Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AIથી બેરોજગારી નહીં, કામદારોની અછત થશે:એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનો દાવો, કહ્યું- પાણીની અછતથી AIની ગતિ અટકી શકે છે

    1 day ago

    એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનું માનવું છે કે AI નોકરીઓ ખતમ કરવાને બદલે નવી રોજગારીનું સર્જન કરશે. તેમણે કહ્યું કે આ ટેકનોલોજી ઇનોવેશનની ગતિ વધારશે, જેનાથી ભવિષ્યમાં બેરોજગારીને બદલે શ્રમની અછત (લેબર શોર્ટેજ) ઊભી થઈ શકે છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે પાણીની અછતથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ગતિ અટકી શકે છે. પેરિસમાં આયોજિત 'વિવાટેક 2026' કોન્ફરન્સમાં જેફ બેઝોસે AI અને રોજગારને લઈને ચાલી રહેલી વૈશ્વિક ચર્ચા પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. તેમણે કહ્યું કે AI નવી સમસ્યાઓને ઓળખવા અને તેમને ઉકેલવાની પ્રક્રિયાને સરળ બનાવીને માનવીય સર્જનાત્મકતાનો વ્યાપ વધારશે. બેઝોસે કહ્યું કે AI શ્રમની અછત (લેબર શોર્ટેજ) ઊભી કરવા જઈ રહ્યું છે, કારણ કે તેના દ્વારા લોકો વધુને વધુ સમસ્યાઓને ઓળખવામાં સક્ષમ બની શકશે. આ ચર્ચામાં બ્લુ ઓરિજિનના ચીફ એક્ઝિક્યુટિવ દેવ લિમ્પે પણ ભાગ લીધો હતો. બેઝોસે નવા વેન્ચર 'પ્રોમેથિયસ' વિશે જણાવ્યું બેઝોસે પોતાના નવા વેન્ચર 'પ્રોમેથિયસ'નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ એક AI સ્ટાર્ટઅપ છે. તેનો ઉદ્દેશ્ય એક 'આર્ટિફિશિયલ જનરલ એન્જિનિયર' તૈયાર કરવાનો છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રકારની ટેકનોલોજી ઇનોવેશન સાયકલની ગતિને ઘણી તેજ કરી દેશે અને એવા આઇડિયાઝ પર કામ કરવાનું શક્ય બનાવશે, જેને પહેલા વિચારવું પણ અશક્ય હતું. બેઝોસે કહ્યું કે જો આપણે ડ્રીમ-બિલ્ડ લૂપ (વિચારવા અને બનાવવાની પ્રક્રિયા) ને તેજ કરી શકીએ, તો બધા આઇડિયાઝ શક્ય બની જશે. આ પછી આપણે આપણી ક્ષમતાઓથી નહીં, પરંતુ આપણી કલ્પનાઓથી સીમિત રહીશું. સુપર-ઇન્ટેલિજન્સ માટે કૂલિંગ રિસોર્સિસ જરૂરી બેઝોસે AIને કારણે પર્યાવરણ પર પડી રહેલી અસર, ખાસ કરીને ડેટા સેન્ટર્સ માટે ભારે માત્રામાં પાણી અને વીજળીની જરૂરિયાત પર પણ વાત કરી. તેમણે કહ્યું કે જો AIની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો હોય, તો તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેટલાક ખાસ સંસાધનોને પ્રાથમિકતા આપવી પડશે. બાયોલોજિકલ લિમિટ્સ સાચી છે, પરંતુ ડિજિટલ પોટેન્શિયલ અસીમ છે. જો આપણે માત્ર મૂળભૂત માનવીય આરામ જાળવી રાખવા માટે આપણા ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી કૂલિંગ સંસાધનો (પાણી અને કૂલિંગના સાધનો) ને રોકીએ, તો આપણે એક એવી સુપર-ઇન્ટેલિજન્સના જન્મમાં વિલંબ કરી રહ્યા છીએ, જે શરૂઆતમાં જ આપણી તમામ સંસાધન સંબંધિત સમસ્યાઓ હલ કરી શકે છે. બેઝોસના આ નિવેદને ડેટા સેન્ટર્સના વિસ્તરણ અને પર્યાવરણ વચ્ચેના સંતુલનને લઈને એક નવી ચર્ચા જગાવી છે. ફક્ત ફરવા નહીં, ચંદ્ર પર રહેવા જઈ રહ્યા છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપરાંત, બેઝોસે સ્પેસ એક્સપ્લોરેશનને લઈને પણ પોતાનું લોંગ-ટર્મ વિઝન શેર કર્યું. તેમણે કહ્યું કે પૃથ્વીની બહાર મનુષ્યોની કાયમી વસાહતો સ્થાપવાની દિશામાં ચંદ્ર પહેલું પગલું હશે. બેઝોસે કહ્યું કે આપણે ચંદ્ર પર રહેવા માટે જઈ રહ્યા છીએ, ફક્ત ફરવા માટે નહીં. તેમણે જણાવ્યું કે ચંદ્ર પર હાજર સંસાધનો અને ત્યાંથી ઓછી લોન્ચિંગ કોસ્ટ (ઓછી કિંમત) તેને ભવિષ્યના સ્પેસ મિશનો માટે એક મુખ્ય કેન્દ્ર બનાવશે. મંગળ પર વસાહતનો રસ્તો થશે સાફ બેઝોસે આગળ કહ્યું કે ચંદ્ર પરની શોધ દ્વારા આગળ જતાં મંગળ ગ્રહ અને અન્ય સ્થળોએ માનવીય વસાહતો સ્થાપવાનો માર્ગ મોકળો થશે. તેમણે અવકાશમાં માનવીય વિસ્તરણને અત્યંત જરૂરી ગણાવ્યું, જેથી પૃથ્વી પર ચાલી રહેલી આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે એક યોગ્ય સંતુલન જાળવી શકાય.
    Click here to Read More
    Previous Article
    India should move away from being back office to world, become product nation: UIDAI chairman
    Next Article
    સોમનાથ બેકરી, ધ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ:અન્હાઇજેનિક કંડીશનમાં ખાદ્યપદાર્થોના વેચાણ, એક્સપાયરી માલના જથ્થાના આઇસોલેશન - લેબલિંગનો અભાવ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment