Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોડીનાર જખલા વાડીમાં LCBની મોટી કાર્યવાહી:ઘોડી પાસાનો જુગાર રમતા 6 ઝડપાયા, ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સમાજવિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, એલ.સી.બી. પોલીસ દ્વારા કોડીનાર વિસ્તારમાં સફળતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી. એલ.સી.બી.ના પો.ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત, પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ અને પો.સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. જેબલીયાની રાહબરી હેઠળની ટીમને મળેલી બાતમીના આધારે કોડીનારના જખલા વાડી ટાઉન વિસ્તારમાં ઘોડી પાસાના જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની આ અચાનક રેઇડ દરમિયાન જુગાર રમતા કુલ છ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે એક ઇસમ નાસી છૂટ્યો હતો. સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને જુગાર માટે ઉપયોગમાં લેવાતા ઘોડી પાસા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹40,300 રોકડા, ₹1,30,000ની કિંમતના ચાર મોબાઇલ ફોન અને બે ઘોડી પાસાનો સમાવેશ થાય છે. આમ, કુલ ₹1,70,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા ઇસમો કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તાજેતરની આ કાર્યવાહીથી જુગારખોરોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિક નાગરિકોમાં પોલીસની કામગીરી પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સમાજને બગાડતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બિહારની ગુમ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન:વેરાવળના સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી શક્ય બન્યું
    Next Article
    પ્રયાગરાજમાં જગતગુરુ સાથે દુર્વ્યવહાર મામલે ગોધરામાં આવેદન:સમિતિએ કલેક્ટરને રજૂઆત કરી, કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment