Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 87 જગ્યાએ ભરાતું વરસાદી પાણી:મનપાએ ચોમાસામાં પાણી ભરાય તો તેની ફરિયાદના નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો

    1 week ago

    રાજકોટમાં ચોમાસા દરમિયાન અલગ અલગ 87 જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ શહેરમાં કોઈ જગ્યાએ વરસાદી પાણી ભરાય તો તેના નિકાલની ફરિયાદ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે અને તેના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જેથી લોકો આ નંબર પર ફોન કરતાની સાથે જ કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં પહોંચી જશે અને પંપિંગ મશીનરી તથા અન્ય જરૂરી સાધનોની મદદથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.શહેરના પાણી ભરાવાની શક્યતા ધરાવતા સ્થળોએ વરસાદ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નિયુક્ત એજન્સીના માણસો સતત સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખશે. જ્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે ત્યાં તાત્કાલિક ધોરણે પંપિંગ મશીનરી તથા અન્ય જરૂરી સાધનોની મદદથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે. નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને વાહનવ્યવહાર તથા જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત સંબંધિત વિભાગોની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે જેથી જરૂરિયાત મુજબ ત્વરિત કાર્યવાહી કરી શકાય. રાજકોટ મહાનગરપાલિકા શહેરના નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન સાવચેતી રાખવા તેમજ કોઈ સમસ્યા જણાય તો રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ નંબર – 155304, ફોન નંબર - 0281- 2228741 તેમજ 0281 - 2225707 પર રાજકોટ શહેરનાં શહેરીજનો ફરીયાદો નોંધાવી શકશે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું 5 કલાકનું પ્રદર્શન:અભિજીતે કહ્યું- 5 દિવસમાં શિક્ષણ મંત્રી રાજીનામું આપે, નહીં તો આવતા શનિવારે ફરી જંતર-મંતર આવશે
    Next Article
    વાઘોડિયા રોડ પર વુડાના મકાનમાં યુવકનો આપઘાત:ખાનગી કંપનીમાં વર્કર તરીકે નોકરી કરતા ઉદેપુરના 25 વર્ષીય યુવકનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment