Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશેષ જાગૃતિ કાર્યક્રમ:ARTO બોટાદ દ્વારા સાળંગપુરમાં રિક્ષાચાલકો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન

    2 days ago

    એઆરટીઓ બોટાદ દ્વારા શુક્રવારના રોજ સાળંગપુર મંદિર પરિસર ખાતે રિક્ષા ચાલકો માટે માર્ગ સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તથા વાહનચાલકોમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન રિક્ષા ચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનું મહત્વ, સલામત ડ્રાઈવિંગ પદ્ધતિઓ તેમજ માર્ગ પર સંયમિત અને જવાબદાર વર્તન રાખવાની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ઓવરલોડિંગ ટાળવું, યોગ્ય ઝડપ જાળવવી, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, તેમજ મુસાફરોની સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ રહેવા બાબતે સમજ આપવામાં આવી હતી. આ સાથે માર્ગ સલામતી અંગે વધુ વ્યાપક જાગૃતિ ફેલાવવા માટે રિક્ષા ચાલકોને માહિતીપ્રદ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ રોજિંદા માર્ગ વ્યવહારમાં સલામતીના નિયમોને અમલમાં મૂકી શકે. રિક્ષા ચાલકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો ફિટનેસ ચેક: વાહનના બ્રેક, ટાયર અને હેડલાઈટ સમયાંતરે તપાસતા રહો. દસ્તાવેજો: લાઈસન્સ, વીમો અને RC બુક હંમેશા સાથે રાખો. નિયમો: વળાંક પર સિગ્નલ આપો અને નો-પાર્કિંગમાં વાહન ન ઉભું રાખો. નશા મુક્ત ડ્રાઈવિંગ: ક્યારેય કેફી દ્રવ્યોનું સેવન કરી વાહન ન ચલાવો.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં આજે વડાપ્રધાન જોડાશે:ગઝનવીના હુમલાના 1 હજાર વર્ષ, મંદિરનાં જીર્ણોદ્ધારની રજત જયંતિ; રાત્રે 3 હજાર ડ્રોનથી મહાદેવની ગાથા
    Next Article
    સ્કેન કરીને બાંગ્લાદેશી ઓળખાવતા મશીન પાછળનું સત્ય:SHOએ કહ્યું- મજાક હતી; લોકોએ કહ્યું- બિહારના છીએ, પોલીસ કાગળો માંગતી રહી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment