Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'EVMમાં ગોટાળો નહીં થાય ત્યાં અમે ચૂંટણી જીતીશું':કનૈયા કુમારે સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું- દેશમાં ડિજિટલ પ્રચારની વાતો પણ ગુજરાત વિધાનસભાનું જ રેકોર્ડિંગ કરવામાં આવતું નથી

    12 hours ago

    અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ સંવિધાન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના CWC સભ્ય કનૈયા કુમાર હાજર રહ્યા હતા. અગાઉ બહેરામપુરા ખાતે યોજાનાર આ કાર્યક્રમને પોલીસે આપેલી પરમિશન અચાનક રદ કરતાં અંતે સ્થળ બદલવું પડ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે યોજાયેલી આ સભામાં કનૈયા કુમારે કેન્દ્ર સરકાર અને ભાજપ પર તીખા પ્રહાર કરતા EVM, ED, લોકશાહી અને ગુજરાત મોડલ જેવા મુદ્દાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. આખરે રાજીવ ગાંધી ભવન પર જ સંવિધાન સંકલ્પ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું અચાનક જ પોલીસ પરમિશન રદ કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા કારણ કે, જાહેર સભાની સાથે સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આખરે રાજીવ ગાંધી ભવન પર જ સંવિધાન સંકલ્પ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યાં કનૈયા કુમારનું ઢોલ નગારા સાથે કોંગ્રેસના અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાના પ્રવાસ શરૂ જતા રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર તે પહેલા જ રાષ્ટ્રીય નેતાના પ્રવાસ શરૂ થયા છે. જેથી રાજીવ ગાંધી ભવન પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો હતો. ગુજરાત મોડલ બિહારમાં લાગુ કરવામાં આવ્યું CWC સભ્ય કનૈયા કુમારે જણાવ્યું હતું કે, ગુજરાત મોડલ બિહારમાં લાગુ કરવામાં આવ્યું છે. શાંતિપૂર્વક બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું રાજીનામુ લેવામાં આવ્યું ત્યારે મને વિજય રૂપાણીની યાદ આવી ગઈ હતી. જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી રિમોટ અમિત શાહના હાથમાં છે. જે લોકો પાસે ED અને CD છે તે લોકો પાસે જ રિમોટ છે. જે મોડલ અમદાવાદમાં છે તે જ પટનામાં લાગુ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જગ્યાએ વિદેશમાં વધારે રહે છે. અમારું કાર્યક્રમનું આયોજન પણ પોલીસ દ્વારા કેન્સલ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબ ગયા ત્યારે કહેતા હતા કે મને પંજાબ આવીને ડર લાગે છે. ‘EVMમાં ગોટાળો નહીં થાય ત્યાં અમે ચૂંટણી જીતીશું’ સરકાર પર પ્રહાર કરતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે, જો કે હવે તેમણે અમદાવાદ આવતા પણ ડર લાગી રહ્યો છે. જ્યાં EVM માં ગોટાળો નહીં થાય ત્યાં અમે ચૂંટણી જીતીશું. ત્રણ ત્રણ વખત પ્રધાનમંત્રી બન્યા છે છતાં પણ ઘૂસણખોરને બહાર કાઢી નથી શક્યા. દેશની સુરક્ષા કરવાનું કામ જય શાહના પિતાનું છે. આતો એવી બાબત થઈ ગઈ કે જેની સુરક્ષામાં દૂધ રાખવામાં આવ્યું હતું તે એવું કહે છે કે દૂધની ચોરી થઈ ગઈ છે. દેશમાં જો ઘૂસણખોરી થઈ ગઈ છે તો તેના માટે કેન્દ્ર સરકાર જ જવાબદાર છે. પરંતુ તેમના મિત્રને સંપતિમાં જે ઘૂસણખોરી કરાવી છે તે લોકોને દૂર કરવા જોઈએ. એવું તો ધારાસભ્ય શું કરે છે કે વિધાનસભાનું રેકોર્ડિંગ કરવામાં આવતું નથી વધુમાં કનૈયા કુમારે જણાવ્યું હતું કે, કાર્યક્રમની પરમિશન રદ કરવામાં આવતા કાર્યક્રમ રાજીવ ગાંધી ભવન પર કરવો પડી રહ્યો છે. સંવિધાન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં સંવિધાનની શું સ્થિતિ છે તેને લઈને વાત કરવા માટે આવ્યો છું. તમામ જગ્યાએ સરકાર ભાજપની છે. પ્રધાનમંત્રી મોદી આખા દેશમાં ડિજિટલ પ્રચારની વાતો કરે છે. પરંતુ ગુજરાત વિધાનસભાનું રેકોર્ડિંગ કરવામાં આવતું નથી. એવું તો ધારાસભ્ય શું કરે છે કે તેનું રેકોર્ડિંગ કરવામાં આવતું નથી. અત્યારે રોજ ભાજપના એક બાદ એક નેતાની CD આવી રહી છે. મહિલાઓ સુરક્ષિત હોવાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવે છે. અમારા ત્યાં ઉંદર દારૂ પીવે છે કે તમારા ત્યાં ઉંદર ડ્રગ્સ ખાય છે. અવારનવાર પોર્ટ પર ડ્રગ્સ પકડાય છે. કેટલો હાઈફાઈ ઉંદર હશે કે ગુજરાતમાં પકડાયેલુ ડ્રગ્સ ખાઇ જાય છે. 'અમને પણ ED અને CD આપવામાં આવે તો અમારાથી મોટું ડોન બીજું કોઈ નહીં' ED અને CD ને લઈને કનૈયા કુમારે જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો તે લોકોને શ્રદ્ધાંજલિ આપું છું. પાકનો પૂરતો ભાવ ન મળતા ખેતરમાં વૃક્ષ પર લટકીને આત્મહત્યા કરનાર ખેડૂતોને પણ શ્રદ્ધાંજલિ આપું છું. જેના પર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી રહી છે એવી મહિલાઓને પણ શ્રદ્ધાંજલિ આપું છું. જનરલ ડાયર જેવા લોકો ગોડસેની વિચારધારા ઊભા છે અને આપણે ગાંધીજીની વિચારધારા સાથે ઊભા છીએ. જે લોકો ડરેલા છે એ લોકો જ બીજાને ડરાવી રહ્યા છે. એક વખત જો આપણે ડરવાનું છોડી દઈશું તો તે લોકો માફી માંગતા જોવા મળશે. મોટાભાઈ મોટાભાઈ કરીને આવ પેદા કરવામાં આવી રહ્યો છે પરંતુ, જો અમને પણ ED અને CD આપવામાં આવે તો અમારાથી મોટું ડોન બીજું કોઈ નહીં હોઈ શકે. ‘જો અમે ખતમ જ થઈ ગયા છીએ તો પછી અમારાથી ડર કઈ વાતનો લાગે છે’ વધુમાં કનૈયા કુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ આવીને પ્રધાનમંત્રી મોદીને સીધો સવાલ કરીએ છીએ. તમે તો કહેતા હતા કે મને પંજાબમાં ડર લાગે છે પરંતુ તમને તો હવે અમદાવાદમાં પણ ડર લાગી રહ્યો છે. અમારા કાર્યક્રમની પરમિશન કેમ કેન્સલ કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે. એક તરફ ભાજપ એવું કહે છે કે, કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે. જો અમે ખતમ જ થઈ ગયા છીએ તો પછી અમારાથી ડર કઈ વાતનો લાગી રહ્યો છે. નાગરિકો ભાજપની લાકડી થી ડરવાનો બંધ ન કરી દે તેનો ભાજપને ડર લાગી રહ્યો છે. દબાવ બનાવવા માટે પહેલા ગુજરાતના ભાજપના નેતાઓ નો વિડીયો આવતો હતો હવે મહારાષ્ટ્રના ભાજપના નેતાઓ નો વિડીયો સામે આવી રહ્યો છે. તેમજ આ પ્રકરણમાં મહારાષ્ટ્રની મહિલા આયોગની અધ્યક્ષ પણ સામેલ છે. મહિલા આયોગની અધ્યક્ષ જો આ બધા રેકેટમાં સામેલ હોય તો પછી મહિલાઓની સુરક્ષા કઈ રીતે થશે? ગુજરાત અવવલ રાજ્ય છે પરંતુ 100માંથી 38 બાળકો કુપોષિત પેદા થાય છે ગુજરાત મોડલને લઈને કનૈયા કુમારે જણાવ્યું હતું કે, અરે અમારી પાસે એવો પાવર થોડી છે કે અલગ-અલગ યુનિવર્સિટીમાં કોલેજોમાં અને શાળાઓમાં બસ મોકલીને વિદ્યાર્થીઓને બોલાવી દઈશું. વડાપાવ આપીને અમે થોડી ભીડ ભેગી કરી શકવાના હતા. 400 લોકો ભેગા કરીને અમારી વાત રજૂ કરવાના હતા અને આ કેવો ગુજરાતમાં તો અતિથિ દેવો ભવ માનવામાં આવે છે અમારા ત્યાં તમે આવ્યા તો અમે તમને સાંસદ બનાવીને મોકલ્યા હતા અને તમે અમદાવાદમાં એક કાર્યક્રમ પણ થવા દેતા નથી. એવો દાવો કરવામાં આવે છે કે, ગુજરાત અવવલ રાજ્ય છે પરંતુ 100માંથી 38 બાળકો કુપોષિત પેદા થાય છે. જો આટલા બધા બાળકો કુપોષિત પેદા થતા હોય તો વિકાસ કોના માટે થઈ રહ્યો છે ? મહિલાઓ સુરક્ષિત નથી દેશમાં સૌથી વધુ RTE એક્ટિવિસ્ટની હત્યા ગુજરાતમાં થઈ છે. એક પૂલ બનાવી શકતા નથી અને વિશ્વમાં ગુજરાતમાં મોડલની વાતો કરવામાં આવે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને ત્રણ લોકો મંત્રી બની ગયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો પર પ્રહાર કરતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા મંત્રી અને ધારાસભ્ય બનતા નથી પરંતુ, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને ત્રણ લોકો મંત્રી બની ગયા છે. હાર્દિક પટેલ પણ અમારાં ત્યાં હતા તો ધારાસભ્ય પણ બની શકતા નહોતા અને અત્યારે ભાજપમાં ગયા બાદ ધારાસભ્ય બની ગયા છે. વિદેશમાં ક્યાંય પણ દેશનો ડંકો વાગતો નથી, દેશનો ડંકો એપસ્ટ્રીન ફાઇલમાં વાગે છે. યુવાનો આત્મહત્યા કરે છે, ખેડૂતો અમાહત્યા કરે છે. આપણે જ્યારે નોકરી લેવી હોય ત્યારે તમામ પરીક્ષા આપવી પડે છે અને તેની ગેરંટી પણ નથી કે નોકરી મળશે કે નહીં. તડકામાં યુવાનો તૈયારી કરે છે અને ક્રિકેટના કર્તાહર્તા કોણ બને છે કે ગૃહમંત્રીના દીકરા જય શાહ.
    Click here to Read More
    Previous Article
    ટેક્સટાઇલ હબ સુરતમાં સેલ્ફ-લોકડાઉન જેવી સ્થિતિ:કારીગરોની હિજરત રોકવા ઉદ્યોગકારોનો માસ્ટરપ્લાન, એક પાળીમાં કામ અને સપ્તાહમાં બે રજાનો નિર્ણય
    Next Article
    ‘ધ લીલા’માં ઓક્યુપન્સી ઘટી:38% સુધી સીમિત, 799 કરોડના પ્રોજેક્ટ પર પ્રશ્નચિન્હ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment