Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં પ્રિન્સિપાલે 900 વિદ્યાર્થીઓનાં જીવ બચાવ્યા:એલર્ટ મળતા જ સ્કૂલ ખાલી કરાવી; થોડીવારમાં આખી ઇમારત તણાઈ ગઈ; અત્યાર સુધીમાં 955નાં મોત

    17 hours ago

    નેપાળમાં 26 ઓગસ્ટે આવેલી ભયાનક પૂર દરમિયાન એક શાળાના પ્રિન્સિપાલના સમયસર લીધેલા નિર્ણયથી લગભગ 900 વિદ્યાર્થીઓના જીવ બચી ગયા. ત્રિશુલી સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીને પૂરની ચેતવણી મળતા તેમણે તરત જ શાળા ખાલી કરાવી દીધી અને વિદ્યાર્થીઓને ઊંચી જગ્યાએ મોકલી દીધા. શાળામાં કુલ 1,643 વિદ્યાર્થીઓ ભણતા હતા. દુર્ઘટના સમયે લગભગ 900 વિદ્યાર્થીઓ કેમ્પસમાં હાજર હતા. દવાડી વિદ્યાર્થીઓ સાથે નજીકની ટેકરી પર પહોંચ્યા. થોડી જ વાર પછી પાણી, કાદવ, ખડકો અને કાટમાળનો તેજ પ્રવાહ શાળાની આખી ઇમારતને વહાવી ગયો. શાળાના બે કર્મચારીઓ સમયસર બહાર નીકળી શક્યા નહીં અને હજુ પણ ગુમ છે. 26 ઓગસ્ટે તિબેટમાં ગ્લેશિયર તૂટ્યા પછી નેપાળના ઘણા વિસ્તારોમાં અચાનક પૂર અને ભૂસ્ખલન થયું. આ આફતમાં નેપાળ અને તિબેટમાં અત્યાર સુધીમાં 955 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ગુમ છે. નેપાળ હોનારતની 3 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ચીને યુદ્ધની તૈયારી માટે રક્ષા કાયદો બદલ્યો:સામાન્ય લોકોના સંસાધનો સરકાર ઉપયોગ કરી શકશે; આદેશ ન માનવા પર સજા થશે
    Next Article
    "Poison For The Game": Ex-Pak Captain's Explosive Attack On Babar's Coaches

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment