Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલો સમયસર શરૂ થશે કે વેકેશન લંબાશે?, વાલીઓ મૂંઝવણમાં:ખાનગી અને સરકારી સ્કૂલો સામ સામે, એકે કહ્યું વેકેશન લંબાવો તો બીજા બોલ્યા ઓનલાઇન એજ્યુકેશનથી નુકસાન, બન્નેના CMને પત્ર

    3 days ago

    ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવુ કે સમયસર સ્કૂલો શરૂ કરવી તેને લઈ રાજ્યની ખાનગી અને સરકારી સ્કૂલો સામ સામે આવી ગઈ છે. આ મામલે ખાનગી શાળા સંચાલક મંડળ અને રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્રો લખ્યા છે. જેમાં ખાનગી સ્કૂલ સંચાલક મંડળે વેકેશન લંબાવવાથી શિક્ષણને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે. જ્યારે સરકારી સ્કૂલ સંચાલક મંડળે ગરમી અને પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે વેકેશન લંબાવવું જરૂરી છે. આ સ્થિતિને કારણે વાલીઓ મૂંઝવણમાં મૂકાયા છે. ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવાના બદલે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ નિયમિત સમયસર એટલે કે આગામી 8 જૂનથી જ કરવા માટે રાજકોટના શાળા સંચાલકોએ સરકાર સમક્ષ મોરચો માંડ્યો છે. રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે પણ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને ઓનલાઇન એજ્યુકેશનના બદલે વર્ગખંડમાં શિક્ષણ આપવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની ઉગ્ર માગ કરી છે. રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં છેલ્લા 15 દિવસથી ગરમીનો પારો 40થી 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ આગામી 8 તારીખથી શાળાઓ શરૂ થઈ રહી છે. જેથી લઈને ધોરણ 12 સુધીની તમામ શાળાઓ આગામી આઠ તારીખે શરૂ થઈ રહી છે. તેથી બાળકોને અસહ્ય ગરમીથી બચાવવા માટે શાળાઓમાં દસ દિવસ વેકેશન લંબાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. 8 તારીખના બદલે 18 તારીખે શાળાઓ ખોલવામાં આવે તેવી રજૂઆત કરી છે. તેમજ અત્યારે જે વેકેશન લંબાવવા આવે તો તેને દિવાળીમાં સરભર કરવામાં આવે તેવી અમારી માંગ છે. 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવે છે તેમાં 10 દિવસ ઓછા કરી દેવામાં આવે. વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, તેમજ એ પણ વિનંતી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવા માટે દેશવાસીઓને અપીલ કરી હતી. જેથી યુદ્ધ જ્યાં સુધી ચાલી રહ્યું છે ત્યાં સુધી કેજીથી ધોરણ 5 સુધીના વર્ગો અઠવાડિયામાં 5 દિવસ ચલાવવામાં આવે. ધોરણ 6થી 8ના વર્ગો સોમવાર, બુધવાર અને શુક્રવાર ચલાવવામાં આવે તો ધોરણ 9થી 12ના વર્ગો ઓનલાઇન શિક્ષણ આપવાની મંજૂરી આપવા રજૂઆત કરી છે. દરેક લેવલે કોઈકના કોઈ યુનિયન ચાલતા હોય છે. સૌરાષ્ટ્રમાં આખું વેકેશન શાળાઓ ચલાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને વેકેશન કાયદેસર આપવું જોઈએ. પરંતુ DEOની રહેમનજર વેકેશનમાં પણ શાળાઓ ચાલતી હતી. ગરમીમાં વિદ્યાર્થીઓ ભલે બીમાર થાય, શાળાઓ ચાલુ રહેવી જોઈએ. પરંતુ આ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. પહેલા બાળકોનું અને ત્યારબાદ સંસ્થાઓનું હીત જોવાનું છે. શાળા સંચાલકોનું સ્પષ્ટ માનવું છે કે કોરોના કાળ દરમિયાન ઓનલાઇન શિક્ષણથી ભણતર પર જે નકારાત્મક અસરો પડી હતી, તેમાંથી વિદ્યાર્થીઓ હજુ પણ સંપૂર્ણ બહાર આવી શક્યા નથી. નવું શૈક્ષણિક સત્ર સમયસર શરૂ કરવું કેમ જરૂરી? સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જતિન ભરાડે અને રાજકોટ મંડળના પ્રમુખ અવધેશ કાનગડે સંયુક્ત સ્તરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ સીબીએસઈ (CBSE) બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2027માં લેવાનારી પરીક્ષાઓ માટે શાળાઓ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવો એક મોટો પડકાર છે. જો શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં વિલંબ થશે, તો અભ્યાસક્રમ પૂર્ણ કરવા સાથે રિવિઝન અને પ્રેક્ટિકલ તાલીમ માટે પૂરતો સમય મળશે નહીં, જેનો સીધો પ્રભાવ વિદ્યાર્થીઓના પરિણામો પર પડશે. શૈક્ષણિક સત્રનો દરેક દિવસ વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વનો છે. શાળા માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતી સંસ્થા નથી: ડી. વી. મહેતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી. વી. મહેતાએ વર્ગખંડના શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શાળા માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતી સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંવાદક્ષમતા, આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યો વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. કોરોના દરમિયાન લાંબા સમય સુધી વિદ્યાર્થીઓ વર્ગખંડથી દૂર રહ્યા હોવાથી તેમના અભ્યાસ પ્રત્યેના લગાવ અને નિયમિતતામાં મોટો ઘટાડો નોંધાયો હતો. ઓનલાઇન શિક્ષણ અને માસ પ્રમોશનથી પાયો નબળો પડ્યો: ભરત ગાજીપરા આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં આપવામાં આવેલા ઓનલાઇન શિક્ષણ અને પરીક્ષા લીધા વિના અપાયેલા માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓની લેખન ક્ષમતા અને એકાગ્રતા પર વિપરીત અસર પડી છે. આવા વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યા બાદ વિષયોની મૂળભૂત સમજણમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. રાજકોટ મંડળના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને ભાષાકીય વિષયોમાં વિદ્યાર્થીઓનું મૂળભૂત જ્ઞાન નબળું હોવાથી તેમને હવે સ્પર્ધાત્મક માહોલમાં ટકી રહેવા માટે વધારાની મહેનત કરવાની ફરજ પડી રહી છે. પ્રત્યક્ષ શિક્ષણ માનસિક અને સામાજિક ઘડતર માટે અનિવાર્ય રાજકોટ મંડળના મહામંત્રી ઉર્વિશભાઇ પટેલ અને ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, વર્ગખંડનું વાતાવરણ, શિક્ષકો સાથેનો સીધો સંપર્ક અને મિત્રો સાથેનો શૈક્ષણિક સંવાદ વિદ્યાર્થીઓને વધુ સક્રિય અને આત્મવિશ્વાસી બનાવે છે. તેથી શિક્ષણ વ્યવસ્થામાં સમયબદ્ધતા જાળવી રાખવી એ આજની અનિવાર્ય આવશ્યકતા છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રમાં રાખી નિર્ણયો લેવા સરકારને અપીલ આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતની 8,500 ખાનગી શાળાઓના અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓના સર્વાંગી હિત માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા તેમજ સમગ્ર શિક્ષણ વિભાગને પત્ર પાઠવીને સમયસર શાળાઓ શરૂ કરવા અંગે ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવા સામૂહિક વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીને દિલ્હી HCમાંથી મોટો ઝટકો:એકાઉન્ટ રિસ્ટોર કરવાની ના; પક્ષ સાંભળ્યા વિના કેવી રીતે બ્લોક કર્યું, CJPએ ખખડાવ્યો હાઈકોર્ટનો દરવાજો
    Next Article
    નવા મેયર લોકોની રજૂઆત સાંભળવા AMC ઓફિસ ગયા:ઓઢવમાં EWS આવાસ યોજનાના મકાનોમાં પૂરતું પાણી ન મળતાં હોબાળો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment