Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા:તાપીની મીંઢોળા નદી બે કાંઠે, નવસારી-વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડી શકે

    23 hours ago

    ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધામાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.26 ઈંચ અને નાનાપોંઢામાં 1.14 ઈંચ વરસાજ ખાબક્યો છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેલ માર્ક લો પ્રેશર, 2 ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની અગાહી કરવામાં આવી છે. જ્યારે નવસારી, વલસાડ, ડાંગ દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત તાપી નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર ,અરવલ્લી સાબરકાંઠા ભવનગર, અમરેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની અગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. રાજ્યમાં અત્યાર સુધીનો 6 ટકા ઓછો વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ 18 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા અત્યાર સુધીમાં 5 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. અંબિકા નદી ગાંડીતૂર વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે ડેમના 10 પૈકી 8 દરવાજા 4 મીટર સુધી ખોલીને તબક્કાવાર 1,24,764 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડ્યું છે. ડેમની જળસપાટી 73.40 મીટર પર પહોંચી છે.પૂર્ણા બાદ હવે નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતુર બની છે. ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે. 6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં 17 ઈંચ, નવસારીમાં 15 ઈંચ, સુરત શહેરમાં 14 ઈંચ, કપરાડામાં 13 ઈંચ અને જલાલપોરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. કટોકટીને પહોંચી વળવા NDRF, SDRFની 36 ટીમ તૈનાત જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT (આશરે 65 ટકા) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40.01 ટકા ભરાઈ ચૂક્યા છે, જેને પગલે 11 ડેમ હાઇ એલર્ટ અને 4 ડેમ એલર્ટ પર છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે. સુરત શહેર અને જિલ્લાના પૂર અંગે કેબિનેટમાં ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને વિવિધ જિલ્લાઓની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવોને પોતાના ફાળવાયેલા વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધવાની સૂચના આપી હતી. સાથે જ પ્રભારી મંત્રીઓને પણ વરસાદી પરિસ્થિતિમાં સતત મોનિટરિંગ રાખી અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વહીવટી તંત્ર સાથે સંકલન કરવાની સૂચના આપવામાં આવી હતી. નવસારી પર પૂર પ્રકોપ, પાણીમાં ગરકાવ નવસારી શહેરમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉપરવાસ અને શહેરમાં પડેલા વરસાદને કારણે નવસારી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાણીમાં ગરકાવ નવસારીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. આ ડ્રોન દ્રશ્યોમાં આખું નવસારી શહેર એક વિશાળ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, મુખ્ય માર્ગો, સોસાયટીઓ, અને વ્યાપારી સંકુલો પાણીની અડફેટમાં આવી ગયા છે. રસ્તાઓ જાણે નદીઓ બની વહી રહ્યા છે અને વાહનો હોડીઓની જેમ પાણીમાં તરી રહ્યા છે. સતત વધી રહેલા પાણીના સ્તરે સમગ્ર તંત્ર અને સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    NATO સમિટમાં ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે યુદ્ધવિરામ ખતમ:અમે ઈરાનનાં ખતરનાક લોકોને ટાર્ગેટ કર્યા; 80 ઠેકાણાઓ પર હુમલા કર્યા
    Next Article
    તળાવમાંથી નગ્ન હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:​માંગરોળના કામનાથ રોડ પર તળાવના પાણીમાં લાશ મળતા લોકોના ટોળાં ઉમટ્યા; રહસ્યમય મોત અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment