Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારી-રૂપેણ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા હજારો માછલીઓના મોત:પશુપાલકો અને ખેડૂતો પરેશાન, GPCBએ પાણીના સેમ્પલ લીધા

    2 days ago

    બહુચરાજી તાલુકામાં રૂપેણ નદીને મળતી ખારી નદીમાં મહેસાણા વિસ્તારના કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવી રહેલા કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે પર્યાવરણ અને જનજીવન પર ગંભીર સંકટ સર્જાયું છે. નદીનું પાણી કાળા શાહી જેવું થઈ જતાં અને અસહ્ય દુર્ગંધ ફેલાવાના કારણે હજારો માછલીઓ સહિતના જળચર જીવોના મોત નીપજ્યા છે. આ આખી ઘટનાની ગંભીરતા જોઈને મોઢેરા પંથકના બે જાગૃત ખેડૂત યુવાનોએ 25 કિલોમીટર સુધી પગપાળા તપાસ કરીને પ્રદૂષિત પાણી છોડતા નાળાં અને કરસનપુરા નજીક આવેલી સંબંધિત કેમિકલ કંપની શોધી કાઢી હતી. નદીનું પાણી દૂષિત થતા પશુપાલકો પરેશાન લુવા, ધારપુરા, દેલવાડા, સુજાણપુરા, તારપુરા, એડલા અને વેલાકુ સહિતના આશરે 50 જેટલા ગામો આ નદીના પાણી પર નિર્ભર છે. હાલ ઉનાળુ પાકને પિયતની સખત જરૂરિયાત છે ત્યારે જ નદીમાં ઝેરી પાણી આવી જતાં ખેડૂતોના ઊભા પાક સુકાવા લાગ્યા છે. સુજાણપુરા ગામના ખેડૂતોને પિયત દરમિયાન પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પંથકમાં મોટાભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી, પશુઓ માટે પણ પીવાના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે. ઝેરી કેમિકલની તીવ્ર ગંધના કારણે પશુઓ પાણીથી દૂર ભાગી રહ્યા છે અને આ દૂષિત પાણી પીવાથી અનેક પશુઓ બીમાર પડ્યા હોવાના અહેવાલ છે. 15 દિવસથી કાળું અને દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનાથી નદીમાં થોડું ખરાબ પાણી આવી રહ્યું હતું, પરંતુ છેલ્લા 15 દિવસથી અત્યંત ઝેરી અને કાળું પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી કિનારાના ખેતરોમાં રહેતા પરિવારોના નાના બાળકો અને વડીલોને આ પાણીના સંપર્કમાં આવવાથી પગમાં અસહ્ય ખંજવાળ અને ચામડીના રોગો થઈ રહ્યા છે, જેના કારણે ગ્રામજનો દવાઓ લેવા મજબૂર બન્યા છે. GPCBએ પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી આ બાબતે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીના સેમ્પલ લીધા છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે કુદરતી જળસ્ત્રોતોને નુકસાન પહોંચાડતી જવાબદાર કંપનીઓ સામે સરકાર કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરે અને આ કેમિકલયુક્ત પાણી તાત્કાલિક બંધ કરાવવામાં આવે. સાથે જ નદીમાં જમા થયેલો ઝેરી ક્ષાર ધોવાઈ જાય તે માટે મુખ્ય કેનાલમાંથી નર્મદાનું શુદ્ધ પાણી છોડવામાં આવે જેથી મૂંગા પશુઓ અને ખેડૂતોને મોટી રાહત મળી શકે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વેપારી અગ્રણી દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ:ગરમીમાં રાહત અને વરુણ દેવને રીઝવવા અનોખો પ્રયાસ
    Next Article
    Junagadh Education Department | જુનાગઢમાં સ્કૂલ અને કોલેજ ગયા વગર પાસ કરી આપવાનો દાવો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment