Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારઃ નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ, 9નાં મોત:રાષ્ટ્રપતિની સુરક્ષામાં 2500 જવાન, પરંતુ 25 હજાર શ્રદ્ધાળુઓ માટે કોઈ નહીં; PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    2 days ago

    બિહારમાં નાલંદાના મઘડામાં મંગળવારે સવારે માતા શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડને કારણે 9 લોકોના મોત થયા છે. ભીડમાં કચડાઈ જવાથી 8 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક પુરુષનું હોસ્પિટલમાં મોત થયું હતું. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે, શીતળા અષ્ટમીના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ત્યાં મેળો પણ ભરાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી. દર્શન કરવાની ઉતાવળમાં લોકોની ધક્કામુક્કી થઈ ગઈ. અફરા-તફરીમાં ભીડમાં ઘણા લોકો કચડાઈ ગયા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા. અકસ્માત બાદ, મંદિર અને મેળો બંધ કરી દેવામાં આવ્યો. 8 મૃતકોમાંથી 2ની ઓળખ થઈ શકી છે. તેમાં નાલંદા નિવાસી રીટા દેવી (50) અને રેખા દેવી (45) નો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે મોડેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ પટના કમિશનરને બિહારશરીફ મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને તપાસના નિર્દેશ આપ્યા છે. દીપનગર પોલીસ સ્ટેશનના SHO રાજમણિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારે મૃતકોના પરિવારને 6 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 2 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. પીએમ મોદીએ નાલંદા દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારોને પીએમ રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. સાથે જ તમામ ઘાયલોને પણ 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આજે, રાષ્ટ્રપતિ નાલંદા યુનિવર્સિટી ખાતે દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. તેમની સુરક્ષા માટે ચાર જિલ્લાઓમાંથી 2,500 પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા, જ્યારે મંદિરમાં એકઠા થયેલા 25 હજાર લોકોની ભીડની સુરક્ષા માટે એક પણ પોલીસ જવાન તહેનાત કરવામાં આવ્યો ન હતો. અકસ્માત વિશેની મોટી વાતો- ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારને કારણે, પટણા અને આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા, જેના કારણે ભારે ભીડ થઈ હતી. મંદિર સંકુલ નાનું હતું, અને ભીડને કન્ટ્રોલ કરવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. લોકો પહેલા દર્શન માટે સ્પર્ધા કરવા લાગ્યા. લાઇનમાં રાહ જોવાને બદલે, લોકોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ભાગદોડ મચી ગઈ. ઘણા લોકો ભીડ નીચે કચડાઈ ગયા. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે ભાગદોડ પછી પોલીસ અને એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી હતી. ભાગદોડ પછીની કેટલીક તસવીરો જુઓ... દર્શન કરવાની ઉતાવળમાં ભાગદોડ મચી મહિલા ભક્તોએ જણાવ્યું કે ચૈત્ર મહિનાનો આ છેલ્લો મંગળવાર છે. અહીં મેળો ભરાયો હતો. ભીડ વધુ થઈ ગઈ હતી. મંદિરનું ગર્ભગૃહ પણ નાનું છે. લોકો ઝડપથી દર્શન કરવા માટે એકબીજાથી આગળ નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈ લાઈનમાં ઊભા રહીને પૂજા કરવા માંગતું ન હતું. અન્ય એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, ‘સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મંદિરની અંદર ભારે ભીડ હતી. પોલીસનો જવાન અંદર તહેનાત નહોતા. ભીડને વાળવા કે બે લાઈનમાં કરવાની કોઈ વ્યવસ્થા ન હતી. મંદિરના પૂજારી જ ઝડપથી દર્શન કરીને નીકળી જવા કહી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલાને ચક્કર આવી ગયા, જેના કારણે તે ત્યાં જ પડી ગઈ. કેટલાક લોકો તેને સંભાળવા લાગ્યા, અને ભીડને પાછળ હટાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન નાસભાગ મચી ગઈ.’ 40 મિનિટ પછી પહોંચી એમ્બ્યુલન્સ મંદિરમાં હાજર એક શ્રદ્ધાળુએ જણાવ્યું, ‘ભાગદોડ પછી ઘણી મહિલાઓ બેભાન પડી હતી. કેટલીક દર્દથી ચીસો પાડી રહી હતી. લોકોએ પોલીસને જાણ કરી. પહેલા 2-3 પોલીસકર્મીઓ પહોંચ્યા. તેમની સાથે મળીને શ્રદ્ધાળુઓએ ઘાયલ મહિલાઓને કિનારે સુવડાવી. ઘણી વખત એમ્બ્યુલન્સ માટે ફોન કરવામાં આવ્યો. ઘટનાના લગભગ 40 મિનિટ પછી પહેલી એમ્બ્યુલન્સ પહોંચી અને પોલીસના કેટલાક અધિકારીઓ પણ આવ્યા. આ પછી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. મહિલાઓને ઉઠાવતી વખતે જ લાગી રહ્યું હતું કે તેમાંથી કેટલીકનું મૃત્યુ થઈ ગયું છે.’ મૃતક રેખા દેવીના પુત્રએ જણાવ્યું કે તેઓ નૂરસરાય મથુરાપુરના રહેવાસી છે. મમ્મી મેળો જોવા ગઈ હતી. હજારોની ભીડ હતી. મંગળા મેળો લાગ્યો હતો. હું ઘરે હતો, માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યો. માતાને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પટનાની આવેલ એક મહિલાએ કહ્યું, “અમે દર્શન કરવા આવ્યા હતા. પણ મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. લોકો કહે છે કે આઠ લોકો મૃત્યુ પામ્યા છે.” બેદરકારીના ત્રણ મુખ્ય કારણો 1. મંદિર વ્યવસ્થાપન વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયું આજે ચૈત્રનો છેલ્લો મંગળવાર છે. મઘડા શીતળા મંદિરમાં દર વર્ષે આ દિવસે ભીડ હોય છે. મંદિર વ્યવસ્થાપનને આ વાતની જાણ હતી, છતાં ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ભીડને નિયંત્રિત કરવા માટે મંદિર પરિસરમાં બેરિકેડ પણ કરવામાં આવ્યા ન હતા. સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે ભીડ બેકાબૂ બની ગઈ. 2. પાછળના દરવાજેથી દર્શન કરાવવામાં આવી રહ્યા હતા. વધતી ભીડને નિયંત્રિત કરવાને બદલે, મંદિર વ્યવસ્થાપન અને ત્યાં હાજર પૂજારીઓ લાભ લઈ રહ્યા હતા. તેઓ લોકો પાસેથી પૈસા લઈને પાછળના દરવાજેથી માતા દેવીના દર્શન કરાવતા હતા. તેમને રોકવાવાળું કોઈ નહોતું, અને તેઓ જે ઈચ્છે તે કરી રહ્યા હતા. આનાથી લોકોમાં રોષ વધતો ગયો. 3. 25 હજાર લોકોની ભીડ, કોઈ પોલીસ કે વહીવટી વ્યવસ્થા નહોતી મંદિરના સંકુલમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી, કે ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ પોલીસ કર્મચારી તહેનાત નહોતા. મેળા વિશે અગાઉથી માહિતી હોવા છતાં, વહીવટીતંત્રે કોઈ મેજિસ્ટ્રેટ તહેનાત કર્યા ન હતા. રાષ્ટ્રપતિ જ્યાં આવવાના હતા ત્યાંથી 30 કિલોમીટર દૂર, આઠ જિલ્લાઓમાંથી અઢી હજાર જવાનોને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા હતા. જાણો આજે મંદિરમાં શા માટે ભક્તોની ભીડ ઉમટી હતી આ મંદિર બિહારશરીફ (નાલંદા) થી લગભગ 5 કિલોમીટર દૂર મઘરા ગામમાં આવેલું છે. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ (શીતળા આઠમ) ના રોજ મુખ્ય પૂજા થાય છે. પરંપરા છે કે શીતળા આઠમના દિવસે ઘરોમાં ચૂલો સળગાવવામાં આવતો નથી. ભક્તો માતાને એક દિવસ પહેલા બનાવેલો ઠંડો ભોજન (વાસી) ભોગ ધરાવે છે. આઠમના દિવસે અહીં ભારે ભીડ હોય છે, લોકો લાંબી કતારોમાં ઊભા રહીને માતાના દર્શન કરે છે.
    Click here to Read More
    Previous Article
    RBSE 12th Result 2026 LIVE : Rajasthan Board Result में लड़कियों ने मचाया धमाल! | Navya Meena
    Next Article
    જીઆઈડીસીના બિસ્માર રસ્તાઓ અને પાલિકાના પોકળ વાયદા:ઉદ્યોગકારોએ રોડ મુદ્દે હાઈવે પર ડાયવર્ઝન આપવાનું અલ્ટીમેટમ આપ્યું,9 મહિના પહેલા 270 કરોડના વિકાસના વાયદા, ટેન્ડિંગ કમિટીના ચેરમેન સોશિયલ મીડિયામાં વાહવાહી લૂંટવામાં વ્યસ્ત,

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment