Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં હત્યાના આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી:સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે જાહેરમાં ધોળા દિવસે છરીના ઉપરા છાપરી 7 ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો

    18 hours ago

    રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સરાજાહેર છરીના ઉપરા છાપરી 7 ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવવા કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આરોપી મહેશ ઉર્ફે એમ.ડી.બાબા જેઠવાને શંકા વ્હેમ હતો કે, મૃતક નિલેશ હરિભાઈ ધોકીયા તેની બહેનની પજવણી કરે છે જેથી આરોપી મહેશ ઉર્ફે એમડી બાબાએ નિલેશને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ માધવ હોટલ પાસે મળવા માટે બોલાવી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં શહેરના અંકુર રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા યુવાનની મુળ ખોરાસા ગીરના અને હાલ રાજકોટ રહેતાં યુવાને ક્રુરતા પૂર્વક માત્ર 44 સેકન્ડમાં છરીના 8 ઘા ઝીંકી નિલેશ હરિભાઈ ધોકીયાની હત્‍યા નિપજાવી હતી અને પછી પોતે સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. હત્યાના બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જે કબ્જે કરી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી મહેશ દિનેશભાઈ જેઠવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બાદમાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ પછી આરોપી તરફે જામીન ઉપર છૂટવા માટે જામીન અરજી દાખલ થતા સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબિદ સોસન દ્વારા જામીન અરજી નો વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલમાં આરોપી સામેનો પ્રથમ દ્રષ્ટિએ કેસ સાબિત થતો હોવાથી નજરે જોનાર સાહેદોએ બનાવને સમર્થન આપ્યું છે અને હત્યા જેવા બનાવ અને ગંભીર ગુનાના આરોપીને જામીન આપી શકાય નહીં તેવી દલીલોને ધ્યાનમાં રાખી આરોપી મહેશકુમાર ઉર્ફે એમડી બાબા જેઠવાની જામીન અરજી રાજકોટના એડિશનલ જજ ટી.એસ બ્રહ્મભટ્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં બાગાયત યોજનાઓ માટે i-ખેડૂત પોર્ટલ ખુલ્યું:ખેડૂતો 27 માર્ચથી 26 એપ્રિલ સુધી અરજી કરી શકશે
    Next Article
    નિકોલમાં AMC સિવિક સેન્ટરના ધાબા પર જુગાર રમતા સાત ઝડપાયા:15 હજાર રૂપિયા રોકડ રકમ સાથે સાત લોકોની ધરપકડ કરી, કોર્પોરેશનની સિક્યુરિટી સામે સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment