Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુજરાત આવીને ખૂબ જ મજા આવે છે':રકૂલપ્રિત-વામિકા અને આયુષ્માન ખુરાનાએ સિંહ દર્શન કર્યા, વનવિભાગ હવે સિંહની હિલચાલ પર નજર રાખવા AIનો ઉપયોગ કરશે

    7 hours ago

    સાસણ ગીરના આંગણે આજે મંત્રીઓ અને બોલિવૂડ સિતારાઓનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં પ્રકૃતિના રક્ષણ માટે હાઈટેક ટેકનોલોજીની જાહેરાત સાથે ગ્લેમર પણ જોવા મળ્યો હતો. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહોના અકસ્માત રોકવા માટે બેઠકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની ચર્ચા કરી ત્યારે બીજી તરફ બોલિવૂડ સ્ટાર્સ આયુષ્માન ખુરાના, રકુલપ્રીત સિંહ અને વામિકા ગબ્બીએ ખુલ્લી જીપ્સીમાં જંગલ સફારી કરી એશિયાઈ સિંહોના શાહી દર્શનનો રોમાંચ માણ્યો હતો. ગીરની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે ​સાંજના સમયે આ કલાકારોએ ખુલ્લી જીપ્સીમાં જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. સફારી દરમિયાન એશિયાઈ સિંહોના રૂબરૂ દર્શન થતા કલાકારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બોલિવૂડના માંધાતાઓની આ મુલાકાતથી ગીરની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે અને ગુજરાતના પર્યટનને મોટો વેગ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગીર નેશનલ પાર્ક એ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની ધરોહર છે અને સરકાર અહીં આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે સતત કટિબદ્ધ છે. કલાકારોને વન વિભાગ દ્વારા ગીરની જૈવ-વૈવિધ્યતા અને સિંહોના જતન માટે લેવાતા પગલાં વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. વન મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકારના આ હાઈટેક પ્રોજેક્ટ્સ અને પર્યટનલક્ષી અભિગમથી ગીરની ગરિમા સમગ્ર વિશ્વમાં વધુ તેજસ્વી બનશે. સિંહોના રક્ષણ માટે 'હાઈટેક' આયોજન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ મુલાકાત દરમિયાન વન વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં સિંહોના અકસ્માત રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આગામી સમયમાં ગીરમાં AI આધારિત નવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે, જે જંગલ વિસ્તારમાં સિંહોની દરેક હિલચાલ પર સતત નજર રાખશે. આ ટેકનોલોજીના કારણે સિંહો રેલવે ટ્રેક કે રસ્તા પર અકસ્માતનો ભોગ બનતા અટકશે. સ્થાનિકોના પ્રશ્નો અને રોજગારી પર ભાર આ બેઠક દરમિયાન મંત્રીએ માત્ર વન્યજીવો જ નહીં, પરંતુ સ્થાનિક માલધારીઓ, ગાઈડ્સ અને જીપ્સી ડ્રાઈવરો સાથે પણ સીધો સંવાદ કર્યો હતો. જંગલ વિસ્તારમાં રસ્તા અને વીજળીની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાની ખાતરી આપતા મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ₹1000 કરોડના 'લાયન પ્રોજેક્ટ' અંતર્ગત ગીર વિસ્તારમાં અનેક આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ વિકાસ વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે જેથી સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો મળે.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરના સરહદી ગામમાં ‘નલ સે જલ’ યોજના ફેલ:સિંહાદામાં મહિલાઓ પાણી માટે દર-દર ભટકવા મજબૂર; વરરાજાની વ્યથા- ‘શુભ પ્રસંગોમાં પણ ટેન્કરનો સહારો’
    Next Article
    How MS Dhoni and Sridharan Sriram fixed Noor Ahmad’s broken wrist-spin — and why CSK need it to hold

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment