Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઇશ્કબાઝ' ફેમ એક્ટ્રેસ નવનીન્દ્ર બહલનું નિધન:76 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા, 'ક્વીન' અને 'માચિસ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા

    1 week ago

    ટીવી સિરિયલ 'ઇશ્કબાઝ'માં દાદીનો રોલ ભજવીને ફેમસ થયેલા એક્ટ્રેસ નવનીન્દ્ર બહલનું નિધન થયું છે. તેઓ 76 વર્ષના હતા. નવનીન્દ્રએ ટીવી શો ઉપરાંત ઘણી મોટી બોલિવૂડ ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. તેમના પુત્ર અને ફિલ્મમેકર કાનુ બહલે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ લખીને આ સમાચારની પુષ્ટિ કરી છે. ‘મારા માર્ગદર્શક અને ગુરુને અલવિદા…’ એક્ટ્રેસના પુત્ર કાનુ બહલે તેમની માતાની એક જૂની તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી. કાનુએ લખ્યું, “મારા ટાઇટન, મારો વિશ્વાસ, મારો પ્રેમ, મારા માર્ગદર્શક, મારા ગુરુ, મારું હૃદય. અલવિદા મા, જ્યાં સુધી તું મને ફરીથી જન્મ ન આપે.” મારી આંખો હંમેશા તારી એ સ્મિત અને મધુર હાસ્યને યાદ કરશે. મારા આત્માને રોશન કરવા બદલ આભાર." કાનુની આ પોસ્ટ પર અનુરાગ કશ્યપ સહિત ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. 3 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી નવનીન્દ્ર બહલનો કલા અને થિયેટર સાથે ખૂબ જૂનો સંબંધ હતો. તેમણે માત્ર 3 વર્ષની ઉંમરે પહેલીવાર સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું. પંજાબના રહેવાસી નવનીન્દ્રએ લાંબા સમય સુધી થિયેટરની દુનિયામાં કામ કર્યું અને પછી સિનેમા અને ટીવી તરફ વળ્યા. તેમની સાદગી અને અનુભવી અભિનયને કારણે તેમને હંમેશા પડકારજનક ભૂમિકાઓ મળતી રહી. 'ક્વીન' અને 'માચિસ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા નવનીન્દ્રના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેમણે ગુલઝારની ફિલ્મ 'માચિસ'થી પોતાની ઓળખ બનાવી હતી. ત્યારબાદ તેઓ દિબાકર બેનર્જીની ફિલ્મ 'ઓય લકી, લકી ઓ' અને કંગના રનૌત અભિનીત 'ક્વીન'માં પણ જોવા મળ્યા હતા. માત્ર બોલિવૂડ જ નહીં, તેમણે 'ધ પ્રાઈડ' અને 'ધ ગુરુ' જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું હતું. ટીવી પર તેમણે 'ઇશ્કબાઝ' અને 'દિલ બોલે ઓબેરોય'માં નકુલ મહેતાની દાદીનો રોલ ભજવ્યો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. પતિનું 2021માં નિધન થયું હતું નવનીન્દ્ર બહલના પતિ લલિત બહલ પણ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અને નિર્દેશક હતા. લલિત બહલનું વર્ષ 2021માં દિલ્હીમાં કોવિડ-19ને કારણે નિધન થયું હતું. નવનીન્દ્ર અને લલિતની જોડીએ થિયેટર અને સિનેમાના ક્ષેત્રમાં મોટો ફાળો આપ્યો હતો. પતિના અવસાન પછી નવનીન્દ્ર પોતાના પુત્ર કાનુ બહલ સાથે રહેતા હતા.
    Click here to Read More
    Previous Article
    Gujarat court convicts 5, acquits 35 in 2016 Una Dalit flogging case, complainant calls ruling ‘sad’
    Next Article
    જન્નત ઝુબેર અને અયાન સાથે હાઈવે પર મારપીટ:આરોપીઓએ પનવેલમાં કારનો પીછો કરીને હુમલો કર્યો, એક્ટ્રેસે કહ્યું- અમે સુરક્ષિત છીએ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment