Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યૂટ્યુબર અનુરાગ ડોભાલની તબિયતમાં સુધારો:અકસ્માત પછી ICUમાંથી બહાર; લાઇવ વીડિયોમાં કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

    9 hours ago

    UK07 રાઇડર નામથી પ્રખ્યાત યુટ્યુબર અનુરાગ ડોભાલની તબિયતમાં સુધારો છે. દિલ્હી-દેહરાદૂન હાઈવે પર થયેલા કાર અકસ્માત બાદ હવે તેમને ICUમાંથી બહાર શિફ્ટ કરવામાં આવ્યો છે. અનુરાગના મેનેજર અને તેની પત્નીએ સોશિયલ મીડિયા પર હેલ્થ અપડેટ શેર કર્યું છે. ‘બિગ બોસ 17’ના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા રાઇડર અનુરાગ ડોભાલે ઇન્સ્ટાગ્રામ પર લાઇવમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત પહેલાં જ અનુરાગે પોતાના પરિવાર પર માનસિક ત્રાસના ગંભીર આરોપો લગાવ્યા હતા. મેનેજર બોલ્યો- અમે ચોવીસ કલાક સાથે છીએ અનુરાગના મેનેજર રોહિત પાંડેએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ચાહકોને જાણકારી આપી કે યુટ્યુબરની હાલત હવે પહેલા કરતા સારી છે. તેમણે હોસ્પિટલમાંથી એક ફોટો શેર કરતા લખ્યું, 'અનુરાગ ભાઈ હવે ICU માંથી બહાર આવી ગયા છે. અમે ચોવીસ કલાક તેની સાથે છીએ અને તે જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છીએ.' પરિવાર પર ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો આ વિવાદની શરૂઆત થોડા દિવસો પહેલા થઈ હતી જ્યારે અનુરાગે ઇન્સ્ટાગ્રામ પર ઘણી ભાવનાત્મક પોસ્ટ કરી હતી. 3 માર્ચે તેણે લખ્યું હતું કે તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. અનુરાગે વીડિયોમાં દાવો કર્યો હતો, મારાથી મારો પરિવાર, પૈસા અને સંબંધો બધું છીનવી લેવામાં આવ્યું છે. જો મને કંઈ થાય છે, તો તેના માટે મારા મમ્મી, પપ્પા અને ભાઈ જવાબદાર હશે. ‘સોશિયલ મીડિયા પર બધું સાચું નથી હોતું’ અનુરાગની પત્ની રિતિકા ચૌહાણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે લોકોને ચેતવણી આપતા લખ્યું, 'સોશિયલ મીડિયા પર જે દેખાય છે, તે હંમેશા સાચું નથી હોતું. અહીં લોકો બસ થોડા દિવસ ચર્ચા કરે છે અને પછી આગળ વધી જાય છે. ખરા અર્થમાં એ જરૂરી છે કે તમે સોશિયલ મીડિયાની બહાર તમારી જિંદગી કેવી રીતે જીવો છો અને લોકો સાથે તમારો વ્યવહાર કેવો છે.'
    Click here to Read More
    Previous Article
    LPG સંકટઃ પંજાબમાં સિલિન્ડર લઈને લોકો ભાગ્યા:દિલ્હીમાં કોંગ્રેસનું ચૂલો લઈને પ્રદર્શન; રાજસ્થાનમાં સિલિન્ડરની અંતિમયાત્રા કઢાઈ
    Next Article
    ઈરાની નેવીએ કહ્યું-હોર્મુઝમાંથી પસાર થતા જહાજો અમારી સાથે વાત કરે:અહીંથી રોજ 130 જહાજો પસાર થાય છે; દાવો-અમેરિકી એરક્રાફ્ટ કેરિયર પર મિસાઈલ હુમલો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment