Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચીન GIDC હત્યા કેસ, પુરાવાના અભાવે 4 આરોપીને છૂટકારો:ચર્ચાસ્પદ રામુની હત્યાના કેસમાં પંચ સાહેદો ફરી જતાં કેસ નબળો પડ્યો, સેશન્સ કોર્ટેનો આદેશ

    11 hours ago

    સુરતના સચીન GIDC વિસ્તારમાં વર્ષ 2023માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરતા અશોકકુમાર ઉર્ફે રામુ કનોજીયાની હત્યાના આરોપમાં પકડાયેલા ચાર યુવકોને સુરતની સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. બચાવ પક્ષના વકીલોની ધારદાર દલીલો અને મુખ્ય સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસને પગલે કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી જેલમુક્ત કરવાનો આદેશ કર્યો છે. શું હતી સમગ્ર ઘટના? માર્ચ 2023નો એ લોહિયાળ કિસ્સો આ ઘટનાની વિગતો મુજબ, 13 માર્ચ 2023ના રોજ રાત્રિના સમયે સચીન GIDC રોડ નંબર 3 પર આવેલા શ્રીરામ વે બ્રીજ પાસે લોહીલુહાણ હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ અશોકકુમાર ઉર્ફે રામુ કનોજીયા તરીકે થઈ હતી, જે સ્થાનિક લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. 14 માર્ચની સવારે જ્યારે તેમનો મૃતદેહ રસ્તાના કિનારે પડ્યો હોવાની જાણ થઈ, ત્યારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકના ભાઈ જીતેશકુમારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં અજાણ્યા શખ્સો સામે હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરીને 4 આરોપીની ધરપકડ કરી હતી ઘટનાની ગંભીરતાને જોતા સચીન GIDC પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે અશોકકુમારના શરીર પર નાની-મોટી અનેક ઈજાઓ હતી, જે બોથડ પદાર્થ અથવા હુમલાને કારણે થઈ હોવાનું અનુમાન હતું. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની માહિતીના આધારે પોલીસે કરણસિંગ ઉર્ફે રાની, મૈયાદીન ઉર્ફે બટકા, અનંત ઉર્ફે આનંદ માંજી અને કેશનપાલ ઉર્ફે પંડીત નામના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસનો દાવો હતો કે આ ચારેય આરોપીઓએ અંગત અદાવત અથવા સામાન્ય ઝઘડામાં અશોકકુમારને મોતને ઘાટ ઉતાર્યો હતો. મુખ્ય સાક્ષી જુબાનીમાં ફરી ગયા હતા કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ (સરકાર પક્ષ) દ્વારા અનેક પંચ સાહેદો અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, કેસ ત્યારે નબળો પડ્યો જ્યારે નજરે જોનાર હોવાનું મનાતા મુખ્ય સાક્ષી ગીરજાશંકર પોતાની જુબાનીમાં ફરી ગયા હતા. ગીરજાશંકરે પોલીસને આપેલા અગાઉના નિવેદનને કોર્ટમાં સમર્થન આપ્યું ન હતું. આ ઉપરાંત, અન્ય પંચ સાહેદો પણ બનાવ કેવી રીતે બન્યો અને કોણે હત્યા કરી તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યા ન હતા. ફરિયાદી પક્ષ આરોપીઓ વિરુદ્ધ મજબૂત સાંકળ બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. 'કેસ સાબિત કરવા માટે પુરાવા અપૂરતા' આ કેસમાં બચાવ પક્ષે વકીલ રિધ્ધિશ મોદી, મુકુંદ રામાણી અને આર.જી. પારેખ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસ પાસે આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ નક્કર વૈજ્ઞાનિક કે સંજોગોવસાત પુરાવા નથી. પોલીસે માત્ર શંકાના આધારે આ નિર્દોષ યુવાનોની ધરપકડ કરી છે. વકીલોએ રજૂઆત કરી હતી કે જ્યારે મુખ્ય સાક્ષીઓ જ બનાવને સમર્થન નથી આપી રહ્યા અને પંચનામાની વિગતોમાં પણ વિસંગતતા છે, ત્યારે આરોપીઓને સજા આપી શકાય નહીં. બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે સ્વીકાર્યું કે કેસ સાબિત કરવા માટે પુરાવા અપૂરતા છે. એક વર્ષથી જેલમાં બંધ ચારેય યુવકો છૂટકારો બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરતની અદાલતે અવલોકન કર્યું હતું કે ફોજદારી ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત મુજબ જ્યાં સુધી ગુનો નિશંકપણે સાબિત ન થાય ત્યાં સુધી કોઈને દોષિત ઠેરવી શકાય નહીં. આ કેસમાં સાક્ષીઓ ફરી જવાથી અને પુરાવાની કડીઓ તૂટી જવાથી ફરિયાદી પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. પરિણામે, અદાલતે ચારેય આરોપીઓ - કરણસિંગ, મૈયાદીન, અનંત અને કેશનપાલને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવાનો હુકમ કર્યો છે. આ ચુકાદા સાથે જ એક વર્ષથી જેલમાં બંધ ચારેય યુવકોના છુટકારાનો માર્ગ મોકળો થયો છે.
    Click here to Read More
    Previous Article
    વડગામ બાળક અપહરણ કેસમાં મુરુગન ગેંગ ઝડપાઈ:દિલ્હી, તેલંગાણા સહિત 4 રાજ્યના બાળક વેચાયા, બનાસકાંઠા પોલીસે આંતરરાજ્ય બાળતસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો
    Next Article
    Mehsana Violence Before Elections | મહેસાણામાં પ્રચાર કરવા ગયેલા ભાજપ કાર્યકરો પર પથ્થરમારો|News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment