Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    E20થી ગાડીઓને નુકસાન, E10 પેટ્રોલ ફરી શરૂ થાય:સરકારના આર્થિક સલાહકારે કહ્યું- જો ઇંધણમાં 30% ઇથેનોલ ભેળવવામાં આવશે તો ખાદ્ય સંકટની શક્યતા

    2 days ago

    સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન (CEA)નું કહેવું છે કે E20 પેટ્રોલથી ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે. જૂના ટુ-વ્હીલર્સ માટે E10 પેટ્રોલનું વેચાણ ફરીથી શરૂ કરવું જોઈએ. નાગેશ્વરને 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં લખેલા પોતાના આર્ટિકલમાં કહ્યું કે ભારતે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય સમય પહેલાં પુરુ કરીને અબજો રૂપિયા તો બચાવ્યા, પરંતુ હવે નવું સંકટ ઊભું થઈ રહ્યું છે. સરકારનો દાવો છે કે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થયો છે. આનાથી અબજો રૂપિયાની બચત થઈ છે. ઇથેનોલની વધતી માંગને પૂરી કરવા માટે શેરડી, મકાઈ અને ચોખા જેવા ખાદ્ય પાકોને મોટા પાયે ઇથેનોલ ફેક્ટરીઓમાં મોકલવામાં આવી રહ્યા છે. જો ઇથેનોલ બનાવતી કંપનીઓ વધુ ભાવ આપીને મકાઈ ખરીદવા લાગશે, તો પોલ્ટ્રી અને ડેરી ઉદ્યોગ માટે ચારો મોંઘો થઈ જશે. પરિણામ એ આવશે કે ઇંડા, ચિકન અને દૂધના ભાવ વધશે, જેનાથી સીધી રીતે ખાદ્ય મોંઘવારીમાં વધારો થશે. નાગેશ્વરને કહ્યું- 8 કરોડ વાહનોને E20 પેટ્રોલથી જોખમ વી અનંત નાગેશ્વરન અનુસાર, દેશમાં હાલમાં લગભગ 8 કરોડ જૂના બાઇક-સ્કૂટર દોડી રહ્યા છે. આ જૂની 'કાર્બોરેટર' ટેકનોલોજી પર ચાલે છે, જે BS-IV એન્જિન નિયમો લાગુ પડ્યા તે પહેલાં બનતી હતી. સમસ્યા શું છે: સરકાર હવે પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવીને વેચી રહી છે. પરંતુ જૂના કાર્બોરેટરવાળા વાહનો આ E20 પેટ્રોલ પર બરાબર ચાલી શકતા નથી. એન્જિનનું ગરમ થવું: ઇથેનોલમાં ઓક્સિજન વધુ હોય છે. જૂના વાહનો હવા અને પેટ્રોલના આ નવા મિશ્રણને આપમેળે એડજસ્ટ કરી શકતા નથી, જેના કારણે એન્જિન ઝડપથી અને વધુ ગરમ થવા લાગે છે. પાર્ટ્સ ખરાબ થવા: E20 પેટ્રોલના ઉપયોગથી વાહનોની અંદર લાગેલા રબરના પાઇપ અને પાર્ટ્સ ધીમે ધીમે ગળવા અથવા ખરાબ થવાનું જોખમ રહે છે. શું સલાહ આપવામાં આવી છે: મુખ્ય આર્થિક સલાહકારનું કહેવું છે કે જ્યાં સુધી આ 8 કરોડ જૂની ગાડીઓમાં મોડિફિકેશન ન કરી લેવાય, ત્યાં સુધી પેટ્રોલ પંપો પર જૂના E10 પેટ્રોલનું વેચાણ પણ ચાલુ રાખવું જોઈએ. આનાથી જૂની ગાડીઓ ખરાબ થતી બચી શકશે. ઇથેનોલથી ખાંડ અને પાણીનું સંકટ પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની અસર હવે રસોડાના બજેટ અને પાણી પર પણ દેખાવા લાગી છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ, આ સિઝનમાં દેશના કુલ વાર્ષિક ઉત્પાદનની લગભગ 10% (લગભગ 30 લાખ ટન) ખાંડનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ જ કારણોસર હવે સરકાર આગામી સિઝનમાં ઇથેનોલ માટે શેરડીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે, જેથી દેશમાં ખાંડની અછત ન થાય અને તેના ભાવ બેકાબૂ ન બને. આ સાથે જ, ઇથેનોલ બનાવવાના ચક્કરમાં દેશનું જળસ્તર પણ ઝડપથી ઘટી રહ્યું છે. શેરડી એક એવો પાક છે જેને વાવવામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી જરુરી છે. મુખ્ય આર્થિક સલાહકારનું કહેવું છે કે આપણે ફક્ત ઇથેનોલ ફેક્ટરીઓમાં લાગતા પાણીને જ ન જોવું જોઈએ, પરંતુ તે શેરડી ઉગાડવામાં જે અબજો લિટર ભૂગર્ભજળ ખર્ચ થઈ રહ્યું છે, તેનો હિસાબ લગાવવો પણ ખૂબ જ જરૂરી છે. જે પાણીથી અન્ય જરૂરિયાતો પૂરી થઈ શકતી હતી, તે વાહનોનું ઇંધણ બનાવવામાં વહી રહ્યું છે. સરકારે કહ્યું- E20 સુરક્ષિત, અલગ પેટ્રોલ વિકલ્પ આપવો સરળ નથી બીજી તરફ, સરકારે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામનો સતત બચાવ કર્યો છે. સરકારનો તર્ક છે કે E20 થી વિદેશી મુદ્રાની ભારે બચત થઈ રહી છે અને ખેડૂતોને પાકની સારી કિંમત મળી રહી છે. સરકારી ટેસ્ટિંગના આધારે એ પણ કહેવામાં આવ્યું છે કે E20 થી વાહનોના એન્જિનને મોટા પાયે નુકસાન પહોંચવાના પુરાવા મળ્યા નથી. સાથે જ, સરકારે દેશભરમાં અલગ-અલગ પ્રકારના પેટ્રોલ (E10 અને E20) ના વિકલ્પો એકસાથે ઉપલબ્ધ કરાવવાની માંગને એવું કહીને ફગાવી દીધી હતી કે તેનાથી લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનનો ખર્ચ ઘણો વધી જશે. આગળનો રસ્તો: E20 પર ટકી રહો, ઉતાવળમાં ફેરફાર ટાળો CEA નાગેશ્વરન એવું નથી કહી રહ્યા કે ઇથેનોલ યોજના બંધ કરવામાં આવે, પરંતુ 20% પછી સાવચેતી રાખવામાં આવે. ઊર્જા સુરક્ષાથી થતા ફાયદાઓની સરખામણી એવા અણધાર્યા નુકસાન સાથે થવી જોઈએ, જે કૃષિ ક્ષેત્ર અને ખાદ્ય અર્થતંત્રને સહન કરવા પડી શકે છે. આ ચર્ચા માત્ર માઇલેજ કે એન્જિનની ઉંમર પૂરતી સીમિત નથી, પરંતુ તે આ વાત પર નિર્ભર કરે છે કે ભારત ઇંધણ ઉત્પાદન માટે પોતાની કેટલી જમીન અને પાણી સમર્પિત કરવા તૈયાર છે.
    Click here to Read More
    Previous Article
    માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ પહેલીવાર ધ હન્ડ્રેડ ચેમ્પિયન:ટ્રેન્ટ રોકેટ્સને 5 વિકેટે હરાવ્યું; ટિમ સેફર્ટના 72 રન, ડોસને છગ્ગાથી ફાઈનલ જીતાડી
    Next Article
    રણવીર સિંહની ફિલ્મ 'પ્રલય'નું શૂટિંગ શરૂ:'લોકા' ફેમ કલ્યાણી પ્રિયદર્શન સાથે સ્ક્રીન શેર કરશે, દુનિયાના વિનાશ અને ઝોમ્બીની વાર્તાને મોટા પડદે લાવશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment