Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ITR-ફાઇલિંગ માટે 10 દિવસથી ઓછો સમય બાકી:રિટર્ન ભરવાથી સરળતાથી લોન મળે છે, અહીં જાણો તેના 5 ફાયદા

    1 day ago

    નાણાકીય વર્ષ 2025-26 માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે 10 દિવસથી પણ ઓછો સમય બાકી છે. 22 જુલાઈ સુધીમાં 3 કરોડથી વધુ લોકો ITR ફાઇલ કરી ચૂક્યા છે. સામાન્ય કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. ઘણા લોકો માને છે કે જો તેમની વાર્ષિક આવક અઢી લાખથી ઓછી હોય અને તેઓ ટેક્સના દાયરામાં આવતા નથી, તો તેમને ITR ભરવાની જરૂર નથી, પરંતુ આવું નથી. જો તમે ઇનકમ ટેક્સના દાયરામાં ન આવતા હોવ તો પણ તમારે રિટર્ન ફાઇલ કરવું જોઈએ, કારણ કે જો તમે ITR ફાઇલ કરો છો, તો તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. ITR ફાઇલ કરવાથી લોન મેળવવામાં સરળતા રહે છે. ટેક્સ એક્સપર્ટ CA આનંદ જૈન તમને ITR ફાઇલ કરવાના 5 ફાયદાઓ વિશે જણાવી રહ્યા છે… સૌ પ્રથમ જાણો ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) શું હોય છે? ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) એક પ્રકારનો હિસાબ છે, જે તમે સરકારને આપો છો. આમાં તમે જણાવો છો કે ગયા વર્ષે તમારી કેટલી કમાણી થઈ, કઈ કમાણી પર ટેક્સ ચૂકવવાનો છે અને કેટલો ટેક્સ તમે એડવાન્સમાં ભરી દીધો છે. આનાથી ખબર પડે છે કે ટેક્સના રૂપમાં તમે સરકારને બીજા કેટલાક પૈસા આપશો કે સરકાર તમને કેટલાક પૈસા પાછા આપશે. 1. દંડથી બચી જશો નિર્ધારિત તારીખની અંદર ITR ફાઇલ ન કરવા પર તમારે દંડ એટલે કે પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. જો કોઈ વ્યક્તિગત કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય, તો તેને 5,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જો કરદાતાની વાર્ષિક કમાણી 5 લાખ રૂપિયાથી ઓછી હોય, તો તેને લેટ ફી તરીકે 1,000 રૂપિયા ભરવા પડશે. સમયસર ITR ફાઇલ કરીને આ દંડથી બચી શકાય છે. 2. નોટિસનો ડર નહીં રહે હાલમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે ઘણા સ્રોતોમાંથી તમારી આવકની માહિતી પહોંચી જાય છે, સમયસર ITR ફાઇલ ન કરવા પર આવકવેરા વિભાગ તે માહિતીના આધારે તમને નોટિસ મોકલી શકે છે. નોટિસની મુશ્કેલીઓથી બચવા માટે સમયસર ITR જમા કરવું ફાયદાકારક છે. 3. વ્યાજની બચત આવકવેરાના નિયમો અનુસાર, જો કોઈ કરદાતાએ ટેક્સ ચૂકવ્યો નથી અથવા તેના પર બનતા કુલ ટેક્સના 90% થી ઓછો ચૂકવ્યો છે, તો તેને કલમ 234B હેઠળ દર મહિને 1% વ્યાજ પેનલ્ટી તરીકે ચૂકવવું પડશે. આ રીતે, સમયસર રિટર્ન ફાઇલ કરીને આવકવેરા પર લાગતા વ્યાજની બચત કરી શકાય છે. 4. નુકસાન કેરી ફોરવર્ડ કરી શકશો આવકવેરાના નિયમો મુજબ, નિર્ધારિત તારીખ સુધી ITR ફાઇલ કરવા પર તમે તમારા નુકસાનને આગળના નાણાકીય વર્ષો માટે કેરી ફોરવર્ડ કરી શકો છો. એટલે કે, આગામી નાણાકીય વર્ષોમાં તમે તમારી કમાણી પર ટેક્સની જવાબદારી ઘટાડી શકો છો. ઉદાહરણ તરીકે, જો શેરના વેચાણ પર નુકસાન થયું છે, તો તેને 8 વર્ષ માટે કેરી ફોરવર્ડ કરી શકાય છે. જોકે, જો સમયસર રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું નથી, તો નુકસાનને કેરી ફોરવર્ડ કરી શકાતું નથી અને આ લાભ મળશે નહીં. 5. ટેક્સ રિફંડ ક્લેમ કરવા માટે જો તમારી આવકમાંથી ટેક્સ કાપીને સરકાર પાસે જમા કરાવી દેવામાં આવ્યો હોય, તો તમે ITR ફાઇલ કર્યા વિના તેને પાછો મેળવી શકતા નથી, ભલે તમારી આવક ઇન્કમ ટેક્સમાં બેઝિક એક્ઝમ્પ્શન લિમિટની અંદર જ હોય. જો તમારે ટેક્સ રિફંડ ક્લેમ કરવો હોય, તો તેના માટે ITR ફાઈલ કરવું જરૂરી છે. જ્યારે તમે ITR ફાઈલ કરો છો, ત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેનું એસેસમેન્ટ કરે છે. જો તમારું રિફંડ બને છે, તો તે સીધા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીએ જોરદાર કેચ પકડ્યો:મયંક યાદવે બીજી વિકેટ ઝડપી, પ્રિન્સ યાદવને પણ સફળતા મળી; ઝિમ્બાબ્વેની હાલત ખરાબ
    Next Article
    2 કલાક અમદાવાદ માટે ભારે, રેડ એલર્ટ જાહેર:બપોર બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ, થલતેજમાં ગાડીઓ તરવા લાગી; આવતીકાલે સ્કૂલોમાં રજા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment