Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોપાલના ગઢમાં રાજુ કરપડાનું શકિત પ્રદર્શન:'AAPમાં મરદ મુછાળો હતો અને પાર્ટી છોડ્યાની 20મી મિનિટે ડરપોક-ગદ્દાર થયો?', વિસાવદરમાં ખેડૂતો ઉમટ્યા

    1 week ago

    જૂનાગઢ જિલ્લાના ગોપાલ ઈટાલિયાના ગઢ વિસાવદર ખાતે આજે ખેડૂત નેતા રાજુ કરપડાની ઉપસ્થિતિમાં 'ખેડૂત સંકલ્પ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતાં. મોટરસાયકલ અને કારના વિશાળ કાફલા સાથે નીકળેલી આ રેલીએ સમગ્ર વિસાવદર પંથકમાં ખેડૂત એકતાનો માહોલ સર્જ્યો હતો. રાજુ કરડાએ કહ્યું, 'AAPમાં મરદ મુછાળો હતો અને પાર્ટી છોડ્યાની 20મી મિનિટે ડરપોક-ગદ્દાર થયો?'. રેલી બાદ આયોજિત જાહેર સભામાં રાજુ કરપડાએ વિસાવદરના વર્તમાન ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી પર આકરા કટાક્ષો અને પ્રહારો કરી રાજકીય ગરમાવો લાવી દીધો હતો. 'મેરી માં મેરે સાથ હૈ': સંઘર્ષની વાત અને ખેડૂતોનો સાથ સભાને સંબોધતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા આઠ વર્ષોથી ખેડૂતો માટે લડાઈ લડતો આવ્યો છું અને કાયમ માટે જ્યારે ખેડૂતોને જરૂર પડશે ત્યારે ખેડૂતોની વચ્ચે ઊભો રહીશ. જ્યારે હું પાર્ટી છોડી મેદાનમાં ઉતર્યો ત્યારે મને ઘણા લોકો કહેતા હતા કે તમે પાર્ટીઓ છોડી, હવે તમને સાથ કોણ આપશે? તેને વધુમાં કહ્યું કે, ત્યારે મેં દીવાર ફિલ્મના ડાયલોગની જેમ કહ્યું હતું કે 'મેરી માં મેરે સાથ હૈ' અને હજારો ખેડૂતો મારી સાથે છે. આજે અહીં ઉમટેલી મેદનીએ સાબિત કરી દીધું છે કે હજારો ખેડૂતો મારી સાથે છે. જ્યાં સુધી ખેડૂતોનો સાથ અને સહકાર મળતો રહેશે ત્યાં સુધી રાજુ કરપડાને ખતમ કરવાની કોઈની તાકાત નથી. 'જેના માટે કામ કર્યું, એ જ પાર્ટીએ મને સૌથી વધુ ગાળો આપી' રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા વ્યથા ઠાલવી હતી કે, પાર્ટી છોડતાની સાથે જ સૌથી વધારે મેં જેના માટે કામ કર્યું, એ જ પાર્ટીએ મને સૌથી વધુ ગાળો આપી. દુઃખ એ વાતનું છે કે વિસાવદરમાં તમે બધા સાક્ષી છો કે જેના માટે મેં રાત-દિવસ દોઢ મહિના સુધી મહેનત કરી, પરિવારથી દૂર રહીને પરિણામ લાવ્યા, તેના બદલામાં મને શું મળ્યું? બદલામાં માત્ર એટલું મળ્યું કે રાજુ કરપડા કેવી રીતે જેલમાં જાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. 'વિસાવદરના ધારાસભ્યને વાંધો છે, તેને ઉપાધિ થઈ ગઈ છે' ધારાસભ્ય પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે હાલ ભેસાણ, વિસાવદર અને જૂનાગઢના ખેડૂતોને હું કોઈ પણ પાર્ટીમાં જોડાઉં તેનાથી વાંધો નથી, પરંતુ વિસાવદરના ધારાસભ્યને વાંધો છે, તેમને ઉપાધિ થઈ ગઈ છે. વિસાવદરની પેટાચૂંટણી આવી છે કે લાવવામાં આવી છે? ધારાસભ્ય ગયા પહેલા જ ઉમેદવાર નક્કી થઈ ગયો હતો. 'મારું સીધું ગણિત છે કે મારે ધારાસભ્ય ક્યારેય બનવું નથી' પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા કરપડાએ કહ્યું, હું રાજકીય માણસ નથી, મારું સીધું ગણિત છે કે મારે ધારાસભ્ય ક્યારેય બનવું નથી. ખેડૂતો માટેની લડાઈ આજીવન લડવાની છે. મારા ખેડૂતોના દિલમાં સ્થાન મળે એનાથી વિશેષ સ્થાન વિધાનસભાનું પણ નથી. અત્યારે આ બિનરાજકીય લડાઈ છે, મારા ખેડૂતો જેમ કહેશે તેમ હું કરીશ. જો ભગવાનની મરજી હશે અને નસીબમાં લખ્યું હશે તે દિવસે જે પાર્ટીમાં જવાનું હશે ત્યાં જશું, પણ હું મારા પ્રાણ પાથરીને પણ ખેડૂતોના હિતમાં ઉભો રહીશ. 'ગામડે ગામડે ફર્યા પણ ડાયરી ખોવાઈ ને વેદના વિસરાઈ ગઈ' રાજુ કરપડાએ 'વેદનાની ડાયરી'નો ઉલ્લેખ કરતા કટાક્ષ કર્યો કે, જે લોકોએ ખેડૂતોની વેદનાની ડાયરી લખીને ઓભેડીએ ચડાવી દીધી છે, તેમને કહીએ છીએ કે એ ડાયરી કુરિયર કરીને રાજુ કરપડાને મોકલી આપો. ડાયરીના એક-એક મુદ્દા પર હું લડવા તૈયાર છું. ગામડે ગામડે ફર્યા પણ ડાયરી ખોવાઈ ગઈ અને વેદના વિસરાઈ ગઈ. જેલ અને ગદ્દારીના આક્ષેપો પર કરપડાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, કોઈએ જેલનો ડર બતાવ્યો, કોઈએ ડરપોક કે ગદ્દાર કહ્યા. જ્યાં સુધી પાર્ટીમાં હતો ત્યાં સુધી મરદ મુછાળો હતો, અને પાર્ટી છોડ્યાની 20મી મિનિટે ડરપોક અને ગદ્દાર થઈ ગયો ? મુખ્ય ત્રણ મુદ્દાઓ અને સંકલ્પ રાજુ કરપડાએ સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ખેડૂતોને એક મંચ પર લાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. તેમણે આગામી સમય માટે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો 'પંજાબમાં લડી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કેમ થાય છે?' કરપડાએ હાઈટેન્શન લાઈન બાબતે કંપનીઓની દાદાગીરી અને વળતર મુદ્દે પણ લડત આપવાની જાહેરાત કરી હતી. તેમણે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, અહીં ખેડૂતો માટે રેલીઓ કાઢતા નેતાઓને પૂછવું જોઈએ કે પંજાબમાં ખેડૂતોને કેટલા કલાક વીજળી મળે છે? ત્યાં લડી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કેમ થાય છે? આ મુદ્દે હું જાહેર મંચ પર ડિબેટ કરવા તૈયાર છું. 'ગાંધીનગરમાં જઈ ફોટા પડાવવાથી ખેડૂતોનું ભલું થવાનું નથી' રાજુ કરપડાએ ચેતવણી આપતા જણાવ્યું કે, અમને છંછેડશો નહીં. નાત-જાતના વાડા પાડવાનું બંધ કરી ખેડૂતોના પ્રશ્નો ઉકેલો. હું એલએલબી ભણ્યો છું અને જાહેર જીવનમાં છું. માત્ર ગાંધીનગરમાં જઈ ફોટા પડાવવાથી ખેડૂતોનું ભલું થવાનું નથી. જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધી વિધાનસભાના દરવાજે બેસી જવાની મારી તૈયારી છે.ખેડૂત સંકલ્પ યાત્રા હવે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ પ્રસ્થાન કરશે અને ખેડૂતોને સંગઠિત કરવાનું કાર્ય ચાલુ રાખશે.
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:સિંહ-ધન રાશિની અધૂરી ઈચ્છાઓ થશે પૂરી, વૃષભ-મકર રાશિએ વ્યવહારમાં સાવધ રહેવું
    Next Article
    પૈસાની લેતીદેતી મામલે હુમલો:ઉછીના આપેલા રૂ. 40,000 પરત માંગતા કાકા પર ભત્રીજા સહિત ચાર શખ્સોનો જીવલેણ હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment