Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:એડવાન્સ ટેક્સ માટે ITની ઇ-ઝૂંબેશ: ઇ-મેલ ફટકાર્યા

    10 hours ago

    આવકવેરા વિભાગે ડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરના કરદાતાઓને એડવાન્સ ટેક્સ સંબંધિત ઇ-ઝૂંબેશ શરૂ કરી છે. વિભાગ દ્વારા અનેક કરદાતાઓને ઇ-મેલ મોકલી તેમની નાણાકીય માહિતીના આધારે એડવાન્સ ટેક્સની જવાબદારીની સમીક્ષા કરવા યાદ અપાવવામાં આવી છે. વિભાગ દ્વારા મોકલાયેલા ઇ-મેલમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) હેઠળ નોંધાયેલા ટર્નઓવર, ખરીદી અને અન્ય નોંધપાત્ર નાણાકીય વ્યવહારોની વિગતો દર્શાવવામાં આવી છે. આ માહિતી વિવિધ ડેટા સ્ત્રોતોમાંથી એકત્રિત કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તેમાં GST રિટર્ન ફાઇલિંગ, નાણાકીય વ્યવહારના રેકોર્ડ અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. આ સંદેશાવ્યવહારનો મુખ્ય હેતુ કરદાતાઓને માર્ચ મહિનાની સમયમર્યાદા પહેલાં તેમની એડવાન્સ ટેક્સ જવાબદારીનું પુનર્મૂલ્યાંકન કરવા પ્રોત્સાહિત કરવાનો છે. વિભાગ ઈચ્છે છે કે જો કોઈ બાકી રકમ હોય તો તે નિર્ધારિત સમયમર્યાદામાં ચૂકવવામાં આવે અને પછી વ્યાજ અથવા દંડની સ્થિતિ ઊભી ન થાય. કર અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પહેલ ડેટા એનાલિટિક્સ અને માહિતી એકીકરણના વધતા ઉપયોગનો ભાગ છે. વિભાગ હવે વિવિધ સ્ત્રોતમાંથી મળતી માહિતીનું વિશ્લેષણ કરીને કરદાતાઓને સમયસર યાદ અપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી સ્વૈચ્છિક પાલન વધે. આવકવેરા વિભાગ દ્વારા વિભાગ દ્વારા અનેક કરદાતાઓને ઇ-મેલ મોકલી તેમની નાણાકીય માહિતીના આધારે એડવાન્સ ટેક્સની જવાબદારીની સમીક્ષા કરવા યાદ અપાવી છે. કર ક્ષેત્રના નિષ્ણાતો અને વ્યાવસાયિકોએ આ પગલાનું સ્વાગત કર્યું છે. તેમના મતે, આવા લક્ષિત રીમાઇન્ડર કરદાતાઓને નાણાકીય ડેટાની અગાઉથી સમીક્ષા કરવાની તક આપે છે. જો ઓછો એડવાન્સ ટેક્સ ચૂકવાયો હોય તો સુધારો કરીને વ્યાજ કે દંડથી બચી શકાય છે. કેટલાક નિષ્ણાતોએ સંદેશાવ્યવહારના સમય અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા કરદાતાઓને 13 માર્ચની સાંજે આ ઇ-મેલ મળ્યા હોવાના અહેવાલ છે, એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તા.15 માર્ચ છે. વચ્ચે સપ્તાહાંત હોવાથી કરદાતાઓને માહિતીનું વિશ્લેષણ કરવા અને વધારાની ચુકવણીની વ્યવસ્થા માટે ઓછો સમય મળી શકે છે. ભાસ્કર એક્સપર્ટ ડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરમાં ઝૂંબેશ ઇ-મેલમાં દર્શાવાયેલ ઊંચો GST ટર્નઓવર અથવા મોટા નાણાકીય વ્યવહારો આપમેળે એડવાન્સ ટેક્સ ચૂકવવાની ફરજ ઉભી કરતા નથી. જો કરદાતાને કરપાત્ર નફો હોય, TDS અથવા TCS ક્રેડિટ બાદ ચોખ્ખી કર જવાબદારી ₹10,000થી વધુ હોય ત્યારે જ એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી બને છે.આવકવેરા વિભાગે ડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરના કરદાતાઓને એડવાન્સ ટેક્સ સંબંધિત ઇ-ઝૂંબેશ શરૂ કરી છે. - સુનય જરીવાલા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:બપોરે તાપમાન 3.6 ડિગ્રી ઘટીને 35.6 ડિગ્રી થઇ ગયુ
    Next Article
    સન્ડે બિગ સ્ટોરી:હુમલાગ્રસ્ત જહાજો અલંગ માટે આફતમાં અવસર બની શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment