Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના આનંદનગરમાં રક્ષાબંધને લોહિયાળ ખેલ:મોસાળમાં રાખડી બાંધવા ગયેલી પરણીતા સહિત 7 લોકો પર હુમલો

    16 hours ago

    ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં પવિત્ર રક્ષાબંધનના તહેવારના દિવસે જૂની અદાવતમાં બે અલગ-અલગ જૂથના હુમલાખોરો સામસામે આવી જતાં લોહિયાળ અથડામણ સર્જાઈ હતી. મોસાળમાં ભાઈને રાખડી બાંધવા ગયેલી પરણીતા અને તેના પરિવારજનો પર ધોકા તેમજ છરી જેવા જીવલેણ હથિયારો સાથે 7 શખ્સોએ ઘાતકી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મહિલાઓ સહિત કુલ 7 લોકોને ગંભીર મૂંઢ ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા, જે સંદર્ભે ઘોઘા રોડ પોલીસ મથકે 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બપોરના સમયે ઘરમાં ઘૂસી ગાળાગાળી કરી ધોકા-છરીથી હુમલો કર્યો ઘોઘા રોડ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આનંદનગર તિલકનગર સ્લમબોર્ડ મફતગરમાં રહેતા તેજલબેન સોલંકી ગત 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વે પોતાના પિયરે ભાઈને રાખડી બાંધવા ગયા હતા. બપોરના સમયે પરિવારજનો ઘરમાં હાજર હતા ત્યારે હરેશ સોલંકી, આકાશ સોલંકી અને પ્રતાપ સોલંકી ત્યાં ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. તેજલબેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા હરેશે તેમના સાથળના ભાગે અને આકાશે પેટના ભાગે ધોકાના ફટકા માર્યા હતા. આ દરમિયાન પ્રતાપે છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતાં ભાઈની દીકરી પુષ્પાબેનને કપાળના ભાગે છરીનો લસરકો વાગ્યો હતો. બૂમાબૂમ થતાં આ ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બીજા જૂથે મોટરસાઇકલ પર આવી પરિવારના અન્ય સભ્યોને ઢોરમાર માર્યો આ ઘટનાના ગણતરીના સમય બાદ પરેશ રાઠોડ, સુનીલ ચુડાસમા, રાહુલ રાઠોડ અને પરબત નામના શખ્સો મોટરસાઇકલ લઈને સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ફરી ઘરમાં ઘૂસી જઈને પરેશે તેજલબેનના માતા લીલાબેનના કપાળ પર અને સુનીલે કોણીના ભાગે ધોકાથી ફટકા માર્યા હતા. વચ્ચે પડેલા માસી ગવુબેન તેમજ અન્ય સભ્યોને પણ આડેધડ ધોકા ઝીંકી લોહીલુહાણ કરી દીધા હતા. હુમલાખોરોએ "તમારા ભાઈને જાનથી મારી નાખવાના છે" તેવી ખુલ્લી ધમકી આપીને સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. જૂની અદાવતમાં હુમલો, પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો પ્રાથમિક વિગતો મુજબ, આશરે એકાદ મહિના પહેલાં થયેલી સામાન્ય માથાકૂટની દાઝ રાખીને તહેવારના દિવસે આ પૂર્વયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નીર વુમન્સ હોસ્પિટલ અને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ તેજલબેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં હરેશ સોલંકી, પરેશ રાઠોડ, આકાશ સોલંકી, સુનિલ ચુડાસમા, પ્રતાપ સોલંકી, પરબત અને રાહુલ રાઠોડ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં બાળકોની બોલાચાલીમાં વૃદ્ધનું મૃત્યુ:પાડોશી સાથેની ધક્કામુક્કી બાદ હત્યાનો ગુનો નોંધાયો
    Next Article
    જામનગરમાં બાળકોની બોલાચાલીમાં વૃદ્ધનું મૃત્યુ:પાડોશી સાથેની ધક્કામુક્કીમાં પટકાતા મોત, હત્યાનો ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment