Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો:શિખરના સ્થાને હવે ત્રિશૂળ,1 એપ્રિલથી અમલ

    13 hours ago

    ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે 77 વર્ષ બાદ પોતાનો લોગો બદલ્યો છે. ટ્રસ્ટ દ્વારા શિખરવાળા જૂના લોગોના સ્થાને હવે ત્રિશૂળનો નવો લોગો પસંદ કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલથી વિધિવત રીતે અમલમાં આવશે. નવા લોગોનો પ્રથમ ઉપયોગ ટ્રસ્ટ સંચાલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અને નૂતન રામ મંદિરે યોજાનાર રામનવમી ઉત્સવના જાહેરાત બોર્ડમાં કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે 1 એપ્રિલથી તમામ જગ્યાએ નવા લોગોનો ઉપયોગ શરૂ કરાશે. સોમનાથ મંદિરના પુનર્નિર્માણ બાદ તત્કાલિન નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 18 ઓક્ટોબર, 1949ના રોજ સોમનાથ ટ્રસ્ટના પ્રથમ ટ્રસ્ટીઓની નિમણૂક કરી હતી. ત્યારથી ટ્રસ્ટના તમામ વિભાગોમાં શિખરવાળા લોગોનો ઉપયોગ થતો હતો. આ લોગો પત્રવ્યવહારો, સાઈન બોર્ડ અને ટ્રસ્ટના તમામ લેખિત વ્યવહારોમાં વપરાતો હતો. 77 વર્ષથી ઉપયોગમાં લેવાતા જૂના લોગોમાં સોમનાથ મંદિરનું શિખર દર્શાવવામાં આવ્યું હતું. વર્તમાન મંદિરની ઊંચાઈ ભૂમિતળથી શિખર સુધી 155 ફૂટ છે, જ્યારે તેના ડમરુ ઉપરનો ધ્વજ દંડ 31 ફૂટ અને તેની પરિધિ 1ફૂટ છે. ધ્વજ 104ફૂટનો હોય છે. નવા લોગોમાં દર્શાવેલ ત્રિશૂળ ભગવાન શિવનું આયુધ છે અને તેનો ધાર્મિક મહિમા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર 'રામમય' ભક્તિ માં લીન બન્યું:રામ મહેલમાં દિવ્ય આરતીમાં ભાવનગરના SPએ પૂજા અને આરતીમાં લાભ લીધો, લોકોએ શ્રીખંડ તથા મઠો ખાઈ ઉજવણી કરી
    Next Article
    ખેડબ્રહ્મામાં નવી સ્ટ્રીટ લાઈટનું ખાતમુહૂર્ત:વોર્ડ 2માં રૂ. 6.50 લાખના ખર્ચે કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment