Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજનાથે કહ્યું- ઓપરેશન સિંદૂર અમારી મરજીથી રોક્યું:ન્યુક્લિયર હુમલાથી ડર્યા નથી; ભારત ITનું હબ જ્યારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ ટેરરિઝમનું

    15 hours ago

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે ભારતે ઓપરેશન સિંદૂરને પોતાની મરજી અને પોતાની શરતો પર રોક્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે જો જરૂર પડી તો દેશ પાકિસ્તાન વિરુદ્ધ લાંબી લડાઈ માટે સંપૂર્ણપણે તૈયાર છે. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન તરફથી પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ ભારત તેનાથી ડર્યું નહીં. તેમણે કહ્યું કે ભારતીય સેનાની સર્જ કેપેસિટી (અચાનક તાકાત વધારવાની ક્ષમતા) પહેલા કરતા વધુ મજબૂત છે. રાજનાથે કહ્યું- ભારત આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) માટે જાણીતું છે જ્યારે પાકિસ્તાનને "IT એટલે કે ઇન્ટરનેશનલ ટેરરિઝમ"નું કેન્દ્ર માનવામાં આવે છે. રાજનાથે કહ્યું- આતંકવાદનું મૂળ તેની વિચારધારા સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર એક ટર્નિંગ પોઈન્ટ હતું, જેણે દુનિયાને બતાવ્યું કે ભારત હવે માત્ર નિવેદનો આપનારો દેશ નથી, પરંતુ સીધી કાર્યવાહી કરે છે. રક્ષા મંત્રીએ કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં સરકારની નીતિ સ્પષ્ટ છે. દેશમાં કોઈપણ આતંકી હુમલાને સહન કરવામાં આવશે નહીં. જરૂર પડ્યે કડક અને સીધી કાર્યવાહી કરવામાં આવશે. આતંકવાદનું મૂળ તેની વિચારધારા અને રાજકીય સમર્થનમાં હોય છે. તેને ખતમ કર્યા વિના આતંકવાદ સંપૂર્ણપણે ખતમ કરી શકાતો નથી. ઓપરેશન સિંદૂરમાં 9 આતંકી ઠેકાણાં ઉડાવી દીધા હતા રક્ષા મંત્રીએ જણાવ્યું કે ગયા વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. ઓપરેશન 7 મે 2025 ના રોજ શરૂ થયું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoJK માં આતંકી ઠેકાણાંને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાનમાં 9 મોટા લોન્ચપેડ ઉડાવી દેવામાં આવ્યા હતા અને 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ---------------------------- આ સમાચાર પણ વાંચો… 'ભારત દરેક સંકટનો સામનો કરવામાં સક્ષમ છે':રક્ષામંત્રી રાજનાથ બોલ્યા- ગલ્ફ વોરની દેશ પર અસર નહીં લખનઉમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે લક્ષ્મણ મંડપમ સહિત 58.279 કરોડની વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું. રાજનાથે કહ્યું- ભાજપ સરકારના શાસનકાળ દરમિયાન દેશમાં કોઈ મોટું સંકટ ઊભું થવા દેવામાં આવશે નહીં. કોવિડ જેવા મોટા વૈશ્વિક સંકટનો ભારતે મજબૂતીથી સામનો કર્યો હતો. તેવી જ રીતે વર્તમાન પરિસ્થિતિઓનો સામનો કરવાની ક્ષમતા દેશમાં છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ એરલાઇન્સે માફી માગતા ભોજપુરી સ્ટારની ટીખળ:ખેસારી લાલ યાદવે કહ્યું, 'ભારે અંગ્રેજી સમજાતી નથી'; ભારતનો ખોટો નકશો દેખાડતા વિવાદ થયો હતો
    Next Article
    પ્રેમીને જોઈને લગ્નના સ્ટેજ પરથી દોડી કન્યા, VIDEO:છિંદવાડામાં વરરાજાની સામે બોયફ્રેન્ડના ગળામાં વરમાળા પહેરાવી; વર-વધૂ પક્ષ વચ્ચે મારામારી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment