Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલ નીનોની અસરના કારણે આ વર્ષે ચોમાસું નબળું રહેશે:લગભગ 80 સેમી વરસાદનો અંદાજ, સિઝનના અંતમાં થોડી રાહત મળી શકે છે

    1 week ago

    આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનો અંદાજ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસાની સિઝન દરમિયાન દેશમાં લગભગ 80 સેન્ટિમીટર વરસાદ પડી શકે છે, જ્યારે 1971-2020ના આધારે સરેરાશ વરસાદ લગભગ 87 સેન્ટિમીટર માનવામાં આવે છે. IMDએ છેલ્લા આઠ વર્ષમાં પહેલીવાર ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની વાત કહી છે. લદ્દાખ, પૂર્વોત્તર રાજ્યો, તેલંગાણા, આંધ્રપ્રદેશના મધ્ય ભાગો, દક્ષિણ ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુ સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. IMDના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો. એમ. મોહાપાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ વર્ષે દેશમાં કુલ વરસાદ લોંગ પિરિયડ એવરેજ (LPA)ના લગભગ 92% રહેવાનો અંદાજ છે, જેને સામાન્ય કરતાં ઓછી શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જ્યારે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. ત્યારબાદ તે આગળ વધતા ભોપાલ સહિત મધ્ય ભારતમાં 15 થી 20 જૂન વચ્ચે દસ્તક દેશે. અલ નીનોથી ચોમાસામાં વિલંબ શક્ય હવામાન વૈજ્ઞાનિકોના મતે, જૂન આસપાસ અલ નીનોની સ્થિતિ વિકસી શકે છે. આ સામાન્ય રીતે ભારતમાં ચોમાસાને નબળું પાડે છે, જેનાથી વરસાદમાં ઘટાડો અને વિરામની સ્થિતિ સર્જાઈ શકે છે. 1951 પછી અત્યાર સુધીમાં 16 વખત અલ નીનોની સ્થિતિ સર્જાઈ છે. તેમાંથી 10 વખત દેશમાં સામાન્ય કરતાં ઓછો અથવા નબળો વરસાદ નોંધાયો હતો, જ્યારે માત્ર 6 પ્રસંગોએ આ પેટર્ન અલગ રહી હતી. જોકે, સિઝનના અંતે (સપ્ટેમ્બર) ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) પોઝિટિવ ફેઝમાં આવવાની શક્યતા છે. આ સ્થિતિ સામાન્ય રીતે વરસાદમાં વધારો કરે છે, જેનાથી અલ નીનોની અસરની અમુક ભરપાઈ થઈ શકે છે. અલ નીનો અને લા નીના ક્લાઇમેટ (આબોહવા)ની બે પેટર્ન હોય છે- અલ નીનો: તેમાં સમુદ્રનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધી જાય છે. તેની અસર 10 વર્ષમાં બે વાર થાય છે. તેની અસરથી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઓછો અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં વધુ વરસાદ થાય છે. લા નીના: તેમાં સમુદ્રનું પાણી ઝડપથી ઠંડું થાય છે. તેની અસર દુનિયાભરના હવામાન પર પડે છે. આકાશમાં વાદળો છવાય છે અને સારો વરસાદ થાય છે. ગયા વર્ષે 8 દિવસ વહેલું આવ્યું હતું ચોમાસું ગયા વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલું એટલે કે 24 મેના રોજ જ કેરળ પહોંચી ગયું હતું. ચોમાસું કેરળથી આગળ વધતા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સામાન્ય રીતે જૂનના મધ્ય સુધીમાં પહોંચે છે. 11 જૂન સુધીમાં મુંબઈ અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. તેની વાપસી ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થાય છે અને તે સંપૂર્ણપણે 15 ઓક્ટોબર સુધીમાં પાછું ફરે છે. અલ નીનો ઇફેક્ટને કારણે ચોમાસામાં વિલંબ થઈ શકે છે. જોકે, સિઝનના અંતમાં થોડી રાહત મળી શકે છે. IMDના આંકડા મુજબ, છેલ્લા 150 વર્ષમાં ચોમાસાના કેરળ પહોંચવાની તારીખો અલગ-અલગ રહી છે. 1918માં ચોમાસું સૌથી પહેલા 11 મેના રોજ કેરળ પહોંચી ગયું હતું, જ્યારે 1972માં સૌથી મોડું 18 જૂનના રોજ કેરળ પહોંચ્યું હતું. સામાન્ય માણસ માટે 9 મોટી વાતો…
    Click here to Read More
    Previous Article
    IPL 2026, SRH vs RR Live Cricket Score: On debut, Praful Hinge picks up Vaibhav Sooryavanshi, Dhruv Jurel, Lhuan-dre Pretorius for ducks in first over
    Next Article
    વર્ષ 2017માં 2000ના દરની નકલી નોટો પકડાવવાનો કેસ:સ્પેશિયલ NIA કોર્ટે 6 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment