Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મિસ્ટર પરફેક્શનિસ્ટ' શૂટિંગ સમયે ઘડિયાળ જોતો નથી:આમિરે 8 વર્ષની ઉંમરે ફિલ્મમાં ડેબ્યૂ કર્યું, સેટ પર જ એક્ટિંગના પાઠ ભણ્યા; ડિરેક્ટર્સને તક આપીને તેમનું નસીબ ચમકાવ્યું

    10 hours ago

    બોલિવૂડનો 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' કહેવાતો આમિર ખાન આજે પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. લગભગ ચાર દાયકા લાંબી કારકિર્દીમાં તેણે ન માત્ર હિટ ફિલ્મો આપી છે, પરંતુ એક્ટિંગ અને વાર્તા કહેવાની રીતને પણ નવી દિશા આપી છે. 8 વર્ષની ઉંમરે ફિલ્મ ‘યાદોં કી બારાત’થી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કેમેરા સામે આવેલા આમિરે આગળ જતાં ‘લગાન’, ‘ગજની’, ‘3 ઈડિયટ્સ’ અને ‘દંગલ’ જેવી ફિલ્મોથી પોતાની અલગ ઓળખ બનાવી. પાત્ર માટે મહિનાઓ સુધી તૈયારી કરવી, સ્ક્રિપ્ટ પર ઊંડાણપૂર્વક કામ કરવું અને દરેક ફિલ્મમાં કંઈક નવું કરવાનો પ્રયાસ તેની ખાસ ઓળખ બની ગઈ છે. એટલું જ નહીં, શૂટિંગ દરમિયાન આમિર ઘડિયાળ જોતો નથી, મોબાઈલના જમાનામાં લાંબા સમય સુધી પેજરનો ઉપયોગ કર્યો. તેનું માનવું હતું કે, ટેકનોલોજી કરતાં કામ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. આ જ કારણ છે કે તેને ઇન્ડસ્ટ્રીમાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ કહેવામાં આવે છે. આજે આમિર ખાનના 61મા જન્મદિવસ પર જાણો તેની સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સાઓ, જે દર્શાવે છે કે તે માત્ર સુપરસ્ટાર જ નહીં પરંતુ પોતાના કામ પ્રત્યે સમર્પિત કલાકાર પણ છે… 8 વર્ષની ઉંમરે ફિલ્મમાં કામ કર્યું આમિર ખાનનો ફિલ્મો સાથેનો સંબંધ બાળપણથી જ જોડાઈ ગયો હતો. તે માત્ર 8 વર્ષની ઉંમરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ ‘યાદોં કી બારાત’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ તેના કાકા નાસિર હુસૈને બનાવી હતી. તે સમયે આમિરને ફિલ્મોની દુનિયાનો બહુ અંદાજ નહોતો, પરંતુ કેમેરા સામે આવવાનો અનુભવ તેને હંમેશા યાદ રહ્યો. પાછળથી તેણે એક્ટિંગને જ પોતાની કારકિર્દી બનાવી અને બોલિવૂડના સૌથી ભરોસાપાત્ર એક્ટર્સમાં સામેલ થઈ ગયા. તેનું માનવું છે કે, શરૂઆતના અનુભવો જ કોઈ કલાકારમાં આત્મવિશ્વાસ પેદા કરે છે. ફિલ્મ સેટ જ બની ગયો એક્ટિંગ સ્કૂલ બાળપણમાં આમિર અવારનવાર પોતાના પિતા અને પરિવાર સાથે ફિલ્મના સેટ પર જતો હતો. તે કલાકો સુધી બેસીને શૂટિંગ જોતો અને કલાકારોને અભિનય કરતા જોતો રહેતો. આ જ તેની પહેલી એક્ટિંગ સ્કૂલ બની ગઈ. ‘NDTV’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને કહ્યું હતું, ‘હું પ્રશિક્ષિત અભિનેતા (ટ્રેઇન એક્ટર) નથી. મેં અભિનય કોઈ સંસ્થામાંથી નથી શીખ્યો, પરંતુ સેટ પર જોઈને શીખ્યો છું.' આમિરના મતે, દરેક ફિલ્મ અને દરેક પાત્ર તેને કંઈક નવું શીખવે છે. આ જ કારણ છે કે, તે દરેક ભૂમિકાને બિલકુલ નવા દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરે છે. શાળાના દિવસોમાં સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી ફિલ્મો પહેલાં આમિર ખાનના જીવનમાં રમતગમતનું પણ મોટું સ્થાન હતું. શાળાના દિવસોમાં તેને ટેનિસ રમવાનો ખૂબ શોખ હતો અને તે સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી પણ રહી ચૂક્યો છે. રમતગમતે તેને અનુશાસન અને ધૈર્ય શીખવ્યું. આ જ ગુણો પાછળથી તેની એક્ટિંગ કરિયરમાં પણ કામ આવ્યા. આમિર અવારનવાર કહે છે કે, કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે સતત અભ્યાસ અને ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. રમતગમતમાંથી મળેલી આ શીખ તેના કામ કરવાની રીતમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. શા માટે કહેવાય છે ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાનને બોલિવૂડમાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ કહેવામાં આવે છે કારણ કે, તે પોતાના પાત્ર માટે મહિનાઓ સુધી તૈયારી કરે છે. તે સ્ક્રિપ્ટ વાંચવાથી લઈને પાત્રની માનસિકતા સમજવા સુધી દરેક વસ્તુ પર ઊંડાણપૂર્વક કામ કરે છે. 'NDTV' સાથેની વાતચીત દરમિયાન આમિર ખાને કહ્યું હતું, 'હું પોતાને પરફેક્શનિસ્ટ માનતો નથી. મને બસ મારા કામથી પ્રેમ છે અને હું તેને ઈમાનદારીથી કરવા માંગુ છું.' આમિરનું કહેવું છે કે, કોઈપણ ફિલ્મને વધુ સારી બનાવવા માટે આખી ટીમની મહેનત જરૂરી હોય છે. એક સીન માટે ઘણી વાર રિહર્સલ આમિર ખાન એક સીનને પરફેક્ટ બનાવવા માટે ઘણી વાર રિહર્સલ કરે છે. જો તેને લાગે કે સીન બરાબર નથી થયો, તો તે ખચકાટ વિના ફરીથી શૉટ આપવા તૈયાર રહે છે. તેની સાથે કામ કરી ચૂકેલા ઘણા કલાકારો જણાવે છે કે, આમિર સેટ પર ખૂબ જ ફોકસ્ડ રહે છે. તેનું માનવું છે કે, નાની-નાની વસ્તુઓ જ કોઈ સીનને ખાસ બનાવે છે. આ જ કારણ છે કે, તેની ફિલ્મોમાં અભિનયનું ઊંડાણ અલગ જ દેખાય છે. શૂટિંગ દરમિયાન ઘડિયાળ નથી જોતો આમિર ખાન શૂટિંગ દરમિયાન સમય કરતાં કામની ગુણવત્તા પર વધુ ધ્યાન આપે છે. તે સીન પૂરો ન થાય, ત્યાં સુધી સતત કામ કરતો રહે છે અને ઘડિયાળ તરફ જોતો નથી. 'હિન્દુસ્તાન ટાઈમ્સ'ને આપેલા ઇન્ટરવ્યુમાં આમિર ખાને કહ્યું હતું કે, 'ફિલ્મ બનાવવી એ ટીમવર્ક છે. જો આપણે બધા મળીને પ્રામાણિકતાથી કામ કરીએ, તો પરિણામ પણ વધુ સારું આવે છે.' મોબાઇલના યુગમાં પણ પેજરનો ઉપયોગ જ્યારે મોબાઇલ ફોન ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા હતા, ત્યારે પણ આમિર ખાન લાંબા સમય સુધી પેજરનો ઉપયોગ કરતો રહ્યો. તે નવી ટેકનોલોજી અપનાવવામાં ઉતાવળ કરતો નથી. તેનું માનવું હતું કે, ટેકનોલોજી કરતાં કામ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. આ જ કારણ છે કે તે સોશિયલ મીડિયા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ ખૂબ જ વિચારીને કરે છે. રસ્તાની બાજુમાં પાણીપૂરી ખાવાનો કિસ્સો આમિર ખાનની સાદગીના ઘણા કિસ્સાઓ પ્રખ્યાત છે. એકવાર તે રસ્તાની બાજુમાં પાણીપૂરી ખાવા માટે રોકાયો અને સામાન્ય લોકો સાથે ઊભા રહીને ચાટ ખાતા જોવા મળ્યો. ત્યાં હાજર લોકોને આ જોઈને ઘણી નવાઈ લાગી. આટલા મોટા સ્ટારનું આ રીતે સામાન્ય લોકો વચ્ચે કોઈ દેખાડા વગર ખાવું, તેના સ્વભાવની સાદગી દર્શાવે છે. ‘લગાન’ માટે ગામડામાં રહીને તૈયારી ફિલ્મ ‘લગાન’ના શૂટિંગ દરમિયાન આમિર ખાન અને આખી ટીમ લાંબા સમય સુધી ગામડામાં રહી. તેનો હેતુ ફિલ્મના વાતાવરણને વાસ્તવિક બનાવવાનો હતો. કલાકારોએ ક્રિકેટની ખાસ તાલીમ પણ લીધી. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને કહ્યું હતું કે, 'અમે ઈચ્છતા હતા કે ફિલ્મ સંપૂર્ણપણે વાસ્તવિક લાગે, તેથી અમે બધાએ તે વાતાવરણમાં રહીને કામ કર્યું.' તેના મતે, આ જ કારણ છે કે, ફિલ્મના ઘણા દ્રશ્યો એટલા વાસ્તવિક લાગ્યા. ‘ગજની’ માટે બનાવ્યું 8-પેક બોડી ફિલ્મ ‘ગજની’ માટે આમિર ખાને પોતાના શરીરને સંપૂર્ણપણે બદલી નાખ્યું. તેણે સઘન તાલીમ અને કડક ડાયટ દ્વારા 8-પેક એબ્સ બનાવ્યા. તે સમયે બોલિવૂડમાં આવું ટ્રાન્સફોર્મેશન બહુ ઓછું જોવા મળતું હતું. આમિરનો આ લુક ખૂબ ચર્ચામાં રહ્યો અને ફિટનેસના મામલે એક નવો ટ્રેન્ડ પણ બન્યો. ‘દંગલ’ માટે વજન વધાર્યું અને ઘટાડ્યું ફિલ્મ ‘દંગલ’ માટે આમિર ખાને પહેલા લગભગ 95 કિલો સુધી વજન વધાર્યું, જેથી તે વૃદ્ધ પહેલવાન પિતાના પાત્રમાં વાસ્તવિક લાગે. આ પછી તેણે થોડા જ મહિનામાં વજન ઘટાડીને એથ્લેટિક લુક મેળવ્યો. આ ટ્રાન્સફોર્મેશન દર્શકોમાં ખૂબ ચર્ચામાં રહ્યું. 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા ઇન્ટરવ્યુમાં આમિર ખાને કહ્યું હતું, 'જો તમે પાત્રમાં સત્ય બતાવવા માંગતા હો, તો તમારે તેના માટે સંપૂર્ણપણે સમર્પિત થવું પડે છે.' સ્ક્રીપ્ટ મીટિંગ્સ કલાકો સુધી ચાલે છે આમિર ખાન કોઈપણ ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને ખૂબ જ ગંભીર રહે છે. તે વાર્તા અને પાત્ર પર ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે અને ઘણીવાર સ્ક્રિપ્ટ મીટિંગ્સ કલાકો સુધી ચાલે છે. તેનું માનવું છે કે, ફિલ્મની સાચી તાકાત તેની વાર્તા હોય છે. તેથી તે સ્ક્રિપ્ટને મજબૂત બનાવવામાં ખાસ રસ લે છે. નવા ડિરેક્ટરોને તક આપનાર સ્ટાર આમિર ખાને પોતાની કારકિર્દીમાં ઘણા નવા ડિરેક્ટરો સાથે કામ કર્યું છે. તેનું માનવું છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે નવા વિચારો અને નવી પ્રતિભા જરૂરી છે. આ જ કારણથી તેની ઘણી ફિલ્મોએ નવા ફિલ્મ નિર્માતાઓને મોટી ઓળખ અપાવી. જ્હોન મેથ્યુ મથાનને 'સરફરોશ'થી ડિરેક્શનની શરૂઆત કરી અને ફિલ્મ મોટી હિટ રહી. કિરણ રાવની 'ધોબી ઘાટ' અને અદ્વૈત ચંદનની 'સિક્રેટ સુપરસ્ટાર' પણ ડેબ્યુ ફિલ્મો હતી. જ્યારે આશુતોષ ગોવારીકરની 'લગાન', નિતેશ તિવારીની 'દંગલ', રીમા કાગતીની 'તલાશ', કુણાલ કોહલીની 'ફના' અને અભિનય દેવની 'દિલ્હી બેલી', રાજકુમાર હિરાણીની '3 ઇડિયટ્સ' જેવી ફિલ્મોએ તેમને મોટી ઓળખ અપાવી. આ ફિલ્મોની સફળતા પછી આ ડિરેક્ટરો ઇન્ડસ્ટ્રીના મોટા નામ બની ગયા. 'તારે ઝમીન પર'ની વાર્તા અમોલ ગુપ્તે લઈને આવ્યા હતા. પછીથી આમિરે ડિરેક્શન સંભાળ્યું, પરંતુ તેણે ગુપ્તેની વાર્તા અને વિઝનને આગળ વધાર્યું. ડિસ્લેક્સિયા જેવા વિષય પર બનેલી આ ફિલ્મ હિન્દી સિનેમાની સૌથી સંવેદનશીલ ફિલ્મોમાં ગણાય છે અને તેણે અમોલ ગુપ્તેને પણ મોટી ઓળખ અપાવી. ‘3 ઇડિયટ્સ’ માટે અનોખી રીતે પ્રમોશન ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ના પ્રમોશન દરમિયાન આમિર ખાને એક અનોખો પ્રયોગ કર્યો. તે અલગ-અલગ વેશમાં ભારતના ઘણા શહેરોમાં ફર્યો અને સામાન્ય લોકોને મળ્યો. આ દરમિયાન લોકોને અંદાજ પણ નહોતો કે તે બોલિવૂડના મોટા સ્ટારને મળી રહ્યા છે. આ પ્રમોશન તે સમયે ખૂબ ચર્ચામાં રહ્યું. પાત્રને સમજવા માટે અસલી લોકેશન પર જાય છે આમિર ખાન અવારનવાર પોતાના પાત્રને વધુ સારી રીતે સમજવા માટે અસલી લોકેશન પર જઈને સમય વિતાવે છે. તે ત્યાંના લોકો સાથે વાત કરે છે અને તેમના જીવનને સમજવાનો પ્રયાસ કરે છે. તેનું માનવું છે કે, આનાથી અભિનય વધુ વાસ્તવિક બને છે. દરેક ફિલ્મ પછી લાંબો બ્રેક આમિર ખાન એક ફિલ્મ પૂરી થયા પછી અવારનવાર લાંબો બ્રેક લે છે. તે આ દરમિયાન પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે અને નવી ફિલ્મોની સ્ક્રિપ્ટ વાંચે છે. તેનું માનવું છે કે સતત કામ કરવાથી સર્જનાત્મકતા ઓછી થઈ શકે છે, તેથી બ્રેક લેવો જરૂરી છે. પોતાને આજે પણ શીખનાર કલાકાર માને છે આટલી લાંબી કારકિર્દી અને સફળતા છતાં આમિર ખાન પોતાને આજે પણ શીખનાર કલાકાર માને છે. 'આઉટલુક મેગેઝિન'ને આપેલા ઇન્ટરવ્યુમાં આમિર ખાને કહ્યું હતું કે, 'હું પરફેક્શનમાં વિશ્વાસ કરતો નથી, મને લાગે છે કે સુંદરતા અપૂર્ણતામાં પણ હોય છે.' તેનું માનવું છે કે, 'એક કલાકારે હંમેશા શીખતા રહેવું જોઈએ, તો જ તે પોતાના કામમાં નવું કરી શકે છે.' કદાચ આ જ કારણ છે કે, પોતાની ચાર દાયકા લાંબી કારકિર્દીમાં પણ આમિર સતત નવા પ્રયોગો કરતો રહ્યો છે. આ જ વિચાર તેને અલગ બનાવે છે, અને આ દરમિયાન તેણે પોતાની કારકિર્દીમાં 11 રીમેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    મીન સંક્રાંતિની તારીખ અંગે પંચાંગ ભેદ:14ની મધ્યરાત્રિએ સૂર્ય રાશિ બદલશે, 15 માર્ચની સવારે સૂર્યને અર્ઘ્ય ચઢાવીને દાન-પુણ્ય કરો
    Next Article
    પીએમ મોદીની આસામ મુલાકાત, બીજો દિવસ:સિલચરમાં ₹23,550 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, કહ્યું- સિલચર બરાક ઘાટીનું ગેટવે છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment