Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JCI વલસાડ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન:ગંગા બાની વાડીમાં ભજન સંધ્યા અને સમૂહ આરતી સાથે ભક્તિમય ઉજવણી

    1 day ago

    JCI વલસાડ દ્વારા JC Week 2026 અંતર્ગત Family Bonding Day નિમિત્તે ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું હતું. વલસાડની ગંગા બાની વાડી ખાતે આ મહોત્સવમાં વિધિપૂર્વક શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના પછી ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંધશાળાના બાળકોએ સુંદર ભજનો રજૂ કરીને હાજર રહેલા સૌને ભાવુક કરી દીધા હતા. બાળકોની પ્રતિભા અને ભક્તિભાવથી ભરેલી રજૂઆતને મહેમાનો અને JCI પરિવાર દ્વારા ખૂબ ઉત્સાહથી વધાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમૂહ આરતી પણ યોજાઈ હતી. JCI વલસાડ પરિવારના સભ્યો સહિત હાજર રહેલા સૌએ ભક્તિભાવપૂર્વક સમૂહ આરતીમાં ભાગ લીધો હતો. આખી ગંગા બાણી વાડીમાં ગણેશ ભક્તિનું આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ જેસી હૃજુતા પારેખના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ જેસી આદિત્ય ચાંપાનેરી અને જેસી પંકિત પટેલ સહિત JCI વલસાડ પરિવારના તમામ સભ્યોનો આમાં સહયોગ મળ્યો હતો. JCI વલસાડ દ્વારા આયોજિત આ ગણપતિ મહોત્સવમાં ધાર્મિક ઉજવણી સાથે પારિવારિક એકતા, સામાજિક જોડાણ અને દિવ્યાંગ બાળકોની કલાને પ્રોત્સાહન આપવાનો સારો સંદેશ આપવામાં આવ્યો હતો. અંધશાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલી ભજન સંધ્યા કાર્યક્રમનું ખાસ આકર્ષણ રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Patrick Mahomes Vs The Man He Replaced: Can Davis Webb Outsmart His Old Texas Tech Rival On Monday Night Football?
    Next Article
    વડોદરાના ગોત્રીમાં સલૂનમાં હેર ટ્રીટમેન્ટ બાદ ધીંગાણું:₹3500 પરત માંગવા ગયેલી વિદ્યાર્થિની અને તેના મિત્રો પર હુમલો, સંચાલિકાએ પણ માર માર્યાની સામસામે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment