Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલની ધરપકડ:બંગાળ ચૂંટણીના 10 દિવસ પહેલા ED દ્વારા કોલસા કૌભાંડમાં કાર્યવાહી; TMC બોલી- આનાથી ડરનો માહોલ બને છે

    9 hours ago

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના 10 દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ I-PAC ના ડિરેક્ટર અને સહ-સ્થાપક વિનેશ ચંદેલની ધરપકડ કરી છે. તેમને કોલસા કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોમવારે સાંજે દિલ્હીમાં પકડવામાં આવ્યા. ED ની આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય કન્સલ્ટન્સી ફર્મ I-PAC મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે ચૂંટણી રણનીતિ બનાવે છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે ચૂંટણીના 10 દિવસ પહેલા થયેલી આ કાર્યવાહી નિષ્પક્ષ ચૂંટણી પર સવાલ ઉઠાવે છે. તેમનો આરોપ છે કે ચૂંટણી પંચ અને ED, NIA, CBI જેવી એજન્સીઓની ચૂંટણી જેવા સંવેદનશીલ સમયે કાર્યવાહીથી ડરનો માહોલ બને છે, નિષ્પક્ષતાનો નહીં. બેનર્જીએ કહ્યું- અમિત શાહ અને BJP, જ્ઞાનેશ કુમાર અને પોતાની દરેક એજન્સી સાથે 4-5 મેના રોજ બંગાળ આવે. બંગાળ ન ડરશે, ન ચૂપ રહેશે અને ન ઝૂકશે. અહીં દબાબનો જવાબ વિરોધથી આપવામાં આવે છે. 2 એપ્રિલ: ED એ ચંદેલના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા તપાસ એજન્સીએ દિલ્હીમાં વિનેશ ચંદેલના ઠેકાણાઓ ઉપરાંત બેંગલુરુમાં I-PAC ના બીજા કો-ફાઉન્ડર અને ડિરેક્ટર ઋષિ રાજ સિંહ, મુંબઈમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કમ્યુનિકેશન ઇન્ચાર્જ વિજય નાયરના ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા હતા. વિનેશ ચંદેલ I-PAC ના મુખ્ય ચહેરાઓમાંથી એક છે અને આ રાજકીય કન્સલ્ટન્સી ફર્મના સ્થાપકોમાં સામેલ છે. તેમણે પ્રશાંત કિશોર, પ્રતીક જૈન અને ઋષિરાજ સિંહ સાથે મળીને આ કંપનીનો પાયો નાખ્યો હતો. હવે આખો મામલો સમજો 8 જાન્યુઆરીના રોજ EDની ટીમે પ્રતીક જૈનના કોલકાતાના લાઉડન સ્ટ્રીટ સ્થિત ઘર અને બીજી ટીમે સોલ્ટલેક સ્થિત ઓફિસ પર દરોડા પાડ્યા હતા. પ્રતીક જૈન જ મમતા બેનર્જી માટે રાજકીય વ્યૂહરચના તૈયાર કરે છે. કાર્યવાહી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ હતી, પરંતુ લગભગ 11:30 વાગ્યા પછી મામલો ગરમાયો. સૌથી પહેલા કોલકાતા પોલીસ કમિશનર પ્રતીકના નિવાસસ્થાને પહોંચ્યા. થોડા સમય પછી સીએમ મમતા બેનર્જી પોતે લાઉડન સ્ટ્રીટ સ્થિત તેમના ઘરે પહોંચી ગયા. મમતા ત્યાં થોડીવાર રોકાયા. જ્યારે બહાર નીકળ્યા, ત્યારે તેમના હાથમાં એક લીલી ફાઇલ દેખાઈ. આ પછી તેઓ I-PACની ઓફિસે પણ ગયા. તેમણે કહ્યું હતું કે - ગૃહમંત્રી મારી પાર્ટીના દસ્તાવેજો ઉઠાવી રહ્યા છે. EDએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં 6 અને દિલ્હીમાં 4 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. રેડ દરમિયાન CM મમતા ફાઈલો લઈને નીકળી ગયા હતા સર્ચ ઓપરેશન દરમિયાન, CM મમતા બેનર્જી અન્ય TMC નેતાઓ સાથે I-PAC ઓફિસ પહોંચ્યા. ત્યારબાદ ઘણો હોબાળો થયો. મમતા ઓફિસમાંથી ઘણી ફાઈલો લઈને બહાર નીકળ્યા અને મીડિયા સાથે વાત કરી. મુખ્યમંત્રીએ કેન્દ્રીય એજન્સી પર વધુ પડતી દખલગીરીનો આરોપ લગાવ્યો. પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે I-PAC પાર્ટીના ચૂંટણી રણનીતિકાર તરીકે કામ કરે છે અને વિધાનસભા ચૂંટણી પહેલા ED એ ગુપ્ત ચૂંટણી રણનીતિ સંબંધિત માહિતી મેળવવા માટે રેડ પાડી. I-PAC રેડ કેસ: 2,742 કરોડનો મની લોન્ડરિંગ કેસ I-PAC એટલે કે ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી એક પોલિટિકલ કન્સલ્ટન્સી કંપની છે. તે રાજકીય પક્ષો માટે મોટા પાયે ચૂંટણી પ્રચારનું કામ કરે છે. કંપની અને તેના ડિરેક્ટર પ્રતીક જૈન પર કરોડો રૂપિયાના કોલસા ચોરી કૌભાંડમાં મની લોન્ડરિંગનો આરોપ છે. CBIએ આ મામલે 27 નવેમ્બર 2020ના રોજ FIR નોંધી હતી. આખો મામલો ₹2,742 કરોડના મની લોન્ડરિંગ સાથે સંકળાયેલો છે. આરોપ છે કે ₹20 કરોડ હવાલા દ્વારા I-PAC સુધી ટ્રાન્સફર થયા હતા. EDએ 28 નવેમ્બર 2020ના રોજ તેની તપાસ શરૂ કરી હતી. 8 જાન્યુઆરી 2026ના રોજ EDએ કોલકાતામાં I-PAC અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. EDએ સત્તાના દુરુપયોગની CBI તપાસની માંગ કરી ED એ આ મામલાને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડતા મુખ્યમંત્રી દ્વારા કથિત સત્તાના દુરુપયોગની CBI તપાસની માંગ પણ કરી છે. આ મામલો હાલમાં અદાલતમાં વિચારણા હેઠળ છે. ED એ આરોપ લગાવ્યો હતો કે તપાસ સંબંધિત દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાજ્ય પ્રશાસનની હાજરીમાં ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા, જેનાથી એજન્સીની કાર્યવાહીમાં અવરોધ ઊભો થયો. જ્યારે TMC અને રાજ્ય સરકારે આ આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે ED ચૂંટણી પહેલા I-PAC ની ચૂંટણી રણનીતિ સંબંધિત દસ્તાવેજો મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. ન્દ્રમાં તમારી સરકાર હોત અને કોઈ રાજ્ય આવી કાર્યવાહી કરત તો તમારું વલણ શું હોત. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Are Stock Markets, Commodity Markets, Banks Closed Today For Ambedkar Jayanti?
    Next Article
    આજે CM પદ પરથી રાજીનામું આપશે નીતિશ કુમાર:તે પહેલાં છેલ્લી કેબિનેટ બેઠક બોલાવી; 4 વાગ્યે બિહારના નવા CMની જાહેરાત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment