Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુલેટ ટ્રેન યોજનાનું 80% કામ પૂર્ણ:કાલુપુર રેલવે સ્ટેશને સારંગપુર તરફ નવો એન્ટ્રી ગેટ બનાવાશે : રેલવે મંત્રી

    2 days ago

    કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં અમદાવાદ એરપોર્ટ પર એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો, મ્યુનિ.ના પદાધિકારીઓ, મેયર, સ્ટે.કમિટી ચેરમેન હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને વર્ષ 2027માં સુરત-બિલિમોરા વચ્ચે પ્રથમ તબક્કો શરૂ થશે. આ પરિયોજનાઓ ઝડપથી પૂર્ણ થવાથી મુસાફરોની સુવિધા વધશે, શહેરના ટ્રાફિકની સમસ્યા હલ થશે. આ ઉપરાંત કેન્દ્રીય રેલ મંત્રીએ અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ ઈજનેરો સાથે સંવાદ કર્યો હતો. મંજૂરી મેળવી શાહપુર બ્રિજની કામગીરી આગળ ધપાવાશે - નાગરિકોની સુવિધા માટે ઓમનગર અંડરપાસનું બાકી કામ આગામી નવરાત્રી મહોત્સવ પહેલાં કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરાશે. - અસારવા સ્ટેશનને માસ્ટર પ્લાન હેઠળ નવી બિલ્ડિંગ અને આધુનિક સુવિધાઓ સાથે એક સુવ્યવસ્થિત ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવશે. - અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ અંતર્ગત સારંગપુર તરફ બીજો પ્રવેશદ્વાર અને રોડ કનેક્ટિવિટી બનાવવામાં આવશે. - પુરાતત્વ વિભાગની જરૂરી મંજૂરીઓ મેળવીને શાહપુર-અમદાવાદ ફ્લાયઓવરની કામગીરીને આગળ ધપાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જર્જરિત બિલ્ડિંગો દર્દીઓ માટે જોખમી:નવી એલજી, શારદાબહેન હોસ્પિટલનું કામ 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, 4 વર્ષે પણ અધૂરું
    Next Article
    સિટી એન્કર:સાયન્સ સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનની 14 વર્ષ બાદ કાયાપલટ થશે, 9500 ચોરસ મીટર વિસ્તારમાં ન્યુક્લિયર સાયન્સ ગેલેરી બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment