Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાના સમર્થનમાં AAPની રાજ્યવ્યાપી સપોર્ટ માર્ચ:સુરત-અમદાવાદમાં આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી, ધારાસભ્ય પદેથી દૂર કરવા ષડયંત્ર રચાયું હોવાનો આક્ષેપ

    3 days ago

    આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે ષડયંત્રના ભાગરૂપે એક કેસ કરવામાં આવ્યો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ નવ લોકોને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી. જેથી આમ આદમી પાર્ટીએ આજે આ સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં “સપોર્ટ માર્ચ” પદયાત્રાનું આયોજન કર્યું હતું. બરોડા પ્રિસ્ટેજથી મીની બજાર સુધીની પદયાત્રા સુરત ખાતે બરોડા પ્રિસ્ટેજથી મીની બજાર સરદાર સાહેબની પ્રતિમા સુધી આમ આદમી પાર્ટી દ્વારા આ સપોર્ટ માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક, પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઈનચાર્જ રજનીકાંત વાઘાણી, નવસારી લોકસભા ઈનચાર્જ પંકજ તાયડે, કોર્પોરેટરો પંકજ ચાવડા, અસ્મિતા ધોરાજીયા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ભાજપે વસાવાને ધમકાવવાની અને લોભ-લાલચની અનેક કોશિશો કરીઃ રામ ધડુક આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુકે જણાવ્યું કે, આદિવાસી સમાજ માટે લડત લડનારા, જળ, જંગલ, જમીનની રક્ષા કરવા માટે લડત લડનારા તથા ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવનાર આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્રના ભાગરૂપે કાયદાનો દુરુપયોગ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારથી ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડાથી ચૂંટણી જીત્યા છે, ત્યારથી જ ભાજપે તેમને ડરાવવા-ધમકાવવાની અને લોભ-લાલચ આપવાની અનેક કોશિશો કરી, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ સામે ઝૂક્યા નથી. જેના કારણે ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરીને વારંવાર ધારાસભ્ય ચૈતર વસાવા પર કેસ કરી ચૂકી છે અને ચૈતર વસાવાને અનેક વાર જેલમાં મોકલવામાં આવ્યા છે. વસાવા ભાજપની આંખમાં કણાની જેમ ખૂંજતા હતાઃ ધર્મેશ ભંડેરી પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ષડયંત્ર રચીને ચૈતર વસાવાને ધારાસભ્ય પરથી દૂર કરવા માંગતી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે ચૈતર વસાવા સડકથી લઈને વિધાનસભા સુધી આદિવાસી સમાજ સહિત સમગ્ર ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવે છે અને ભાજપનો અસલી ચહેરો લોકો સમક્ષ લાવે છે, જેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપની આંખમાં કણાની જેમ ખૂંજતા હતા. ન્યાય ન મળે ત્યાં સુધી આપ પોતાની લડત ચાલુ રાખશેઃ લોકસભા ઈનચાર્જ સુરત લોકસભા ઈનચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓ પર વર્ષોથી કેસો ચાલી રહ્યા છે, પરંતુ તેમને સજા કરવામાં આવતી નથી. ભૂમાફિયાઓ, ભ્રષ્ટાચારીઓ, ખરાબ રોડ-બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરો, દારૂ-ડ્રગ્સ વેચનારા માફિયાઓ સહિત અનેક લોકો ખોટા કામ કરીને પણ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જ્યારે જનતાનો અવાજ ઉઠાવનાર ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા છે, તો ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય ન મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાની લડત ચાલુ રાખશે. અમદાવાદમાં પ્રદેશ કાર્યાલયથી ઇન્કમ ટેક્સ સર્કલ સુધીની પદયાત્રા અમદાવાદમાં પણ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ‘સપોર્ટ માર્ચ પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલયથી ઇન્કમ ટેક્સ સર્કલ સુધીની પદયાત્રામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી ડૉ. કરણ બારોટ, પ્રદેશ છાત્ર વિંગ અધ્યક્ષ ધાર્મિક માથુકિયા તેમજ પ્રદેશ માલધારી સેલ અધ્યક્ષ કિરણ દેસાઈ સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદયાત્રા દરમિયાન કાર્યકરો અને સમર્થકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. નેતાઓએ ચૈતર વસાવાના સમર્થનમાં એકતા અને સંગઠનની શક્તિ દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    એક ફૂટબોલ વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ બન્યો:અત્યાર સુધીમાં 177 ગોલ, કતાર 2022નો રેકોર્ડ તૂટ્યો; ઇક્વાડોરે જર્મનીને હરાવ્યું
    Next Article
    No Home, No Safety: How Exposed Are Children Growing Up On India's Streets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment