Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ AAPમાં ભડકો:લોકસભા ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેનું રાજીનામું, પાર્ટીમાં શિસ્તના અભાવ અને અવગણનાનો લગાવ્યો ગંભીર આક્ષેપ

    18 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. વલસાડ લોકસભા બેઠકના ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેએ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે પાર્ટીના આંતરિક માળખા અને કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. ​પાર્ટીમાં શિસ્ત નથી, માત્ર વાતો થાય છે: રાજીવ પાંડે ​રાજીનામું આપ્યા બાદ ડો. રાજીવ પાંડેએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પાર્ટીમાં અનુશાસનનો ભારે અભાવ છે. કોઈ પણ પ્રકારના SOP કે પ્રોટોકોલનું પાલન કરવામાં આવતું નથી. કેટલાક ધારાસભ્યો અને ઉપરના નેતાઓ સાથેની ઓળખાણને કારણે મનસ્વી રીતે નિર્ણયો લેવાય છે. અમે મૌખિક અને લેખિતમાં અનેકવાર રજૂઆતો કરી, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.” ​સંસાધનોના અભાવે ચૂંટણી લડવી મુશ્કેલ ​તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પાર્ટી દ્વારા વલસાડ જિલ્લાની સતત અવગણના કરવામાં આવી રહી છે. સુરત અને સૌરાષ્ટ્રમાં જે રીતે સંસાધનો અને ધ્યાન આપવામાં આવે છે, તેવું વલસાડમાં જોવા મળતું નથી. સંસાધનો વગર ચૂંટણી લડવી અને જીતવી અશક્ય છે. પ્રદેશ નેતાઓના માત્ર પ્રવાસ કરવાથી વિજય હાંસલ કરી શકાતો નથી, ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવું જરૂરી છે. ​અનેક દિગ્ગજ નેતાઓ સામે નારાજગી ​ડો. પાંડેએ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સંગઠન મંત્રી મનોજ સોરઠીયા અને દક્ષિણ ગુજરાત પ્રભારી રામ ધડુક સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “દરેક નેતાએ માત્ર આશ્વાસન જ આપ્યું છે, પણ જમીની સ્તરે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.” ​શું હવે કોંગ્રેસમાં જોડાશે? ​જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આગામી સમયમાં કઈ પાર્ટીમાં જોડાશે, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ સાથે તેમની વિચારધારા મળતી નથી. તેથી તેઓ ટૂંક સમયમાં પોતાની સમાન વિચારધારા ધરાવતી પાર્ટી (શક્યતા મુજબ કોંગ્રેસ) માં જોડાઈ શકે છે. ​"મેં તો ખુલીને અવાજ ઉઠાવ્યો છે, બાકી જિલ્લા પ્રમુખથી લઈને તમામ હોદ્દેદારો પાર્ટીની કાર્યપદ્ધતિથી ત્રસ્ત છે. આ રીતે પરિવર્તન લાવી શકાય નહીં." સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ડો. પાંડે જેવા સક્રિય નેતાનું રાજીનામું AAP માટે વલસાડમાં નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    ધાનેરાની રેલ નદી પર ચેકડેમ નિર્માણ થશે:ખેડૂતોની પાણીની સમસ્યા હલ કરવા સરકારનો મહત્વનો નિર્ણય
    Next Article
    6 Killed In Qatari Helicopter Crash, Search On For 1 Missing Person

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment