Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાપાલુઈસ પીઝામાં પીઝા ખાતા ચેતજો!:મનપાનાં દરોડામાં કિચનમાં અતિશય ગંદકી અને મરેલા વંદો જોવા મળ્યો, 90 કિલો અખાદ્ય વસ્તુનો નાશ

    4 days ago

    રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર ડો. નેહલ શુક્લનાં આદેશ બાદ આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ ગઈ છે. અને આજે શહેરનાં રામકૃષ્ણ નગરમાં આવેલા પાપા લુઈસ પીઝા તેમજ નાનામૌવા ચોક નજીક આવેલ FBK (ફેન્સ બેકયાર્ડ કિચન)માં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પાપા લુઈસ પીઝા પાર્લરના કિચનમાં ભારે ગંદકી અને અખાદ્ય વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પરથી આશરે 80-90 કિલો જેટલો વાસી અને સડેલો ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત FBKમાંથી પણ 20 કિલો અખાદ્ય વસ્તુ મળતા તેનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી. કિચનની ગંદકી જોઈ ફૂડ ઓફિસર પણ ચોંકી ઉઠ્યા મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર કેતન રાઠોડે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા રામકૃષ્ણનગર મેઈન રોડ પર સ્થિત પાપાલુઈસ પીઝા પાર્લરમાં રેન્ડમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન જ્યારે ફૂડ ઓફિસરોની ટીમ કિચનમાં પહોંચી ત્યારે ત્યાં અત્યંત અસ્વચ્છ અને અનહાઈજીનિક સ્થિતિ જોવા મળી હતી. કિચનના ફ્રિજમાં રાખવામાં આવેલા પાસ્તા, નૂડલ્સ અને રાઈસ (ભાત) જે અગાઉ રાંધેલા હતા, તેમાં અતિશય ખાટી વાસ આવી રહી હતી. આ બધી સામગ્રી સંપૂર્ણપણે વાસી થઈ ચૂકી હતી. અને તે કોઈ સંજોગોમાં ખાવા લાયક નહોતી. આવું વાસી ભોજન ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ આ ઉપરાંત, બીજા ફ્રિજની અંદર આઈસ્ક્રીમ અને ચીઝ જેવી ડેરી પ્રોડક્ટ્સ સ્ટોર કરવામાં આવી હતી, જ્યાં મોટા પ્રમાણમાં જીવાત અને વંદા જોવા મળ્યા હતા. ખાદ્ય પદાર્થોની આટલી નજીક જીવાત અને વંદા હોવા છતાં ગ્રાહકોને તે જ સામગ્રી પીરસવામાં આવી રહી હતી, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. આ પ્રકારે વાસી, સડેલી અને જીવાતવાળી સામગ્રી ગ્રાહકોને પીરસવાથી તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ માઠી અસર થાય છે. આવું દૂષિત ભોજન ખાવાથી લોકોને ઝાડા-ઉલ્ટી થવાની 100 ટકા શક્યતા રહેલી છે તેમજ ગંભીર ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, લોકો હોટલો અને રેસ્ટોરન્ટમાં મોંઘા ભાવ ચૂકવીને જે ખોરાક આરોગે છે, તે આટલો અસ્વચ્છ હોય તો તે નાગરિકોના જીવ સાથે ખુલ્લેઆમ રમત સમાન છે. જેને લઈને સ્થળ પરથી મળી આવેલા આશરે 80થી 90 કિલો જેટલા અખાદ્ય અને વાસી જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSSAI)ના નિયમો અનુસાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. મનપા દ્વારા પીઝા પાર્લરને કડક નોટિસ ફટકારવામાં આવી છે અને કાયદેસરનો દંડ વસૂલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પેસ્ટ કંટ્રોલ કરાવવા માટે રેસ્ટોરન્ટ બંધ રાખ્યાનો બચાવ બીજી તરફ, પાપાલુઈસ પીઝા પાર્લરના પાર્ટનર કિન્નર ગોકાણીએ મનપાની કાર્યવાહી અંગે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, તેઓ આ પાર્લરમાં હેન્ડલિંગનું કામ સંભાળે છે. તેમણે દાવો કર્યો હતો કે, ગઈકાલે રાત્રે જ તેમના દ્વારા રેસ્ટોરન્ટમાં પેસ્ટ કંટ્રોલ કરાવામાં આવ્યું હતું. આ પેસ્ટ કંટ્રોલ બાદ કિચન અને આખા પાર્લરની સાફ-સફાઈ કરવાની કામગીરી બાકી હોય તેણે આજે રેસ્ટોરન્ટ ગ્રાહકો માટે બંધ જ રાખ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમારી ટીમ સાફ-સફાઈનું કામ કરી રહી હતી, તે જ સમયે મનપાની ફૂડ વિભાગની ટીમ ચેકિંગ માટે આવી પહોંચી હતી. કિચનમાં વંદા અને જીવાત હોવાની વાત સ્વીકારતા તેમણે કહ્યું કે, વંદા હોવાના કારણે જ ગઈકાલે રાત્રે પેસ્ટ કંટ્રોલ કરાવ્યું હતું અને બધું ક્લિયર થયા પછી જ તેઓ રેસ્ટોરન્ટ ફરીથી શરૂ કરવાના હતા. જોકે, ફ્રિજમાં રહેલી ફૂગ અને વાસી ખાદ્ય પદાર્થોના જથ્થા અંગે તેમણે જણાવ્યું હતું કે, મનપાના અધિકારીઓ સાથે હજી આ બાબતે વિગતવાર વાતચીત કરવાની બાકી છે અને તેઓ પોતે પણ આ બાબતની તપાસ કરશે. બેદરકારી બદલ રેસ્ટોરન્ટના મેનેજરને નોટિસ ફટકારવામાં આવશે આ ઉપરાંત FBK(ફેન્સ એકયાર્ડ કિચન)માં પણ મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મહાપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારના જણાવ્યા મુજબ આ દરોડા દરમિયાન રેસ્ટોરન્ટ્સમાંથી આશરે 20 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો છે, જેમાં ખાસ કરીને પાણીમાં બાફીને ફ્રિજમાં સંગ્રહ કરી રાખેલા નૂડલ્સ, પાસ્તા, સ્પેગેટી, મંચુરિયન, પ્રિપેર્ડ સોસ, રોલ્સ અને ચપાતી જેવી વસ્તુનો સમાવેશ થાય છે. ફૂડ વિભાગ દ્વારા તમામ વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. આ બેદરકારી બદલ સંબંધિત રેસ્ટોરન્ટના મેનેજરને નોટિસ ફટકારવામાં આવશે અને તે અંગે આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસ ચાલુ રહેશે આવા પ્રકારના વાસી ખોરાકના સેવનથી આરોગ્ય પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરતાં ફૂડ સેફ્ટી ઓફિસરે ઉમેર્યું હતું કે, આવો અખાદ્ય ખોરાક ખાવાથી સામાન્ય રીતે પેટમાં દુખાવો કે અન્ય બીમારીઓ થઈ શકે છે. વધુમાં, જો નાના બાળકો આવા ખોરાકનો ઉપયોગ કરે તો તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચવાની સાથે ફૂડ પોઇઝનિંગ જેવી ગંભીર પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. મનપાના આરોગ્ય વિભાગની આ કડક કાર્યવાહીથી શહેરના અન્ય ખાણીપીણીના વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસ ચાલુ રહેશે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓને સહેજ પણ બક્ષવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    વાઘનેરા રોડ 7 વર્ષથી બિસ્માર રસ્તાથી લોકોને હાલાકી:અનેકવાર રજૂઆત પણ રોડનું નિર્માણ ન થયાનો સ્થાનિકોનો આરોપ, TDOએ આગામી સમયમાં રોડ બનાવવાની આપી ખાતરી
    Next Article
    Gujarat Farmers Tractor Rally LIVE | ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં 2 ફાંટા પડ્યા | Ahmedabad | Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment