Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેન્જ IG બન્યા બાદ પ્રથમવાર નિર્લિપ્ત રાય મોરબી પહોંચ્યા:અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી, અસામાજિક તત્વો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી કડક કાર્યવાહીની સૂચના

    1 day ago

    રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે મોરબી જિલ્લા પોલીસ વડાની કચેરીની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં સતત વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાઓને ડામવા માટે તેમણે પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક રાજકોટ રેન્જ IG તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયે મોરબી જિલ્લા એસપી કચેરીના સભાખંડમાં મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા (SP) મુકેશકુમાર પટેલ, DySP જે.એમ. આલ, સમીર સારડા, વિરલ દલવાડી અને કે.પી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત LCB PI, SOG PI સહિત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના PI પણ હાજર રહ્યા હતા. ગુનાખોરી પર લગામ લગાવવા આદેશ છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને ચોરી જેવી ગંભીર ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને ગંભીરતાથી લેતા રેન્જ IGએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં કાયદાનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. તેમણે અસામાજિક તત્વો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી તેમની પર તૂટી પડવા પોલીસને આદેશ આપ્યા છે. આગામી સમયમાં આકરા પગલાંના સંકેત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક બાદ મોરબી પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો અને લુખ્ખાઓ સામે મોટા પાયે ડ્રાઈવ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. રેન્જ IGની આ સીધી સૂચના બાદ હવે મોરબી પોલીસ ગુનેગારો સામે કેવા અને કેટલા આકરા પગલાં ભરે છે, તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    નોટિસ-નમૂનાની કામગીરી કરી તંત્રએ સંતોષ માન્યો:રાજકોટમાં ખાણીપીણીની મુખ્ય બજારમાંથી પણ ફૂડ વિભાગને માત્ર 7 કિલો વાસી ખોરાક મળ્યો, શુદ્ધ ઘી, પંજાબી સબ્જીની ગ્રેવી અને સાંભારનાં નમુના લેવાયા
    Next Article
    પાલનપુરમાં મેગા રોજગાર મેળો: 506 જગ્યાઓ માટે ભરતી:17 માર્ચે 18-30 વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે; વિઠલાપુર, સાણંદ અને અંજારની કંપનીઓ ઉપસ્થિત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment