Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માવો ખાવા ગલ્લો ખોલાવવાની જીદ્દથી બે મિત્રને મોત મળ્યું, CCTV:ઝઘડો થતાં જઈને ચપ્પુઓ સાથે આવ્યા, ઝપાઝપીમાં ગલ્લામાં કેરમ રમતા શખ્સોએ હથિયાર આંચકી ઘા મારી દીધા

    1 week ago

    ડાયમંડ સિટી સુરતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ વધુ એક ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના સિંગણપોર વિસ્તારમાં ગત(6 જૂન) મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 10થી 15 જેટલા અસામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે પાંચ મિત્રો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ચપ્પુના ઘા વાગવાથી હર્ષલ પાટીલ અને ભટ્ટુ માળી નામના યુવકોના સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. બંને મિત્રોની હત્યા પહેલાના CCTV પણ સામે આવ્યા છે. આ બન્ને યુવાન માવો ખાવા માટે પાનનો ગલ્લો ખોલાવવા માટે માલિક સાથે ઝઘડ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી જઈને ચપ્પુઓ લઈને આવ્યા અને ઝઘડો શરૂ કર્યો. આ સમયે ગલ્લામાં કેરમ રમી રહેલા શખ્સોએ ચપ્પુઓ આંચકી બન્ને યુવાનને ઘા મારી દીધા હતા. ચકચારી ડબલ મર્ડર કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, આ મામલે સિંગણપોર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર પૈકી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક બંને મિત્રો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને અગાઉ તેમના પર મારામારી તેમજ પાસા હેઠળની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. સામાન્ય બોલાચાલી બાદ 10થી 15 યુવકો હથિયારો સાથે તૂટી પડ્યા લિંબાયતના સંજયનગરમાં રહેતો 30 વર્ષીય હર્ષલ અધિકારભાઈ પાટીલ અને વેડ રોડ બાપાસીતારામ ચોક ખાતે રહેતો 25 વર્ષીય ભટ્ટુ વનરાજભાઈ માળી બંને પાકા મિત્રો હતા. શનિવાર-રવિવારની મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ હર્ષલ અને ભટ્ટુ તેમના અન્ય ત્રણ મિત્રો સાથે ડભોલી ગામ નજીક આવેલા બજરંગનગર પાસે માવો ખાવા માટે ગયા હતા. જ્યાં ચાની કિટલી પર કોઈ અજાણ્યા યુવકો સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં એટલો ઉગ્ર બની ગયો કે સામે પક્ષેથી 10થી 15 યુવકો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને પાંચેય મિત્રો પર હુમલો કરી દીધો હતો. પીઠ અને પેટના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંક્યા હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે તેમણે હર્ષલને પીઠના ભાગે અને ભટ્ટુને પેટના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા મારી દીધા હતા. બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 4 પૈકી 2 આરોપીની ધરપકડ: DCP DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, આ મામલે સિંગણપોર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર પૈકી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક બંને મિત્રો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને અગાઉ તેમના પર મારામારી તેમજ પાસા હેઠળની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. ‘બંધ ગલ્લો ખોલાવવા બંને મિત્રોએ જીદ પકડી હતી’ ઘટનાની વિગત એવી છે કે, મૂળ લિંબાયત વિસ્તારમાં રહેતા બે મિત્રો હર્ષલ પાટીલ અને ભટુ ધનરાજ માળી બજરંગનગર ખાતે આવેલા એક પાનના ગલ્લા પર માવો ખાવા માટે ગયા હતા. જોકે, પાનનો ગલ્લો બંધ હોવાથી બંને મિત્રોએ તેને ખોલવા માટે જીદ પકડી હતી. ગલ્લાના માલિકે ગલ્લો ખોલવાની સાફ ના પાડી દેતા બંને મિત્રોએ ત્યાં બોલાચાલી શરૂ કરી દીધી હતી. આ સમયે ગલ્લાની અંદર કેરમ રમી રહેલા 4 શખસો પણ વચમાં પડ્યા હતા અને તેમની બંને મિત્રો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને મૃતકે ગલ્લા પર આવીને ચપ્પુથી હુમલો કર્યો આ વિવાદ બાદ બંને મિત્રો ત્યાંથી પાછા જતા રહ્યા હતા, પરંતુ થોડી જ વારમાં તેઓ ઘાતક ચપ્પુ જેવા હથિયારો સાથે ગલ્લા પર ધસી આવ્યા હતા. ગલ્લા પર આવીને બંને યુવકોએ કેરમ રમી રહેલા ચારેય યુવકો પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલાના જવાબમાં ચારેય આરોપીઓએ પણ વળતો પ્રહાર કરી મૃતક જે ચપ્પુ લાવ્યા હતા તે ઝૂંટવી તેના વડે જ બંને મિત્રો પર હિંસક હુમલો કર્યો હતો. આ ખૂની ખેલમાં ગંભીર ઈજાઓ થવાના કારણે હર્ષલ પાટીલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેના મિત્ર ભટુ ધનરાજ માળીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો આ ડબલ મર્ડરની ઘટના બાદ સિંગણપોર પોલીસે સઘન તપાસ શરૂ કરીને ચાર પૈકી બે આરોપીઓ રાહુલ કવચાડ અને પિન્કેસ વાલેકરની ધરપકડ કરી લીધી છે. આ મારામારીની ઘટનામાં આરોપી પિન્કેસ વાલેકરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ તેજસ કલ્લુ અને અક્ષય મોરેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરી છે. પોલીસને વિપક્ષને ધમકાવવામાં વ્યસ્ત રાખી એટલે આવી પરિસ્થિતિ ઉભી થઈ કતારગામમાં બે મર્ડરની ઘટના મુદ્દે AAP પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, સુરતનું કતારગામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે સિંગણપોર ખાતે એકસાથે બે મર્ડર થયા છે. ગૃહમંત્રી મોટી મોટી વાતો કરીને ફાંકા ફોજદારી કરે છે, પરંતુ આજે ગુજરાતની કાયદો-વ્યવસ્થા કથળેલી સ્થિતિમાં છે. કારણ કે રોજ હત્યા, મર્ડર, બળાત્કારની ઘટનાઓ જોવા મળે છે. જે રીતે પોલીસને વિરોધ પક્ષની પાછળ ડરાવવા ધમકાવવામાં વ્યસ્ત રાખી છે, એના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. ‘10માંથી 8 અરજીઓમાં ધારાસભ્યની આરોપી તરફમાં ભલામણ હોય છે’ સુરત ગૃહમંત્રીનું હોમ ટાઉન છે, ત્યાં રોજ દિવસની બે-ત્રણ હત્યાઓના સમાચાર આવે છે, અને હવે આ નાની અને સામાન્ય વાત બની ગઈ છે. થોડા સમય અગાઉ સુરતના કતારગામના ધારાસભ્ય કહેતા હતા કે, કતારગામમાં કોઈ ગેંગને વધવા દીધી નથી. સૂર્યા મરાઠી સામે હાદાની ગેંગ હતી, એમ આ બંને ગેંગને પોલીસે નથી મારી અને આ બંને ગેંગ સામસામે મર્ડર કરીને મરી ગઈ. હજી પણ સુરતના કતારગામમાં ત્રણ પોલીસ સ્ટેશન આવે છે, ચોક બજાર, કતારગામ અને સિંગણપોર. અને 10માંથી 8 અરજીઓમાં ધારાસભ્યની આરોપી તરફમાં ભલામણ હોય છે, એના ફળરૂપે આજે કતારગામમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. સ્ટેજ પરથી ભાષણ આપવામાં આવે છે કે હવે એક પણ ગેંગ વધવા દીધી નથી. હકીકતમાં બધી જ ગેંગને ભાજપમાં ભેળવી દીધી છે અને પોલીસ સાથે મિલીભગત કરાવી છે. એટલે સામાન્ય માણસ આજે અસલામતી અનુભવી રહ્યો છે. અને એના કારણે જ અત્યારે રોજ લુખ્ખાઓ, ટપોરીઓ બેફામ બન્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો, પરિવારોમાં આક્રંદ ઘટના બાદ અન્ય મિત્રો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં હર્ષલ અને ભટ્ટુને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન પહેલા હર્ષલ પાટીલનું મોત નીપજ્યું હતું, જ્યારે રવિવારે વહેલી સવારે બીજા મિત્ર ભટ્ટુ માળીએ પણ દમ તોડી દીધો હતો. ગણતરીના કલાકોમાં બે આશાસ્પદ યુવકોના મોતના સમાચાર મળતા જ બંને પરિવારો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સ્મીમેર હોસ્પિટલ પરિસરમાં પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ પણ વાંચો: મિત્રની પત્નીના એક તરફી પ્રેમમાં ખૂની ખેલ ખેલ્યો હર્ષલ એકનો એક દીકરો હતો આ હિંસક હુમલામાં કાળનો કોળિયો બનેલા બંને યુવકો પોતાના ઘરના મુખ્ય આધારસ્તંભ સમાન હતા. મૃતક 30 વર્ષીય હર્ષલ અધિકારભાઈ પાટીલ લિંબાયતના સંજયનગર વિસ્તારનો રહેવાસી હતો અને તે પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. હર્ષલ તેના પિતા સાથે ડ્રાઇવિંગના વ્યવસાયમાં હતો અને ઓનલાઇન પાર્સલના ટેમ્પોનું ડ્રાઇવિંગ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. એકના એક જુવાનજોધ દીકરાના મોતના સમાચારથી પિતા અને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. નાના દીકરાની હત્યાથી પરિવારજનો આઘાતમાં બીજી તરફ, આ જ ઘટનામાં જીવ ગુમાવનાર 25 વર્ષીય ભટ્ટુ વનરાજભાઈ માળી વેડ રોડ પર આવેલા બાપાસીતારામ ચોકનો રહેવાસી હતો. ભટ્ટુ તેના પરિવારનો સૌથી નાનો અને લાડકો દીકરો હતો. તેના પરિવારમાં એક મોટો ભાઈ અને બે બહેનો છે. ઘરના સૌથી નાના દીકરાની ઘાતકી હત્યાના પગલે માતા-પિતા સહિત ભાઈ-બહેનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને ન્યાયની માગ કરી રહ્યા છે. સિંગણપોર પોલીસે હત્યારાઓને પકડવા તપાસ તેજ કરી મધરાત્રે બનેલી આ સનસનાટીભરી ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સામાન્ય બાબતમાં આટલો મોટો હુમલો કરનાર 10થી 15 યુવકો કોણ હતા અને તેમની પાછળ કોઈ જૂની અદાવત હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ કોન્સર્ટમાં યુવકનું મોત, મહિલાની તબિયત બગડી:પોલીસે કહ્યું- ડ્રગ્સના કોઈ પુરાવા નથી, વધુ પડતો દારૂ પીવાની વાત સામે આવી
    Next Article
    ‘મારા ભાઈને ન્યાય નહીં મળે સામૂહિક આપઘાત કરી લઈશું’:રાજકોટનાં તળાવમાંથી યુવકની લાશ મળી; માતાએ રડતા-રડતા કહ્યું- પત્ની-સાસુએ હત્યા કરાવી, મારો દીકરો કરગરતો રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment