Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીઝલ-ATF પર એક્સપોર્ટ ડ્યુટી વધી, પેટ્રોલ પર ઘટી:દેશમાં ફ્યુઅલની અછત રોકવા માટે નિર્ણય લેવાયો, નવા ભાવ 16 જુલાઈથી લાગુ

    19 hours ago

    કેન્દ્ર સરકારે ડીઝલ અને વિમાન ઇંધણ એટલે કે ATFના એક્સપોર્ટ પર લાગતી ડ્યુટીમાં વધારો કર્યો છે. જ્યારે બીજી તરફ પેટ્રોલના એક્સપોર્ટ પર લાગતા ટેક્સમાં ઘટાડો કર્યો છે. ડીઝલના એક્સપોર્ટ પર ડ્યુટી ₹8.50 થી વધારીને ₹15.50 પ્રતિ લિટર કરી દીધી છે. એટલે કે, તેમાં પ્રતિ લિટર 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે ATF એટલે કે વિમાનના ઇંધણ પર એક્સપોર્ટ ડ્યુટી ₹7.50 થી વધારીને ₹14.50 પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. જોકે, પેટ્રોલ નિકાસકારોને થોડી રાહત આપતા તેના પર લાગતી ડ્યુટીને ₹4 થી ઘટાડીને ₹2.50 પ્રતિ લિટર કરી છે. ઇંધણના આ નવા ભાવ 16 જુલાઈથી દેશભરમાં લાગુ થઈ ગયા છે. દર 15 દિવસે સમીક્ષા થાય છે સરકારનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના સંકટને જોતા દેશની અંદર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કોઈ કમી ન થાય, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કંપનીઓ ઘરેલું બજારને બદલે બહાર તેલ વેચવાનું પસંદ ન કરે. સરકાર દ્વારા દર 15 દિવસે ડ્યુટી એટલે કે ટેક્સની સમીક્ષા કરવામાં આવે છે. માર્ચમાં લાગ્યો હતો ટેક્સ નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે 27 માર્ચે સરકારે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) અને રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) ના રૂપમાં આ ડ્યુટી લેવી શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલું બજારમાં ઇંધણની પર્યાપ્ત ઉપલબ્ધતા જાળવી રાખવાનો હતો. પશ્ચિમ એશિયા સંકટને કારણે વૈશ્વિક સ્તરે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે કંપનીઓ નફા માટે દેશની બહાર વધુ તેલ ન મોકલે, તેને રોકવા માટે આ ટેક્સ લગાવવામાં આવ્યો હતો. દર 15 દિવસે કિંમતો નક્કી થાય છે, છેલ્લી સમીક્ષા 1 જુલાઈએ થઈ હતી મંત્રાલયના અધિકારીઓ અનુસાર, ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને ATFની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે દર 15 દિવસે આ ડ્યુટી દરોની સમીક્ષા કરવામાં આવે છે. અગાઉની સમીક્ષા પછી 1 જુલાઈ 2026ના રોજ નવા દરો લાગુ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે 16 જુલાઈથી શરૂ થતા પખવાડિયા માટે આ નવા ફેરફારો કરવામાં આવ્યા છે. તેની સામાન્ય માણસ પર કોઈ અસર નહીં થાય કારણ કે આ ફક્ત 'એક્સપોર્ટ' એટલે કે દેશની બહાર મોકલવામાં આવતા ઇંધણ પરનો ટેક્સ છે અને ઘરેલું ઇમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ફેરફાર થયો નથી, તેથી ભારતના પેટ્રોલ પંપો પર સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર તેની કોઈ સીધી અસર પડશે નહીં.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: Argentina stun England to reach FIFA World Cup final; Supriya Sule on Delimitation Bill
    Next Article
    આજે જગન્નાથ રથયાત્રા:87 દિવસમાં 200થી વધુ કારીગરો ત્રણ રથ બનાવે છે, યાત્રા પછી એક પૈડું 3 લાખ રૂપિયા સુધી વેચાય છે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment