Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CBSEની વોર્નિંગ:પેપર ચેકિંગની માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરનાર શિક્ષકો નોકરી ગુમાવી દેશે

    6 days ago

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ના પેપર ચેકિંગ (મૂલ્યાંકન) પ્રક્રિયામાં રોકાયેલા શિક્ષકોને કડક શબ્દોમાં વોર્નિંગ આપી છે. બોર્ડે તમામ શિક્ષકોને સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે, પેપર તપાસવા દરમિયાનના કોઈપણ અનુભવો, ટિપ્પણીઓ કે ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવા તે વ્યાવસાયિક ગેરરીતિ ગણાશે. હવે પેપર ચેક કરતા શિક્ષકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તો નોકરી પર જોખમ આવી શકે છે. CBSEના પરીક્ષા નિયામક ડૉ.સંયમ ભારદ્વાજે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, મૂલ્યાંકન પ્રક્રિયા સંપૂર્ણપણે ગોપનીય છે અને તે કડક પ્રોટોકોલ દ્વારા સંચાલિત થાય છે. કેટલાક શિક્ષકો સોશિયલ મીડિયા પર જે માહિતી મૂકે છે તે ઘણીવાર તથ્યહીન અને ભ્રામક હોય છે. જો કોઈ શિક્ષક આદેશનું ઉલ્લંઘન કરીને અફવા ફેલાવશે અથવા તથ્યોને ખોટી રીતે રજૂ કરશે, તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. બોર્ડનું માનવું છે કે, સોશિયલ મીડિયા પર થતી બિનજરૂરી ચર્ચાઓથી પરીક્ષા તંત્રની અખંડિતતા જોખમાય છે. સ્ટેક હોલ્ડર્સમાં મૂંઝવણ ન ફેલાય તે માટે શિક્ષકોએ પોતાની ફરજો પૂરી નિષ્ઠાથી અને ગુપ્ત રીતે બજાવવી પડશે. બોર્ડે તમામ સંલગ્ન શાળાઓને આ માર્ગદર્શિકાનું તાત્કાલિક પાલન કરવા અને કરાવવા આદેશ આપ્યો છે. પેપર ચેક કરનાર શિક્ષકો માટે નવી ‘ગાઈડલાઈન’ ગોપનીયતા જાળવવી મૂલ્યાંકન પ્રક્રિયા ગુપ્ત છે, તેને જાહેર પ્લેટફોર્મ પર લાવવી પ્રતિબંધિત છે. સોશિયલ મીડિયા પર સંયમ શિક્ષકોએ પબ્લિક પ્લેટફોર્મ પર મંતવ્યો કે અનુભવો લખવાથી દૂર રહેવું. વ્યાવસાયિક આચરણ ફરજ દરમિયાન ગરિમા અને વ્યાવસાયિકરણ જાળવી રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ કારણે લેવાયો નિર્ણય કેન્દ્રીય બોર્ડના ધ્યાન પર આવ્યું છે કે, જે શિક્ષકોને ધો.10 અને 12ના પેપર મૂલ્યાંકનની કામગીરી સોંપવામાં આવી છે તેમાંથી કેટલાક શિક્ષકો ચેકિંગ દરમિયાન જ સોશિયલ મીડિયા પર પેપર સંબંધિત બાબતો શેર કરે છે. કેટલાક શિક્ષકો ટિપ્પણીઓ કરે છે, પોતાનો અભિપ્રાય પણ આપે છે અને કેટલાક તેમનો અનુભવ પણ પોસ્ટ કરે છે. આ નિર્ણય સીબીએસઇની પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે લેવાયો છે. કારણ કે ઉત્તરવહી તપાસણીની અધૂરી કે ખોટી માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય પેદા કરે છે. કોઇ શિક્ષક જ્યારે આવું કરે ત્યારે બોર્ડની શિસ્ત અને તેના ડેટાની સુરક્ષા પણ જોખમાય છે.
    Click here to Read More
    Previous Article
    આયોજન:125 કરોડના ખર્ચે બનેલું જીવન વિદ્યાપીઠનું 26મીએ ભૂમિપૂજન, 30 હજાર કડવા પાટીદારનું જ્ઞાતિભોજન
    Next Article
    તપાસ:પૂર્વ કોર્પોરેટર સામે ભાજપની નોટિસનું કંઇ ન ઉપજ્યું, મકવાણાએ કોઇ જવાબ જ ન આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment