Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM શુભેન્દુના PAની માતા નંદીગ્રામથી ઉમેદવાર:બંગાળના ચૂંટણી પરિણામના બીજા દિવસે ચંદ્રનાથની હત્યા થઈ હતી; રેજીનગર પેટાચૂંટણીમાં શાશ્વર ભાજપના ઉમેદવાર

    6 hours ago

    ભાજપે પશ્ચિમ બંગાળની રેજીનગર અને નંદીગ્રામ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ રેજીનગરથી શાશ્વર સરકાર અને નંદીગ્રામથી હસીરાણી રથને ટિકિટ આપી છે. હસીરાણી રથ CM શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથના માતા છે. બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોના બે દિવસ પછી, 5 મેની રાત્રે નોર્થ 24 પરગણાના મધ્યમગ્રામમાં 42 વર્ષીય ચંદ્રનાથની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વર્ષે એપ્રિલ-મે દરમિયાન બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. પાર્ટીને 207 બેઠકો મળી હતી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 80 અને કોંગ્રેસ 2 બેઠકો પર સમેટાઈ ગઈ. આ સાથે મમતા બેનર્જી 15 વર્ષ પછી સત્તામાંથી બહાર થઈ ગયા. નંદીગ્રામમાં TMCના બે જૂથ પણ સામસામે પેટાચૂંટણીમાં TMCના બંને જૂથ પણ સામસામે છે. રિતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર TMC જૂથે નંદીગ્રામથી મોહમ્મદ એતેશામુલ હક અને રેજીનગરથી સફીઉઝ્ઝમાન શેખને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે મમતા બેનર્જીના જૂથે નંદીગ્રામથી સંચિતા પ્રધાન ડે અને રેજીનગરથી પૂર્વ ધારાસભ્ય રબીઉલ આલમ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. બંને જૂથો પોતાને અસલી TMC ગણાવતા ‘જોડા ઘાસ ફૂલ’ ચૂંટણી ચિહ્ન પર દાવો કરી રહ્યા છે. ચૂંટણી પંચે બંને પક્ષો પાસેથી વધારાના દસ્તાવેજો માંગ્યા છે અને 16 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. જો ચૂંટણી પહેલાં પંચે નિર્ણય ન લીધો તો પક્ષનું વર્તમાન ચૂંટણી ચિહ્ન કામચલાઉ ધોરણે ફ્રીઝ થઈ શકે છે અને બંને જૂથોને અલગ નામ-ચિહ્ન સાથે ચૂંટણી લડવી પડી શકે છે. નંદીગ્રામ TMC અને ભાજપ, બંને માટે મહત્વપૂર્ણ બેઠક નંદીગ્રામ લાંબા સમયથી TMC અને ભાજપ વચ્ચે રાજકીય સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ ક્ષેત્રમાં 2007ના ભૂમિ અધિગ્રહણ વિરોધી આંદોલને મમતા બેનર્જી અને TMCને 2011માં સત્તા સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 2021માં મમતાએ અહીંથી જ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી વિરુદ્ધ ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. અધિકારી ભાજપમાં જોડાયા પછી TMCના સૌથી મોટા હરીફ બની ગયા છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામની સાથે ભવાનીપુર બેઠક પરથી પણ ચૂંટણી લડી અને બંને જગ્યાએ જીત નોંધાવી. ભવાનીપુરમાં તેમણે મમતા બેનર્જીને 15,105 મતોથી હરાવ્યા. અધિકારીને 73,917 મત મળ્યા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા. બાદમાં અધિકારીએ ભવાનીપુર બેઠક પોતાની પાસે રાખી અને નંદીગ્રામમાંથી રાજીનામું આપી દીધું. આ પછી નંદીગ્રામ બેઠક ખાલી પડી. બંગાળ સહિત 4 રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણી તમિલનાડુમાં 2 બેઠકો: મદુરાંતકમ અને ધારાપુરમ- આ બંને વિધાનસભા બેઠકો મરાગથમ કુમારવેલ અને પી. સત્યબામાના રાજીનામા પછી ખાલી પડી હતી. બંને બેઠકોની ફાઈનલ મતદાર યાદી 23 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી હતી. પુડુચેરીની થટ્ટાનચાવડી બેઠક: આ બેઠક એન. રંગાસામીના રાજીનામા બાદ ખાલી પડી છે. બેઠકની મતદાર યાદી 14 ફેબ્રુઆરીએ પ્રકાશિત થઈ હતી. પશ્ચિમ બંગાળની રેજીનગર-નંદીગ્રામ બેઠક: રેજીનગર બેઠક હુમાયુ કબીર અને નંદીગ્રામ બેઠક શુભેન્દુ અધિકારીના રાજીનામા બાદ ખાલી પડી હતી. આ બેઠકોની ફાઈનલ મતદાર યાદી 28 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી હતી. આસામની નગાંવ લોકસભા બેઠક: આસામની નગાંવ લોકસભા પ્રદ્યુત બોરદોલોઈના રાજીનામા બાદ ખાલી પડી હતી. આ બેઠકની ફાઈનલ મતદાર યાદી 10 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    सारा तेदुंलकर की सादगी ने लूटी महफिल ,Alia Ranbir, Salman, Katrina का भी छाया अंदाज Ambani Ganpati
    Next Article
    ગાંધીનગરમાં ડિવોર્સી મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત:ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધો, શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા હતા; આપઘાતનું કારણ અકબંધ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment