Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 8 ઇંચ વરસાદથી ફરી જળબંબાકાર:દુકાનોમાં પાણી ઘૂસ્યા, નોકરી-ધંધે જતા વાહનચાલકો અટવાયા; ગટરની યોગ્ય સફાઈ ન થતાં સ્થિતિ બગડી

    2 days ago

    નવસારી શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં (સવારે 6 વાગ્યા સુધી) જલાલપોર તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા, જેનાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે નોકરી-ધંધે જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ધોધમાર વરસાદ અને વાદળછાયા વાતાવરણને લીધે સવારે વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના પગલે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડ્યા હતા. સવારે 6 વાગ્યા સુધી વરસાદ વરસ્યો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અપાયેલી માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં (સવારે 6 વાગ્યા સુધી) જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જલાલપોરમાં 198 MM (8.0 ઇંચ), નવસારીમાં 122 MM (5.0 ઇંચ), ચીખલીમાં 63 MM (2.5 ઇંચ), ગણદેવીમાં 42 MM (1.7 ઇંચ), ખેરગામમાં 25 MM (1.0 ઇંચ) અને વાંસદામાં 8 MM (0.3 ઇંચ) વરસાદ પડ્યો હતો. વેપારીઓના સામાનને ભારે નુકસાન ખાસ કરીને શહેરના મુખ્ય છાપરા રોડ અને શાંતાદેવી રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શાંતાદેવી વિસ્તારમાં પાણીનો નિકાલ ન થવાના કારણે વરસાદી પાણી વેપારીઓની દુકાનોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે વેપારીઓના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સામાન્ય વરસાદમાં પણ અહીંની ગટરો ઉભરાઈ જાય છે, જેના કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે. ગટરની યોગ્ય સફાઈ ન થવાને કારણે આ સમસ્યા વારંવાર સર્જાય છે. ગટર સફાઈ ન થતાં CMની ટકોર પણ એળે ગઈ ઉલ્લેખનીય છે કે, અગાઉ નવસારીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરમાં ભરાતા પાણીના નિકાલ અંગે જાતે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજીને કડક સૂચનાઓ આપી હતી. આમ છતાં, મહાનગરપાલિકા દ્વારા વરસાદી ડ્રેનેજ લાઈન અને ગટરોની યોગ્ય સફાઈ કરવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. તંત્રની આ નીંભર નીતિ અને બેદરકારીને કારણે આજે ફરી એકવાર સામાન્ય વરસાદમાં પણ આખોય સીટી વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, સીએમની સૂચનાઓ પછી પણ મનપાનું તંત્ર જાગવાનું નામ લેતું નથી અને પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં NEET પેપર લીક, રામ મંદિરમાં ચોરી પર વિપક્ષનો હોબાળો:કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત, મોદીએ કહ્યું- 56 નહીં, 28 વર્ષના યુવાન દેશનું સન્માન વધારી રહ્યા છે, PMનો રાહુલ પર કટાક્ષ
    Next Article
    નવસારીના જલાલપોરમાં બે કલાકમાં અઢી ઇંચ, રસ્તાઓ પાણીમાં ગરકાવ:અમદાવાદ-ગાંધીનગર, વલસાડ સહિત 57 તાલુકામાં વરસાદ; આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમારની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment