Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબા બાગેશ્વરમાં ઈશ્વરીય શક્તિ, AI દુઃખ દૂર ન કરી શકે:આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું- ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રધ્ધા નથી ફેલાવતા, લોકોના દુઃખ સમજી દૂર કરે છે

    6 days ago

    રાજકોટમાં હાલ એક તરફ બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા ચાલી રહી છે ત્યારે બીજી તરફ શહેરના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ટાઇપ વન ડાયાબિટીસના બાળકો માટેના કેમ્પ દરમિયાન આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ બાબામાં ઈશ્વરીય શક્તિ હોવાનું કહ્યું છે. આ સાથે જ કહ્યું કે,AI દુઃખ દૂર નથી કરી શકવાનું પરંતુ, ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા ઈશ્વરીય કામ કરી લોકોના દુઃખ દર્દ સમજી દૂર કરે છે તો તેમાં ખોટું શું છે. બાબા પાસે એવી કોઈ પ્રેરણા હશે જે બીજાના દુઃખ સમજી શકે છે રાજકોટમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા મુદ્દે આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બાબા પાસે ઈશ્વરીય શક્તિ છે. બાબાને સભાનતા છે કે આ મારી પાસે જે છે એ મારું નથી. તેમની પાસે જે લક્ષ્મી આવે છે તેનો પણ સદુપયોગ કરે છે. બાબા પાસે એવી કોઈ પ્રેરણા હશે જે બીજાના દુઃખ સમજી શકે છે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા મામલે પરમાત્માનંદ સ્વામીએ કહ્યું, રામ મંદિર બનાવવું પણ સહેલું ન હતું, આપણું બંધારણ સેક્યુલર છે. રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે બંધારણીય અડચણો નડતી હોઈ છે. બાબા સનાતનનું જ કામ કરે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ મુદ્દે સ્વામીજીએ જણાવ્યું હતું કે, ધર્માંતરણ ન થવું જોઈએ. હેતુ માત્ર ધર્માંતરણનો જ નથી, રાષ્ટ્રપ્રાંતરણનો પણ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 2400 બાળકોને ટાઈપ-1 ડાયાબિટીસ છે રાજકોટના જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના અપુલ દોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં 2400 બાળકોને ટાઈપ-1 ડાયાબિટીસ છે. આ સંસ્થામાં નાનામાં નાનું 9 માસનું બાળક છે. 20થી 25 બાળકોની કિડની ફેલ્યોર છે અને ડાયાલિસિસ છે. અગાઉ 20000 બાળકોએ એક બાળકને ટાઇપ-1 ડાયાબિટીસનો રેશિયો હતો. આજે 1000 એ એક બાળક ટાઇપ 1 ડાયાબિટીસવાળા છે. અમે એક મેટ્રિમોનિયલ ગ્રૂપ ચલાવીએ છીએ. 47 બાળકોને 94 કપલ બનાવ્યા છે. અમારી રાજકોટ મનપા પાસે 1000 ચોરસ મીટર જમીન માંગેલી છે. અમને લીઝ ઉપર આપવા વિનંતી છે. જ્યાં બાળકો માટે એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવા માંગીએ છીએ તો જમીનની અરજી તાત્કાલિક મંજૂર કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ગેસના ભાવ વધારાથી ગૃહિણીઓ પરેશાન:રાજકોટની મહિલાએ કહ્યું- હવે ઘર ચલાવવા નવા હુન્નર અજમાવવા પડે છે, સામાન્ય માણસે જીવવું કે મરી જવું
    Next Article
    400 CCTV ફંફોળી પોલીસે જોડીયા ભાઈ સહિત ત્રણને શોધી કાઢ્યા:વટવા રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી મુંબઈ ફરવા નીકળ્યા હતા, સાયકલ પર જુહુ અને બાંદ્રા ફર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment