Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસના મોંઘા ભાવથી કંટાળી હજારો પરપ્રાંતીયો વતન ભણી:ગેસ કટોકટી વચ્ચે શ્રમિકોને મદદ કરવા ઉતરેલી AAP, ફૂડ વિતરણ દરમિયાન નેતાઓની અટકાયત

    9 hours ago

    સુરત શહેર અત્યારે એક અભૂતપૂર્વ ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના વંટોળે સાત સમંદર પાર સુરતના ઉદ્યોગો અને અહીં વસતા લાખો પરપ્રાંતીય શ્રમિકોના રસોડા સુધી માઠી અસર પહોંચાડી છે. ગેસની તીવ્ર અછત અને આસમાને પહોંચેલા ભાવોને કારણે શ્રમિકોનું સામૂહિક પલાયન શરૂ થયું છે, જેની વચ્ચે રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે. ભારતમાં આવતા LPG અને LNG ના જથ્થામાં મોટો કાપ મુકાયો ફેબ્રુઆરી 2026ના અંતમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધે વૈશ્વિક સપ્લાય ચેઈનને ખોરવી નાખી છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સર્જાયેલા અવરોધોને કારણે ભારતમાં આવતા LPG અને LNGના જથ્થામાં મોટો કાપ મુકાયો છે. ગુજરાત ગેસ અને અદાણી ટોટલ ગેસ જેવી કંપનીઓએ ફોર્સ મેજેર જાહેર કરીને ઔદ્યોગિક પુરવઠામાં 50% થી 60% સુધીનો ઘટાડો કર્યો છે પરંતુ, આ કટોકટીની સૌથી ગંભીર અસર સુરતના ઉધના, પાંડેસરા અને સચિન જેવા વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકો પર પડી છે. શ્રમિકોનો આરોપ છે કે બજારમાં રાંધણ ગેસના નાના સિલિન્ડર મળતા બંધ થયા છે અને કાળાબજારમાં ગેસનો ભાવ 500 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભારે ભીડ જોવા મળી રહી છે છેલ્લા એક અઠવાડિયાથી સુરતના ઉધના અને સુરત મેઈન રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના હજારો શ્રમિકો પોતાના પરિવાર સાથે વતન પરત ફરી રહ્યા છે. શ્રમિકોનું કહેવું છે કે, કામ છે પણ ખાવાનું બનાવવા માટે ગેસ નથી. હોટલોમાં જમવું પરવડતું નથી અને મકાનમાલિકો લાકડા સળગાવવાની મંજૂરી આપતા નથી. ભૂખ્યા રહેવા કરતા વતન જવું બહેતર છે. શ્રમિકોના આ પલાયન વચ્ચે રાજકીય પક્ષો પણ મેદાને ઉતર્યા છે. આમ આદમી પાર્ટીએ માનવતાના ધોરણે શ્રમિકોને મદદ કરવાનું નક્કી કર્યું હતું. સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને પંકજ તાયડેની આગેવાનીમાં રેલવે સ્ટેશનની બહાર ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. AAP નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જોકે, આ સેવાકીય પ્રવૃત્તિ વિવાદમાં પરિણમી હતી. શરૂઆતમાં પોલીસે ફૂડ વિતરણ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે AAP નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. નેતાઓની દલીલ હતી કે આ માત્ર સેવા છે, જ્યારે પોલીસનું કહેવું હતું કે તેનાથી સ્ટેશન પરિસરમાં અવ્યવસ્થા સર્જાય છે. છેવટે મંજૂરી મળી, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થતા જ પોલીસે રજનીકાંત વાઘાણી અને પંકજ તાયડેની અટકાયત કરી હતી. આ ઘટનાને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોરોનાકાળમાં કેમ્પેઈન ચલાવી લોકોને સચેત કર્યા આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, નોટબંધીના સમયે પણ આમ આદમી પાર્ટીએ લાઈનમાં ઉભેલા લોકોની સેવા કરવાનો પ્રયાસ કર્યો હતો અને સેવા કરી હતી. કોરોના કાળમાં પણ ઓક્સિમીટર કેમ્પેઈન ચલાવી લોકોના ઘરે-ઘરે જઈ લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે ઓક્સિમીટર કેમ્પેઈનથી લોકોનું ઓક્સિજન માપી અને લોકોને સચેત કર્યા હતા. ત્યારબાદ આવેલા કોરોના કાળ એની બીજી લહેરમાં લોકોની કાળજી માટે થઈ આઈસોલેશન સેન્ટર આમ આદમી પાર્ટીના નગરસેવકોએ સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં 8 આઈસોલેશન સેન્ટરો ઊભા કરી લોકોની મહાભગીરથ સેવા કરવાનો પ્રયાસ કર્યો. આજે ઉધના રેલવે સ્ટેશન ખાતે ફૂડ પેકેટ વિતરણ કરવા માટે આવ્યા છીએ આજે ફરી એવું જ એક રાષ્ટ્રીય સંકટ આપણા દેશની અંદર આવી ગયું છે ત્યારે સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા, ટેક્સટાઇલ ઉદ્યોગની જીવાદોરી સમાન, આપણી કરોડરજ્જુ સમાન આ શ્રમિકો ગેસના બાટલાની અછતના કારણે ભાજપ સરકારની અનીતિના કારણે ગેસની જે કટોકટી સર્જાઈ છે એના કારણે આજે શ્રમિકો પરેશાન છે. એમને જમવાની વ્યવસ્થા માટે ગેસની બોટલો નથી મળતી એટલે એ પોતાના વતન ભણી જઈ રહ્યા છે. ત્યારે એમની સેવા કરવાના ભાવ સાથે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ, તમામ નગરસેવકો, સંગઠનની ટીમ આજે ઉધના રેલવે સ્ટેશન ખાતે ફૂડ પેકેટ વિતરણ કરવા માટે આવ્યા છીએ અને અમે એમની માફી માંગવા આવ્યા છીએ અને એમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમે સૌ સુરતના ઉદ્યોગના પ્રાણ છો, કરોડરજ્જુ છો. અમે અમારાથી જેટલી યથાશક્તિ સેવા થઈ શકે એટલા પ્રયાસો કરીએ છીએ. શ્રમિકો પોતાના ઘરે જવા માટે કાલે સાંજથી લાઈન લગાવીને ઉભા છે આજે ગેસની બોટલ નથી મળતી પણ કાળા બજારિયાઓ પાસે જાવ તો 7000, 8000, 10000માં એક ગેસના બાટલાની બોટલ મળે છે. આ ભાજપ સરકાર કાળા બજારિયાઓની સરકાર હોય એવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે. 6 વર્ષ પહેલાની પરિસ્થિતિ એની એ જ પરિસ્થિતિ આજે છે. તે દિવસે લાઈનમાં ઉભા હતા, નોટબંધી સમયે લાઈનમાં ઉભા છીએ અને આજેય શ્રમિકો પોતાના ઘરે જવા માટે કાલે સાંજથી લાઈન લગાવીને ઉભા છે. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં આ બાજુય તમે જુઓ હજારોની સંખ્યામાં અહીંયા લોકો લાઈન લગાવીને ઉભા છે. અમારાથી થઈ શકે એટલા પ્રયાસો અમે કરી રહ્યા છીએ. લોકોની મદદ માટે આમ આદમી પાર્ટીનો ઉદય થયો અને એ આમ આદમી પાર્ટી આજે ફૂડ વિતરણ કરવાના આશય સાથે, ફૂડ પેકેટ વિતરણ કરવાના આશય સાથે ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી છે. અમે આ શ્રમિકોની માફી માંગીએ છીએ સાથે એમને વિનંતી કરીએ છીએ તમે ભલે આજે જાવ પણ તમે સુરત શહેરની કરોડરજ્જુ છો, આપણા રાષ્ટ્રના સાચા નિર્માતા તમે છો. આ રાષ્ટ્રની અર્થનીતિને એને ગતિ આપવાનું કામ આ શ્રમિકો કરે છે. જો શ્રમિકો જ નહીં બચે તો ઉદ્યોગો બચશે નહીં. તે દિવસે ઉદ્યોગપતિઓને ઇન્જેક્શન, બાટલા, ઓક્સિજનના બાટલા બધું મળતું હતું. આજેય એ અમીરોને બધું મળી રહ્યું છે અને ગરીબો આજે હેરાન પરેશાન છે. ક્યાં સુધી સહીશું? આ પરિસ્થિતિને બદલવી પડશે.
    Click here to Read More
    Previous Article
    8,931 days: Union ministers, BJP chief hail Modi for becoming longest-serving head of elected govt
    Next Article
    મિત્ર એ જ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી કાસળ કાઢ્યું:સુરતમાં જીદમાં થયેલી માથાકૂટનો લોહિયાળ વળાંક, આરોપીને ફિલ્મી ઢબે પકડ્યો; ચેઝિંગનો LIVE વીડિયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment