Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજી મેળામાં જતાં પદયાત્રીને ટ્રકે કચડ્યાં, બેના મોત:મહેસાણાના નવા દેલવાડા નજીક સંઘને અડફેટે લઈ ચાલક ફરાર, 7ને ગંભીર ઈજા; અંતિમયાત્રામાં આખું ગામ ઉમટ્યું

    2 days ago

    ચૈત્રી પૂનમના પાવન પર્વે માઁ બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈભક્તો કાળમુખા અકસ્માતનો ભોગ બન્યા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા નવા દેલવાડા નજીક 30 માર્ચની મોડીરાત્રે એક બેફામ ટ્રકચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરૂણ દુર્ઘટનામાં બે માઈભક્તના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય સાત શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંને મૃતકોની અંતિમયાત્રામાં આખું ગામ ઉમટ્યું હતું. સાતમાંથી બેના ઘટનાસ્થળે જ મોત આ અંગેની મળતી માહિતી મુજબ, સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો 60 લોકોનો પગપાળા સંઘ બહુચરાજીના મેળામાં સહભાગી થવા જઈ રહ્યો હતો. ભક્તિમય માહોલમાં માના દર્શનની આશા સાથે આગળ વધી રહેલા આ સંઘને નવા દેલવાડા પાસે રાત્રે 10 વાગ્યા આસપાસ એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં આશરે 9 જેટલા પદયાત્રીઓ ભોગ બન્યા છે, જેમાં ઠાકોર દલપતજી પારખાનજી અને લાલાજી નાગજીજી નામના બે યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્તો અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર ગંભીર રીતે ઘાયલ થયેલા ઠાકોર હેતલબેન, ઠાકોર જુહાજી, વિક્રમ અમૃતજી ઠાકોર, મેહુલ જુહાજી ઠાકોર સહિતના સાત 7 પદયાત્રીને તાત્કાલિક સારવાર અર્થે પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મોડીરાત્રે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રોડ પર લોહીના નિશાન, ટ્રકચાલક ફરાર અકસ્માત બાદ ટ્રકચાલક મદદ કરવાને બદલે સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ બંન્ને યુવકના મૃતહદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો સોંપવામાં આવ્યો છે. રોડ પર બીજા દિવસે પણ પણ લોહીના નીશાન જોવા મળી રહ્યાં છે. હાલમાં ટ્રક પણ સ્થળે પડેલી છે. થોડા મહિના પહેલાં જ દલપતજીની સગાઈ થઈ: સરપંચ સમગ્ર બાબતે ગામના સરપંચ જકસીજીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમારા ગામથી 29 તારીખે બપોરે 65 લોકો સાથે આ સંઘ નીકળ્યો હતો.જેમાં મૃતક 19 વર્ષીય ઠાકોર દલપતજીની સગાઈ થોડા માસ અગાઉ જ કરવામાં આવી હતી. અને આગામી દિવસોમાં તેઓના મોટા ભાઇના લગ્ન પણ લેવાના હતા. મૃતક દલપતજી ખેત મજૂરી કરતા હતા. તેમજ અન્ય મૃતક 25 વર્ષીય ઠાકોર લાલાજી એમના હજુ સુધી લગ્ન નથી થયા તેઓ પણ ખેત મજુરી જ કરતા હતા.મૃતક લાલજી નાગજીજી સંઘના કમિટી મેમ્બર છે, તે દર વર્ષે સંઘમાં જાય છે. તેમજ તેઓ એક કોમેડી યુ ટ્યૂબર હતા. પોતાની જે.ડી.ધનાવડા કરીને યુ ટ્યૂબમાં કોમેડી ચેનલ બનાવી હતી અને મિત્રો સાથે વીડિયો બનાવવાનો શોખ હતો.
    Click here to Read More
    Previous Article
    બિહારઃ નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ, 9નાં મોત:તેમાં 8 મહિલાઓ સામેલ, 6 ઘાયલ; ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે ભક્તોની ભીડ ઊમટી હતી; PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
    Next Article
    'નેતાઓ ગીધ જેવા છે':ગંદકી અને પીવાના પાણીમાં કીડાથી મતદારોની કમાન છટકી, કહ્યું- ખાડીપૂરમાં ત્રણ ત્રણ દિવસ પાણી ભરાયેલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment