Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલનું પેનિક:પેટ્રોલ પંપો પર લાઈનો, રોજનું 8 લાખ લિટર પેટ્રોલ માત્ર 5 કલાકમાં વેચાયું

    2 weeks ago

    ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી જવાની અફવા સોશિયલ મીડિયામાં વહેતી થતાં પેટ્રોલપંપો પર સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલી વાહનોની કતારો રાતે 10 વાગ્યા બાદ પણ યથાવત્ હતી. પેટ્રોલપંપના સંચાલકોએ જણાવ્યા મુજબ 1 પેટ્રોલપંપ પર રોજ સરેરાશ 5 હજાર લિટર પેટ્રોલ વેચાતું હોય છે. વડોદરામાં 163 પેટ્રોલપંપ છે. જેમાંથી દૈનિક 8 લાખ લિટર પેટ્રોલ રોજ વેચાય છે. જોકે અફવા બાદ 8 લાખ લિટર પેટ્રોલ માત્ર 5 કલાકમાં જ વેચાઈ ગયું હતું. સ્ટોક ખૂટી પડતાં 7થી વધુ પંપો બંધ કરવા પડ્યા હતા. જોકે મોડી રાતે ટેન્કરો આવતાં કેટલાક પંપ ફરી ચાલુ થયા હતા. વડોદરામાં પેટ્રોલ પૂરાવવા માટે પંપો પર પડેલી લાઈનોને જોઈને કલેક્ટર તંત્ર પણ સફાળું જાગ્યું હતું. પુરવઠા અધિકારી ગીતા દેસાઈએ શહેર-જિલ્લામાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત ન હોવાથી પેનિકમાં ન આવવા જણાવ્યું હતું. જ્યારે પેટ્રોલપંપના મેનેજરોએ પણ લોકોને કાલે પણ પેટ્રોલ મળશે તેમ કહ્યું હતું. જોકે અફવાઓથી પ્રેરાઈને લોકો વાહનોની ટાંકી ફુલ કરાવતા જોવા મળ્યા હતા. ઓઇલ કંપનીઓએ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરતાં પુરવઠો મોડો પહોંચતાં સ્ટોક ખૂટ્યો પેટ્રોલપંપ એસોસિયેશને જણાવ્યું હતું કે, પહેલાં પેટ્રોલપંપના માલિકોને ક્રેડિટ પર માલ મળતો હતો. જેમાં પેટ્રોલ-ડીઝલનાં ટેન્કર આવે તે પછી રૂપિયા ચૂકવવાના હતા. ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ઓઈલ કંપનીઓ તરફથી એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરાઈ છે. જેમાં પહેલાં પેમેન્ટ કરો, પછી જ પેટ્રોલ-ડીઝલની ટેન્કર કંપનીમાંથી નીકળે છે. ત્યારે 21 માર્ચે ઈદ અને 22 માર્ચે રવિવાર આમ બે દિવસ કંપની અને બેંકમાં રજા હતી. જેથી પેટ્રોલપંપના માલિકો દ્વારા ઓર્ડર તો આપ્યો, પરંતુ તેનું પેમેન્ટ (આરટીજીએસ) સોમવારે બપોરે 12 વાગ્યા દરમિયાન થયું હતું. જેથી પુરવઠાની ટેન્કરો આવતાં વાર લાગી હતી. સ્ટોક પૂરો થતાં આ પેટ્રોલ પંપ બંધ અફવાથી પંપ પર લાઇનો લાગી રહી છે ખોટી અફવાને કારણે પેટ્રોલપંપ પર લાઈનો લાગી રહી છે. ગેસનો બોટલ પણ મળી ગયો છે. જોકે ફક્ત બે-ત્રણ દિવસની વાર લાગે. કોઈ સમસ્યા ઊભી થાય તેમ લાગતું નથી. લોકોએ ચિંતિત ન થવું જોઈએ. > કાંતિ પારેખ, સયાજીપાર્ક, આજવા રોડ પેટ્રોલ પૂરું થાય તે પૂર્વે ભરાવી લઈએ બધી જગ્યાએ સાંભળ્યું છે કે, પેટ્રોલની અછતને લઈને પેટ્રોલ પંપ પર લાઇનો લાગી રહી છે. પેટ્રોલ પૂરું થઈ જાય તે પહેલાં વાહનમાં ભરાવી લઈએ અને સેફ થઈ જઈએ. જોકે તે ચાલશે એટલું ચાલશે. હવે બધે વિચારીને જવું પડશે, લોકડાઉન જેવી સ્થિતિ થશે. > રાજેન્દ્ર ખત્રી, વૈકુંઠ સોસાયટી, ખોડિયાર નગર પેટ્રોલનું વેચાણ 3 ગણું થઈ ગયું મારા પેટ્રોલપંપ પર સરેરાશ 14 હજાર લીટર જેટલું પેટ્રોલનું વેચાણ થાય છે. જોકે પેનીકના કારણે 3 ગણું એટલે કે 30 હજાર લીટરથી વધુ પેટ્રોલનું વેચાણ થઈ ગયું છે. > મેહુલ પટેલ, પ્રમુખ, પેટ્રોલ પંપ એસોસિયેન
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદીએ કહ્યું- યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે; શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પોતાની સેના બનાવશે; અફવાથી ગભરાટ, ગુજરાતના શહેરોમાં પેટ્રોલ માટે લાઈનો લાગી
    Next Article
    યુદ્ધની અસર:મેડિકલ-સર્જિકલ સાધનોના ભાવ 15 ટકા વધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment