Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCCI ગિલને ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ આપશે:દ્રવિડને લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર મળશે; U-19 વર્લ્ડકપ જીતાડનાર મ્હાત્રે પણ સન્માનિત થશે

    10 hours ago

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટેસ્ટ અને વન-ડે કેપ્ટન શુભમન ગિલને ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડથી સન્માનિત કરશે. જ્યારે, પૂર્વ ભારતીય ખેલાડી અને હેડ કોચ રાહુલ દ્રવિડને કર્નલ સીકે નાયડુ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. ન્યૂઝ એજન્સી PTIએ આ માહિતી આપી છે. એજન્સી અનુસાર, 15 માર્ચે દિલ્હીમાં BCCIનો વાર્ષિક એવોર્ડ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન આયુષ મ્હાત્રેને લાલા અમરનાથ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મ્હાત્રેની આગેવાનીમાં ભારતે આ જ વર્ષની શરૂઆતમાં અંડર-19 વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજને પણ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે મુંબઈ એસોસિયેશનને બેસ્ટ ક્રિકેટ એસોસિયેશનનો પુરસ્કાર આપવામાં આવશે. જોકે, અત્યાર સુધી આ અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ગિલ ગયા વર્ષે ત્રણેય ફોર્મેટમાં ટૉપ સ્કોરર રહ્યો વર્ષ 2025માં ભારતીય કેપ્ટન ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 983 રન બનાવ્યા, જેમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી સિરીઝમાં 70થી વધુની સરેરાશથી બનાવેલા 754 રન સામેલ હતા. વન-ડેમાં પણ ગિલે 490 રન બનાવ્યા અને ભારતના ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. કુલ મળીને તેણે તમામ ફોર્મેટમાં 49ની સરેરાશથી 1764 રન બનાવ્યા, જેમાં સાત સદી અને ત્રણ અડધી સદી શામેલ હતી. દ્રવિડે ભારતને 2024માં T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું દ્રવિડને ટેસ્ટ ક્રિકેટના મહાન બેટર્સમાં ગણવામાં આવે છે. તેમણે ટેસ્ટમાં 13,288 અને વન-ડેમાં 10,889 રન બનાવ્યા. કોચ તરીકેના તેમના કાર્યકાળમાં ભારતે ICC ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું, જેમાં ટીમ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચી અને 2024નો T20 વર્લ્ડ કપ પણ જીત્યો. દ્રવિડે વર્ષ 2012માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઈન્ડિયા અંડર-19 ટીમની કમાન પણ સંભાળી અને શુભમન ગિલ અને પૃથ્વી શો જેવા ખેલાડીઓવાળી ટીમને વર્ષ 2018માં ખિતાબ અપાવ્યો. આ દરમિયાન તેમણે ઈન્ડિયા-A ટીમ સાથે મળીને પણ કામ કર્યું. મિતાલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 23 વર્ષની રહી મિતાલી રાજની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લગભગ 23 વર્ષની રહી. તેમણે 1999માં 16 વર્ષની ઉંમરે આયર્લેન્ડ સામે વન-ડેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને જૂન 2022માં નિવૃત્તિ લીધી. મિતાલીએ 232 વન-ડે મેચમાં રેકોર્ડ 7805 રન બનાવ્યા, જે મહિલા ક્રિકેટમાં સૌથી વધુ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 12 મેચમાં 699 રન બનાવ્યા અને 214 રનની ઇનિંગ રમીને બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય અને સૌથી યુવા મહિલા ખેલાડી બન્યાં. તેમણે કેપ્ટન તરીકે 2004 થી 2022 સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું અને તેમની આગેવાની હેઠળ ભારત 2005 અને 2017ના મહિલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યું.
    Click here to Read More
    Previous Article
    સંદીપ પાટીલે કહ્યું- યુવરાજને ધોનીએ ડ્રોપ નહોતો કરાવ્યો:યોગરાજ સિંહે ખોટા આરોપો લગાવ્યા; સચિન અને ગંભીર વિવાદ પર પણ વાત કરી
    Next Article
    ભારત સામે ટ્રમ્પે નવું હથિયાર ઉગામ્યું:શું છે 'સેક્શન 301', અમેરિકાએ ભારત સહિત 16 દેશ સામે તપાસ શરૂ કરી; ફરી ભારે ટેરિફ લગાવવાની તૈયારી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment