Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંજે 7 વાગ્યા સુધી 15 જિલ્લામાં રેડ એલર્ટ:દીવના દરિયાકાંઠે 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, જાફરાબાદના બંદરે 3 નંબરનું સિગ્નલ; આજે 168 તાલુકામાં વરસાદ

    19 hours ago

    આજે સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદા અને ધરમપુરમાં ત્રણ ઈંચ, તો અંબિકામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 36 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો છેલ્લા બે કલાકમાં બોટાદના બરવાળામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. દીવના દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના બંદરે ભયજનક ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મહીસાગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, છોટા ઉદેપુર, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ભરૂચ, ભાવનગર અને કચ્છમાં સાંજે સાત વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને તંત્રને એલર્ટ પણ રહેવા જણાવ્યું છે. બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે વડોદરા, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એ સાથે રાજ્યમાં આ સિઝનમાં જ્યાં સૌથી વધુ વરસાદની ઘટ છે એવા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આવતીકાલે 14મીએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, એસજી હાઈવે, બોડકદેવમાં વરસાદ ખાબક્યો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જ્યારે ખાડિયા ચાર રસ્તા પાસે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થયું હતું. જેમાં ચાર લોકો દટાયા હતા. ફાયરે જાનવી રાણા, પાર્થ રાણા, આશાબેન અને સોનલ બેનને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. ગુજરાતના વરસાદની તસવીરો 15મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસના જણાવ્યા અનુસાર, 14 અને 15 સપ્ટેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. એ સાથે જ પવનની ગતિ 60થી 70 કિમિ ઝડપે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આજે 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. નર્મદા ડેમ 93.72 ટકા ભરાયો, 17 જળાશય છલકાયા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 3,13,099 એમસીએફટી (93.72 ટકા) પાણીનો સંગ્રહ છે, જેમાં 50,145 ક્યુસેક આવક સામે 33,705 ક્યુસેક જાવક ચાલુ છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ ક્ષમતાના 65.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 17 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, 1 ડેમ 70 ટકાથી વધુ અને 25 ડેમ 50 ટકા થી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યના 34 ડેમ માટે 'હાઈ એલર્ટ' (જેમાં ધાતરવડી, પિગુત, ઢોલી, કેલિયા, જૂજ, લાલપરી, દોસવાડા વગેરે સામેલ છે). 11 ડેમ માટે 'એલર્ટ' અને 13 ડેમ માટે 'વોર્નિંગ' આપવામાં આવી છે રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, 25 જિલ્લામાં હજી પણ 1 ટકાથી લઈ 88 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોય આ ઘટ પૂરાવાની સૌ કોઈ આશા સેવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વર્લ્ડ મીડિયા બોલ્યું- BRICSમાં ભારત માટે મોટી સફળતા:અલગ દૃષ્ટિકોણ ધરાવતા દેશોમાં સહમતિ બનાવી, તેને અમેરિકા વિરોધી જૂથ પણ બનવા દીધું નહીં
    Next Article
    અમદાવાદમાં સાંજે 4 વાગ્યા બાદ મેઘતાંડવ, ત્રણ કલાક રેડ એલર્ટ:ધોધમાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર, ખાડિયામાં મકાન ધરાશાયી; 4 લોકોનું રેસ્ક્યૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment