Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુજરાતમાં AAPના મોટાભાગના લોકો ભાજપમાં મર્જ થઈ જશે':ચૂંટણીમાં પોલીસ ભાજપનો ખેસ પહેરીને કામ કરતી જોવા મળી:અમિત ચાવડા, કોંગ્રેસની હારનું રાજકોટમાં 'પોસ્ટમોર્ટમ'

    1 week ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની હારનું 'પોસ્ટમોર્ટમ' કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સક્રિય થયા છે. આ અંતર્ગત રાજકોટમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, AICC સેક્રેટરી ઋત્વિજ મકવાણા અને જેનીબેન ઠુંમરની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં હારના મુખ્ય કારણો અને પક્ષની નબળાઈઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. હારના કારણો અને સત્તાના દુરુપયોગના આક્ષેપો બેઠક દરમિયાન અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા લોકોમાં સરકાર સામે ભારે નારાજગી હતી, છતાં પરિણામો વિપરીત આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપે પોલીસ અને સત્તાનો વ્યાપક દુરુપયોગ કરીને આ ચૂંટણી જીતી છે. ચૂંટણી જીતવા માટે ગુનેગારોને જેલમુક્ત કરવામાં આવ્યા અને બુટલેગરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો પણ તેમણે કર્યા હતા. દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના એનાલિસિસમાં આ મુદ્દો સામાન્ય જોવા મળ્યો છે. સંગઠનમાં ખામીઓ અને શિક્ષાત્મક પગલાંની તૈયારી અમિત ચાવડાએ પક્ષની આંતરિક નબળાઈઓનો પણ નિખાલસપણે સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે મંથન દરમિયાન કેટલીક મહત્વની ભૂલો સામે આવી છે. કેટલીક બેઠકો પર ઉમેદવારની પસંદગી કરવામાં ભૂલ થઈ હતી. તો અમુક જગ્યાએ પ્રભારીઓની ભૂલ અને આગેવાનોની નિષ્ક્રિયતા હાર માટે જવાબદાર રહી છે. કોંગ્રેસના કાર્યકરો યોગ્ય રીતે લોકો સુધી પહોંચી શક્યા નથી. આ તમામ પાસાઓ પર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે, જ્યારે નિષ્ઠાપૂર્વક કામ કરનારા કાર્યકરોને સંગઠનમાં નવા હોદ્દા અને પ્રમોશન આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. 'AAPમાંથી મોટાભાગના લોકો ભાજપમાં મર્જ થશે' 'આપ' (AAP) અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ RSS દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી પાર્ટી છે. જેનો એકમાત્ર એજન્ડા કોંગ્રેસના મતોનું વિભાજન કરી ભાજપને ફાયદો કરાવવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે પંજાબના રાજ્યસભા સભ્યોની જેમ ગુજરાતમાં પણ 'આપ'ના નેતાઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. લોકો હવે આ હકીકત સમજી રહ્યા છે અને સત્યથી વાકેફ થઈ રહ્યા છે. 2027માં પરિવર્તનનો આશાવાદ અંતમાં અમિત ચાવડાએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં કોંગ્રેસ પોતાની ભૂલો સુધારીને ફરી બેઠી થશે. જનતા સુધી ભાજપ અને 'આપ'ની મિલીભગતની વાસ્તવિકતા પહોંચાડવામાં આવશે. જેના પરિણામે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ચોક્કસપણે પરિવર્તન આવશે અને લોકો કોંગ્રેસના શાસન માટે મતદાન કરશે.
    Click here to Read More
    Previous Article
    5 જિલ્લા માથે માવઠું તોળાયું:અલગ ખોડલધામ મુદ્દે પાટીદારોમાં ભાગલા, હોર્મુઝમાં સલાયાનું જહાજ ડૂબ્યું-1નું મોત, ડાકોર મંદિરમાં પૂજાવિધિ મોંઘી થઇ
    Next Article
    સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર:ફુરસદ ગામમાં આરોપીએ પોલીસ પર બંદૂક તાણી તો પોલીસે યુપી સ્ટાઈલથી પગમાં ગોળી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment