Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્વિશા મોત કેસ: CBIએ ગિરિબાલા-સમર્થને કોર્ટમાં હાજર કર્યા:5 દિવસના રિમાન્ડની માંગણી; ટ્વિશાના છેલ્લા કલાકોનું વર્ચ્યુઅલ રિક્રિએશન કરવામાં આવશે

    1 day ago

    એક્ટ્રેસ-મોડેલ ટ્વિશા શર્માના મોતના કેસમાં, સીબીઆઈએ તેના સાસુ, નિવૃત્ત જજ ગિરિબાલા સિંહ અને તેમના પતિ સમર્થને કોર્ટમાં હાજર કર્યા છે. સીબીઆઈના વકીલે બંને માટે 5- 5 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. ગિરિબાલા પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ છે. લગભગ સાત કલાકની પૂછપરછ બાદ સીબીઆઈએ ગુરુવારે તેમની ધરપકડ કરી હતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અભિનેત્રી-મોડેલ ટ્વિશા શર્માના સાસુ, નિવૃત્ત જજ ગિરિબાલા સિંહની મૃત્યુ કેસમાં ધરપકડ કરી છે. તેમના પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ છે. CBIએ ત્રણ દિવસની પૂછપરછ, સ્થળ ચકાસણી અને પુરાવા તપાસ પછી આ કાર્યવાહી કરી. સીબીઆઈએ 25 મેની રાત્રે આ કેસમાં ઔપચારિક એફઆઈઆર દાખલ કરી હતી. 26 મેના રોજ, સીબીઆઈ ટીમે સૌપ્રથમ બાગ મુગલિયા એક્સટેન્શનમાં ગિરિબાલા સિંહના ઘરની મુલાકાત લીધી હતી. ત્યાં, અધિકારીઓએ લગભગ બે કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. ટીમે ટ્વિશા શર્માના મૃત્યુની રાતના સંજોગો, ઘરમાં હાજર લોકોની પ્રવૃત્તિઓ અને ઘટના પછી લેવામાં આવેલા પગલાં વિશે પણ માહિતી ભેગી કરી હતી. ટ્વિશાના પતિ સમર્થ સિંહને સીબીઆઈ દ્વારા પહેલાથી જ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. સૂત્રો કહે છે કે સમર્થ અને ગિરીબાલાની હવે રૂબરૂ પૂછપરછ કરવામાં આવશે. સીબીઆઈ હવે ટનલ વ્યૂ તપાસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. એજન્સી ટ્વિશાના અંતિમ કલાકોનું વર્ચ્યુઅલ રિક્રિએશન બનાવી રહી છે, જેથી ઘટના પહેલા અને પછીની દરેક મિનિટ-દર-મિનિટની પ્રવૃત્તિને સમજી શકાય. CBI ડિજિટલ એવિડન્સનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે 28 મેની સવારે 10:30 વાગ્યે સીબીઆઈની ટીમ ફરી એકવાર ગિરિબાલા સિંહના ઘરે પહોંચી. 7 કલાકથી વધુ સમય સુધી સતત પૂછપરછ કરવામાં આવી. આ રીતે ત્રણ દિવસમાં લગભગ 10 કલાક ચાલેલી પૂછપરછમાં સીબીઆઈએ સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો. સ્થળ તપાસ દરમિયાન તપાસ એજન્સીને એવા સંકેતો મળ્યા, જેનાથી પુરાવાઓ સાથે ચેડાં થવાની આશંકા મજબૂત થઈ. આ જ આધારે ગિરિબાલા સિંહની ધરપકડ કરવામાં આવી. CBI હવે કોલ ડિટેલ રેકોર્ડ, ટાવર લોકેશન અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે. તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટનાની રાત્રે કયા લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મૃત્યુ પછી ઘટનાસ્થળે શું ફેરફારો કરવામાં આવ્યા હતા? ટ્વિશાનો ડિજિટલ અવતાર તૈયાર કરવામાં આવી રહ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈએ ઘરની અંદર ટ્વિશાની હિલચાલનો ડિજિટલ ટ્રેક તૈયાર કર્યો છે. આ માટે સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ફોન ડેટા, વાઇ-ફાઇ લોગ, કોલ ડિટેલ રેકોર્ડ અને રૂમની ફોરેન્સિક મેપિંગને એકસાથે જોડવામાં આવી રહ્યા છે. એજન્સી ત્રણ માળના મકાનની અંદર ટ્વિશાનું છેલ્લું લોકેશન, અવરજવર અને સંપર્કોનો ક્રમ તૈયાર કરી રહી છે. સીબીઆઈ તપાસમાં ટ્વિશાનો ડિજિટલ અવતાર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આના દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે ઘટના પહેલા તે ઘરના કયા ભાગમાં હતી, કયા લોકો કયા રૂમમાં આવ્યા કે બહાર ગયા અને કયા સમયે કઈ પ્રવૃત્તિ થઈ? તપાસ એજન્સી કેમેરાના ટાઈમસ્ટેમ્પ, મોબાઈલ એક્ટિવિટી અને ઈન્ટરનેટના ઉપયોગના સમયનો મેળવીને એક સિમ્યુલેટેડ વર્ચ્યુઅલ વોકથ્રુ તૈયાર કરી રહી છે. આનાથી ઘટના પહેલા અને પછીના સમયમાં રહેલા ગેપ, શંકાસ્પદ હિલચાલ અને નિવેદનોમાં વિરોધાભાસની તપાસ કરી શકાશે. પરિવાર સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરશે એજન્સી ટ્વિશા શર્માનું 12 મેની રાત્રે ભોપાલ સ્થિત સાસરીમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસ ભોપાલ પોલીસે કરી હતી પરંતુ પરિવારે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. મામલો ગરમાયા બાદ તેને સીબીઆઈને સોંપવામાં આવ્યો. ગિરિબાલાની ધરપકડ કર્યા બાદ હવે તપાસ એજન્સી પરિવાર સાથે સંકળાયેલા અન્ય લોકો, ઘરેલું કર્મચારીઓ અને ઘટના બાદ સંપર્કમાં આવેલા વ્યક્તિઓની પણ પૂછપરછ કરી શકે છે. 20 લાખના શેર પોતાના નામે કરાવવા દબાણ કરતા હતા મા-દીકરો તપાસમાં સામે આવ્યું છે કે ટ્વિશાએ ઘણી કંપનીઓના લગભગ 20 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હતા. આ શેરો પોતાના નામે કરાવવા માટે પતિ સમર્થ અને સાસુ ગિરીબાલા સિંહ તેના પર દબાણ કરતા હતા. ટ્વિશાના એડવોકેટ અંકુર પાંડેના જણાવ્યા અનુસાર, લગ્ન સમયે આ શેરોની કિંમત લગભગ 20 લાખ રૂપિયા હતી. લગ્ન પછી ટ્વિશા વિયેતનામ ગઈ હતી. ત્યાંથી પાછા ફર્યા પછી સમર્થ અને ગિરીબાલાને તેના નામે શેર હોવાની જાણકારી મળી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ટ્વિશાએ તેની માતાને ફોન પર કહ્યું હતું કે સમર્થ અને ગિરીબાલા દહેજની માંગણીને લઈને તેની સાથે ઝપાઝપી કરે છે. બંને બાળકને લઈને પણ તેને માનસિક રીતે હેરાન કરતા હતા. આ કેસ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ટ્વિશા કેસ- CBIએ નિવૃત્ત જજ સાસુની ધરપકડ કરી ભોપાલની અભિનેત્રી ટ્વિશા શર્માના મોત કેસમાં CBIએ ગુરુવારે સાસુ અને નિવૃત્ત જજ ગિરિબાલા સિંહની ધરપકડ કરી. ટ્વિશાના સાસુ ગિરિબાલા સિંહને લઈને CBI અધિકારીઓ MANIT કેમ્પસ (મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી) પહોંચ્યા. અહીં મેડિકલ બોર્ડને બોલાવીને તેમનો ચેકઅપ કરાવવામાં આવ્યો. આ પછી તેમને ભોપાલ સ્થિત CBIની ઓફિસે લઈ જવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    Old cybercrime case, a Rs 10,000 scholarship promise: What led to a teen’s murder in Bihar
    Next Article
    કર્ણાટકમાં 4 ડેપ્યુટી CM હોઈ શકે છે:શિવકુમાર CM બનશે, શપથ આવતા અઠવાડિયે શક્ય; સિદ્ધારમૈયાએ રાહુલ-ખડગે સાથે મુલાકાત કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment