Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ITRA જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:દ્રવ્યગુણ વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

    2 weeks ago

    ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ અને રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) જામનગરના દ્રવ્યગુણ વિભાગ દ્વારા 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ધન્વંતરી મંદિર કેમ્પસના બોટેનિકલ ગાર્ડનમાં યોજાયો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, સંસ્થાના સભ્યો અને સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે વૃક્ષારોપણ અભિયાન, છોડ વિતરણ અને પર્યાવરણ જતન માટે શપથગ્રહણ સમારોહ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના વડા પ્રો. ડૉ. તનુજા નેસરી અને દ્રવ્યગુણ વિભાગના વડા પ્રો. ડૉ. ભૂપેશ પટેલ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત, સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર, ડીન, વિવિધ વિભાગીય વડા, કર્મચારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી:5 વર્ષમાં 303 સંસ્થાને ₹1 કરોડથી વધુનો દંડ ફટકાર્યો; ટેસ્ટિંગ વાનથી ગામડાં સુધી જાગૃતિ
    Next Article
    પારિવારિક ઝઘડામાં ગર્ભવતીને પેટમાં લાત માર્યાની ફરિયાદ:જામનગર ના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયામાં ઝઘડો, કુટુંબી જેઠ-જેઠાણીએ પરિણીતા અને પતિ સહિત 3ને માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment