્ષની સગીરા આપઘાત કરવા નીકળી, પોલીસ - ફાયરના જવાનોએ દેવદૂત બની જીવ બચાવ્યો

    2 days ago

    સુરત શહેરના પુણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ઘરકંકાસથી કંટાળેલી માત્ર 14 વર્ષની સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તળાવમાં મોતની છલાંગ લગાવે તે પહેલા સગીરાને રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર કાઢી હતી. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ છે. 14 વર્ષીય સગીરા તળાવના ઊંડા પાણીમાં ઝંપલાવવા પહોંચી મળતી માહિતી પ્રમાણે, પુણા વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર પાટીદાર ભવનની વાડી પાસે એક મોટું તળાવ આવેલું છે. અહીં 14 વર્ષની એક સગીરા અચાનક દોડી આવી હતી અને કઈ પણ વિચાર્યા વગર તળાવના ઊંડા પાણીમાં ઝંપલાવવા જતી હતી. આસપાસના લોકોએ આ દૃશ્ય જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી અને તાત્કાલિક પોલીસ અને ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ‘જો કોઈ નજીક આવ્યું તો હું કૂદી જઈશ’ કોલ મળતા જ પુણા પોલીસ અને ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કિશોરીને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા હતા ત્યારે કિશોરી કરી હતી કે, 'જો કોઈ નજીક આવ્યું તો હું કૂદી જઈશ, આ તરફથી અને સામેની તરફથી પણ કેટલાક લોકો અંદર આવ્યા છે જો કોઈ મારી નજીક આવ્યું તો હું કદી જઈશ'. ત્યારબાદ સગીરા પાણીમાં છલાંગ લગાવે તે પહેલા પોલીસ અને ફાયરના જવાનોએ જીવના જોખમે તળાવમાં ઉતરી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ગણતરીની મિનિટોમાં જ સગીરાને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવવામાં આવી હતી. સમયસૂચકતાને કારણે સગીરાનો આબાદ બચાવ થયો હતો. ઘરકંકાસના કારણે સગીરાએ જીવન ટૂંકાવવાનું વિચાર્યું પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. સગીરાએ જણાવ્યું હતું કે, તેના ઘરમાં સતત ચાલતા ઝઘડા અને ઘરકંકાસથી તે માનસિક રીતે થાકી ગઈ હતી. સતત તણાવમાં રહેતી સગીરાને બીજો કોઈ રસ્તો ન દેખાતા તેણે આ આઘાતજનક પગલું ભર્યું હોવાનું કબૂલ્યું હતું. સગીરાની કાઉન્સેલિંગ બાદ વાલીઓને પરત સોંપી બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સગીરાને સમજાવવામાં આવી હતી અને તેને જીવનનું મહત્ત્વ સમજાવ્યું હતું. બાદમાં તેના માતા-પિતાનો સંપર્ક કરી, જરૂરી સમજૂતી આપી સગીરાનો કબજો તેમને સોંપવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોએ પોલીસ અને ફાયર વિભાગની કામગીરીના વખાણ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું કર્યું પ્રદર્શન:કાળઝાળ ગરમીમાં રાહત આપવા 12 ફૂટનો મંડપ બનાવ્યો, માત્ર 5 ગાડીઓથી મંડપ પેક ને અન્ય વાહનચાલકો તડકામાં
    Next Article
    હીરા ઉદ્યોગ દ્વારા 2025-26માં 42,636 કરોડનું રેકોર્ડબ્રેક ઇમ્પોર્ટ-એક્સપોર્ટ:ફાસ્ટ ક્લિયરન્સથી સવારે માલ મુંબઈને સાંજે સુરત વેપારીના હાથમાં, SDBમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment