Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્વિશા કેસ- દોરડું AIIMS મોકલવામાં આવ્યું નથી, SIની કારમાં રાખ્યું:ફાંસો ઓળખનારનો રેકોર્ડ નથી;,તપાસની વિગતો ગિરિબાલા સુધી પહોંચી રહી હતી; પોલીસ તપાસમાં ગોટાળા સામે આવ્યા

    1 week ago

    એક્ટ્રેસ ટ્વિશા શર્માના મૃત્યુ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ કેસની કડીઓ જોડવામાં વ્યસ્ત છે, પરંતુ આ પહેલા થયેલી પોલીસ તપાસની પ્રક્રિયા પર સવાલો ઉભા થયા છે. નિવૃત્ત જજ સાસુ ગિરિબાલા સિંહ દ્વારા જબલપુર હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં સામે આવ્યું છે કે તપાસ સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો પહેલાથી જ તેમની પાસે પહોંચી રહ્યા હતા. આને કારણે તેઓ સમયસર આગોતરા જામીન મેળવવામાં સફળ રહ્યા. શરૂઆતમાં જ સાસુ ગિરિબાલા અને પતિ સમર્થને શંકાસ્પદ તરીકે ઓળખવા જોઈતા હતા, પરંતુ પોલીસે તેમ કર્યું નહીં. 13 મે 2026ના રોજ સવારે લગભગ 9:42 વાગ્યે સબ ઇન્સ્પેક્ટર (SI) દિનેશ શર્માએ ફાંસીનું દોરડું જપ્ત કર્યુ હતું, તેમ છતાં, દસ્તાવેજોમાં દોરડાની ઓળખ કરનારનો સ્પષ્ટ રેકોર્ડ નોંધાયેલો નથી. ટ્વિશાના પરિવાર વતી ભોપાલ કોર્ટમાં એડવોકેટ અંકુર પાંડે દલીલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દોરડાને તાત્કાલિક એમ્સ હોસ્પિટલ મોકલવાને બદલે SIની કારમાં રાખી દેવામાં આવ્યું. પાછળથી તેને તપાસ માટે મોકલવામાં આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ભૂલ છતાં જવાબદાર SI સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જણાવીએ કે, 27 મેના રોજ હાઈકોર્ટે ગિરિબાલા સિંહની આગોતરા જામીન રદ કરી દીધા હતા. કેસ ડાયરીના દસ્તાવેજો આરોપીઓ સુધી પહોંચ્યા જવાબમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દોરડા સંબંધિત જપ્તી દસ્તાવેજ કેસ ડાયરીનો ભાગ હતો. તે સમયે સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહ આરોપી નહોતા, તેથી કાયદેસર રીતે તેમને તે દસ્તાવેજ સુધી પહોંચવાનો અધિકાર નહોતો. આમ છતાં આગોતરા જામીન અરજીના જવાબ સાથે આ દસ્તાવેજ રજુ કરવા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આરોપ છે કે આનાથી તપાસ સંબંધિત દસ્તાવેજો આરોપીઓ સુધી પહેલાથી જ પહોંચી રહ્યા હતા. જોકે, આ સંબંધમાં તપાસ એજન્સીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. એક જ દિવસે તૈયાર થયેલા અન્ય જપ્તી દસ્તાવેજો જવાબમાં એ પણ ઉલ્લેખ છે કે તે જ દિવસે અન્ય ત્રણ જપ્તી દસ્તાવેજ પણ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહની વિગતો નોંધાયેલી હતી. આને આધાર બનાવીને તપાસ પ્રક્રિયામાં તફાવત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ ગિરિબાલા સિંહ દ્વારા 27 મે 2026 ના રોજ મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં કરવામાં આવેલી આગોતરા જામીન અરજી દરમિયાન રજૂ કરાયેલા જવાબ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. હવે તપાસ એજન્સીઓ પુરાવાઓની જપ્તી, તેમની સુરક્ષા અને સમગ્ર પ્રક્રિયાની પણ સમીક્ષા કરી રહી છે. સારવાર કરનાર મનોચિકિત્સકથી પૂછપરછ ટ્વિશા શર્માના મોત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ હવે ટ્વિશાની સારવાર કરનાર મનોચિકિત્સક ડોક્ટર સત્યકાંત ત્રિવેદીની પૂછપરછ કરી છે. તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ટ્વિશાની ખરેખર સારવાર થઈ હતી કે નહીં અને જો થઈ હતી તો તેની માનસિક સ્થિતિ કેવી હતી. ખરેખર, આરોપી ગિરિબાલા સિંહ દ્વારા ટ્વિશાને માનસિક રીતે પરેશાન અને મનોરોગ સંબંધિત સમસ્યા હોવાનો દાવો કરતા ભોપાલ કોર્ટમાં તેના ઇલાજ સંબંધિત કેટલાક દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. હવે સીબીઆઈ ટીમ આ મેડિકલ દસ્તાવેજોની વાસ્તવિકતાની તપાસ કરી રહી છે. આ જ સિલસિલામાં ડોક્ટર સત્યકાંત ત્રિવેદીનો સંપર્ક કરીને તેમની પાસેથી ઇલાજ અને કાઉન્સેલિંગ સંબંધિત માહિતી લેવામાં આવી. આ સવાલો પર સીબીઆઈએ પૂછપરછ કરી સૂત્રો અનુસાર, સીબીઆઈએ ડૉક્ટર પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો કે ટ્વિશાએ ક્યારે-ક્યારે તેમની પાસેથી સારવાર કરાવી હતી, તે કઈ સમસ્યાઓ લઈને આવી હતી, તેની માનસિક સ્થિતિ કેવી હતી અને કાઉન્સેલિંગ દરમિયાન તેણે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા કયા પાસાઓનો ઉલ્લેખ કર્યો હતો. સીબીઆઈ એ પણ તપાસ કરી રહી છે કે શું ટ્વિશા ખરેખર કોઈ માનસિક બીમારીથી પીડાઈ રહી હતી કે પછી તેની સારવાર સંબંધિત દસ્તાવેજોનો ઉપયોગ કેસમાં અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ડૉક્ટર સત્યકાંત ત્રિવેદીએ સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે દર્દી સંબંધિત અંગત માહિતી શેર કરવી તેના અધિકારોનું ઉલ્લંઘન છે, તેથી તેઓ ટ્વિશાના કાઉન્સેલિંગ દરમિયાન થયેલી વ્યક્તિગત વાતોનો ખુલાસો કરી શકતા નથી. હાલમાં, સીબીઆઈ મેડિકલ રેકોર્ડ, ડિજિટલ પુરાવા અને અન્ય તથ્યોને જોડીને કેસની તપાસ આગળ વધારી રહી છે. ગિરિબાલાએ જેમને સજા સંભળાવી તેવા 29 કેદીઓ પણ જેલમાં ગિરિબાલા સિંહ અને સમર્થને જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળવાના આરોપો સામે આવ્યા હતા. ત્યારબાદ જેલ પ્રશાસને બંનેને હોસ્પિટલ વોર્ડમાંથી બેરેકમાં શિફ્ટ કરી દીધા છે. કોર્ટના આદેશ બાદ ગિરિબાલાની સુરક્ષાને લઈને જેલ પ્રશાસન એલર્ટ છે. સીસીટીવી કેમેરા પણ વધારવામાં આવ્યા છે. સુરક્ષા વધારવાનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે ગિરિબાલાએ જજ તરીકે રહીને જે આરોપીઓને સજા સંભળાવી હતી, તેમાંથી 29 દોષિતો આ જ જેલમાં બંધ છે. ગિરિબાલા 15 જુલાઈ 2021 થી 28 ફેબ્રુઆરી 2023 સુધી ભોપાલ જિલ્લા કોર્ટમાં જજ રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી:ત્રણનાં મોત; 3 મીટર ઊંચી સુનામીની ચેતવણી, ઇન્ડોનેશિયા-મલેશિયા સુધી એલર્ટ
    Next Article
    દાગીના સાફ કરવાના એસિડ અને કેમિકલ્સે ટાંકીને ગેસ ચેમ્બર બનાવી:સુરતમાં ફેક્ટરી માલિકની બેદરકારીએ ભાણિયા સહિત 4ની જિંદગીઓ હોમી, મૃતક મેનેજર અને માલિક સામે ગુનો દાખલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment