Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોકરોચ પાર્ટીએ ધરણા સમેટ્યા:દિલ્હી પોલીસે કહ્યું- આરોપીની 72 કલાકમાં ધરપકડ થશે, SC/ST એક્ટ લાગુ પડશે; CJP કાર્યકર્તાના પિતાની મારપીટનો મામલો

    8 hours ago

    દિલ્હીમાં સંસદ માર્ચના 46 દિવસ પછી કોકરોચ જનતા પાર્ટી (CJP) શુક્રવારે ફરીથી રસ્તા પર ઉતરી છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)એ શુક્રવારે કાર્યકર્તા નીશુ ભારદ્વાજના પિતા સાથે મારપીટ વિરુદ્ધ કૂચ યોજી પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પ્રદર્શનમાં CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકા સામેલ થયા. નીશુનો દાવો છે કે 23 જૂને જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન પિતા સંજય સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમનું માથું ફોડવામાં આવ્યું હતું. CJPનો આરોપ છે કે FIR નોંધાયાના દોઢ મહિના પછી પણ આરોપી સ્વતંત્ર ભારદ્વાજ વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આ દરમિયાન સ્વતંત્રનો એક પોડકાસ્ટ વીડિયો વાયરલ થયો જેમાં તેણે સંજય પર હુમલો કરવાની વાત કબૂલી. તેણે સ્પષ્ટતામાં કહ્યું કે આ સેલ્ફ ડિફેન્સમાં કરવામાં આવ્યું હતું. આના પર સૌરવ દાસે કહ્યું કે જ્યારે આરોપી પોતે ગુનો કબૂલી રહ્યો છે તો પોલીસ કાર્યવાહી કરવાથી કેમ બચી રહી છે. બીજી તરફ ગુરુવારે નીશુ આઝાદે રાહુલ ગાંધી પાસે મદદ માંગી. રાહુલે તેમને આશ્વાસન આપતા કહ્યું હતું કે, “અમે તમારી સાથે છીએ.” ખરેખર, રાહુલે 20 ઓગસ્ટે આ જ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ઘાયલ સાહિલની FIR નોંધાવવાની માંગને લઈને લગભગ 6 કલાક ધરણા કર્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર CJPના સમર્થકો, 2 તસવીરો... મારામારીના કેસમાં પીડિત, આરોપી અને દિલ્હી પોલીસનો પક્ષ.... 1. પીડિત પક્ષ- સંજય કુમાર/નીશુ આઝાદ CJP કાર્યકર્તા નિશુ આઝાદના પિતા સંજય કુમાર 23 જૂને જંતર-મંતર પર CJP પ્રદર્શન દરમિયાન ઘાયલ થયા હતા. સંજયની ફરિયાદ પર પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. નીશુનો આરોપ છે કે તેમના પિતાનું માથું ફોડવામાં આવ્યું હતું અને દોઢ મહિના પછી પણ પોલીસે પૂરતી કાર્યવાહી કરી નથી. 2. આરોપી- સ્વતંત્ર ભારદ્વાજ સ્વતંત્ર ભારદ્વાજે એક વાયરલ પોડકાસ્ટમાં દાવો કર્યો કે તેમણે સંજયના માથા પર હુમલો કર્યો હતો અને તેમને 60 ટાંકા આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમને જેલમાં જવું પડ્યું ન હતું. પછીથી ભારદ્વાજે પોતાના નિવેદનને સ્પષ્ટ કરતા કહ્યું કે આ હુમલો નહીં પણ આત્મરક્ષણ હતું. તેમનો દાવો છે કે 10-15 લોકોએ તેમને ઘેરી લીધા હતા અને જો તેઓ બચાવમાં કાર્યવાહી ન કરતા તો ભીડ તેમને મારી શકતી હતી. 3. દિલ્હી પોલીસનો પક્ષ પોલીસના જણાવ્યા મુજબ, 23 જૂને સંજય કુમારના માથા પર કડું (બ્રેસલેટ) વાગવાથી ઈજા થઈ હતી. સંજયને RML હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. મેડિકો લીગલ કેસમાં ઈજા સામાન્ય હોવાનું જણાવાયું હતું. પોલીસે માથું ફાટવાના/ફ્રેક્ચરના દાવાને ખોટો ગણાવ્યો હતો. સુરજ કુમાર (24) અને સ્વતંત્ર ભારદ્વાજ (21)ને ઘટનાસ્થળેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બંનેને નોટિસ આપીને પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસનું કહેવું છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ચાર્જશીટ રજુ કરવામાં આવશે. CJPની સંસદ કૂચ પોલીસ સ્ટેશન બહારના પ્રદર્શનની પળેપળની અપડેટ માટે નીચેના બ્લોગ પર જાઓ.
    Click here to Read More
    Previous Article
    After Penguin India controversy, HarperCollins says it will release Sonia Gandhi’s memoir on Nov 10
    Next Article
    હૈદરાબાદ યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ:સામ-સામે લાકડીઓ મારી; મહિલા મિત્ર પર ટિપ્પણીથી વિવાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment